AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SHOCKING: બિગ બોસ શોથી લોકપ્રિયતા મેળવનારી નિક્કી તંબોલીએ જણાવ્યા સંઘર્ષનાં દિવસો, જાણો કોણે કર્યુ હતું સૌથી વધુ ટોર્ચર

અભિનેત્રીએ (Nikki Tamboli) કહ્યું હતું કે તેના જોડે માત્ર અત્યાચાર જ નહીં પરંતુ તેને અપમાનિત પણ કરવામાં આવી હતી. આખા સેટની સામે તેનું અપમાન કરવામાં આવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું કે તે સમયે અભિનેત્રી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.

SHOCKING: બિગ બોસ શોથી લોકપ્રિયતા મેળવનારી નિક્કી તંબોલીએ જણાવ્યા સંઘર્ષનાં દિવસો, જાણો કોણે કર્યુ હતું સૌથી વધુ ટોર્ચર
Nikki TamboliImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 3:52 PM
Share

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હિન્દી ટીવી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર નિક્કી તંબોલીએ (Nikki Tamboli) બિગ બોસ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. બિગ બોસ 14 પછી જ આ અભિનેત્રી ઘરે-ઘરે લોકપ્રિય થઈ ગઈ હતી. હવે નિક્કી તંબોલીની ફેન ફોલોઈંગની યાદી દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં જ એક કિસ્સો શેર કરતી વખતે નિક્કીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેના શરૂઆતના દિવસોના સંઘર્ષ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે તેણીને પણ ફિલ્મ નિર્માતાઓ દ્વારા ટોર્ચર (Nikki Tamboli TorturedAnd Humiliated) કરવામાં આવી છે. પોતાના સૌથી ખરાબ કામના અનુભવને શેર કરતા અભિનેત્રીએ જણાવ્યું કે સાઉથના એક ડિરેક્ટરે તેને ખૂબ ટોર્ચર કર્યું હતું.

અભિનેત્રી નિક્કી તંબોલીએ ભૂતકાળની વાત કરી

પિંકવિલાના જણાવ્યા મુજબ, અભિનેત્રીએ કહ્યું હતું કે તેની જોડે માત્ર અત્યાચાર જ નહીં પરંતુ તેને અપમાનિત પણ કરવામાં આવી હતી. આખા સેટની સામે તેનું અપમાન થયું. તેણે વધુમાં જણાવ્યું કે તે સમયે અભિનેત્રી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું- મારી પાસે સાઉથની એક ફિલ્મ હતી, જેના નિર્દેશક ખૂબ જ અસંસ્કારી હતા. સેટ પર તેની ટ્રીટમેન્ટ બિલકુલ સારી ન હતી. જેઓ મારા કો-ડાન્સર હતા તેઓ મારા કરતા વધારે તેમની પ્રશંસા કરતા હતા. તે કહેતો હતો, ‘ક્યાંથી આવ્યા છો?’

ફિલ્મ નિર્માતા નિક્કી સાથે કેમ ગેરવર્તન કરી રહ્યા હતા?

નિક્કીએ આગળ કહ્યું- ‘મને ખબર નથી કે તે ડિરેક્ટર મારી સાથે આવું કેમ કરી રહ્યા હતા. કદાચ હું તે સમયે ભાષા બરાબર બોલી શકતી ન હતી. હું કહેવા માંગુ છું કે તે સૌથી ખરાબ હતો. હું તેનું નામ લેવાનું પસંદ નહિ કરું પરંતુ તે દિગ્દર્શક સાથે કામ કરવું એ મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ હતો. અભિનેત્રીએ કહ્યું- ‘હું ઘરે આવીને ખૂબ રડી. પરંતુ તેમ છતાં મેં હાર માની નહીં કારણ કે મને ખબર હતી કે તેને પાછળથી પસ્તાવો થશે. આજે પણ તેણે મને મેસેજ કર્યો છે. સમય દરેક માટે બદલાય છે.

તમને જણાવી દઈએ કે, નિક્કી તંબોલી બિગ બોસ શોમાં પણ તેના બુલંદ અવાજ માટે જાણીતી હતી. અભિનેત્રી હંમેશા પોતાના અધિકાર માટે ઉભી જોવા મળતી હતી. થોડા સમય પહેલા નિક્કી તંબોલી પણ બિગ બોસના કો-કંટેસ્ટન્ટ પ્રતીક સહજપાલના સમર્થનમાં સામે આવી હતી. મ્યુઝિક વિડિયો તુ લૌટ આના કારણે સમાચારમાં રહેલો પ્રતીક સહજપાલ તેના કો-સ્ટાર સાથેની લડાઈને કારણે ચર્ચામાં હતો.

આ મ્યુઝિક વીડિયોમાં એક્ટ્રેસ કાશિકા કપૂર સાથે બોલાચાલી થઈ હતી. કાશિકા દ્વારા ગીત સાથે જોડાયેલા વિવાદ પર સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રતીકે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો. આ બોલાચાલીમાં નિક્કી પણ અભિનેતાના સમર્થનમાં આગળ આવી હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">