Sidharth Shuklaએ વર્ષ 2017 માં મૃત્યુને લઈને કર્યું હતું આ ટ્વિટ, સોશિયલ મીડિયા પર થયું વાયરલ

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. તેમના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર શોક ફેલાયો છે. સિદ્ધાર્થની જૂની ટ્વીટ્સ વાયરલ થઈ રહી છે.

Sidharth Shuklaએ વર્ષ 2017 માં મૃત્યુને લઈને કર્યું હતું આ ટ્વિટ, સોશિયલ મીડિયા પર થયું વાયરલ
Sidharth Shukla
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 10:19 PM

બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું ગુરુવારે સવારે હાર્ટ એટેકને કારણે નિધન થયું. સિદ્ધાર્થના મૃત્યુ વિશે સાંભળીને તેમના ચાહકોને ઝટકો લાગ્યો છે. સોશિયલ મીડિયા અને ટીવી પર બોલિવૂડ સેલેબ્સની સાથે તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થના મૃત્યુ પછી, તેમનું એક જૂનું ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે મૃત્યુ વિશે લખ્યું હતું.

સિદ્ધાર્થે મોત અંગે ટ્વિટ વર્ષ 2017 માં 24 ઓક્ટોબરના રોજ કર્યું હતું. તેમણે લખ્યું હતું- “મૃત્યુ એ જીવનનું સૌથી મોટું નુકશાન નથી. સૌથી મોટું નુકશાન એ છે કે જે જીવતી વખતે આપણી અંદર મરી જાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અહીં જુઓ સિદ્ધાર્થ શુક્લનું ટ્વિટ

ચાહકો થઈ ગયા ભાવુક

સિદ્ધાર્થનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ચાહકો ભાવુક બનીને આ પોસ્ટનો જવાબ આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું – ના ભાઈ, તમે આ મુદ્દે ખોટા છો. મૃત્યુ એ જીવનની સૌથી મોટી ખોટ છે. અમે આ લાઈનને મહેસુસ કરી રહ્યા છીએ કૃપા કરીને પાછા આવો. વિશ્વાસ નથી થતો કે તમે અમારી સાથે નથી.

બીજી બાજુ, અન્ય એક પ્રશંસકે લખ્યું – ખરેખર, આજે મારી અંદરનો એક ભાગ મરી ગયો છે અને હવે તે ક્યારેય પહેલા જેવો નહીં રહે. તે જ સમયે, એક ચાહકે લખ્યું – પ્લીઝ, પ્લીઝ પાછા આવી જાવ.

બિગ બોસ 13 દરમિયાન સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી. તેમણે બિગ બોસ 13 ની ટ્રોફી પોતાના નામે કરી હતી. બિગ બોસના હોસ્ટ સલમાન ખાને પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું- બહુ જલ્દી ચાલ્યો ગયો સિદ્ધાર્થ, તમે ઘણા યાદ આવશો. પરિવાર પ્રત્યે મારી સંવેદના. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થે પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેમણે પોતાની ટીવી કારકિર્દીની શરૂઆત બાબુલ કા અંગના છુંટે ના સિરિયલથી કરી હતી. તેમને સિરિયલ બાલિકા વધુથી ઓળખ મળી હતી. શોમાં તેઓ શિવના પાત્રમાં જોવા મળ્યા હતા. આ પછી, તેમણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મમાં તે સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. સિદ્ધાર્થે તાજેતરમાં જ પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું હતું. તેઓ ઓલ્ટ બાલાજી (ALTBalaji) ની વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટિફુલ સીઝન 3 માં સોનિયા રાઠી સાથે મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

આ પણ વાંચો :- Sidharth Shuklaના મૃત્યુ બાદ તુટી ગઈ છે શહનાઝ ગિલ, પિતાએ જણાવી કેવી છે દીકરીની હાલત

આ પણ વાંચો :- Sidharth Shukla Passes away: ટીવીના નહીં પણ કોન્ટ્રોવર્સીઝના પણ કિંગ હતા સિદ્ધાર્થ શુક્લ, પારો ગરમ થતા ઉઠાવી લેતા હતા હાથ

Latest News Updates

PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
g clip-path="url(#clip0_868_265)">