સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત

અમિત દેસાઈ પહેલા વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની કસ્ટડી સામે કોર્ટમાં દલીલ કરી હતી. આ સુનાવણી દરમિયાન, એનસીબીએ આર્યન ખાનની એનસીબી કસ્ટડી આગળ વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એનસીબીની આ માંગને ફગાવી દીધી હતી.

સલમાન ખાનને 'હિટ એન્ડ રન' કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત
Aryan Khan, Salman Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 9:55 PM

આજે એટલે કે સોમવારે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના ડ્રગ્સ કેસ (Drugs Case)માં જામીનની સુનાવણી સેશન્સ કોર્ટે બુધવાર સુધી મુલતવી રાખી હતી. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીનિયર એડવોકેટ અમિત દેસાઈ (Amit Desai) આજે કોર્ટમાં આર્યન ખાનની જામીન સુનાવણી માટે અરજી કરતા જોવા મળ્યા હતા.

સૌથી રસપ્રદ બાબત એ છે કે અમિત દેસાઈ એ જ વકીલ છે જેમણે અગાઉ બોલીવુડ અભિનેતા સલમાન ખાન (Salman Khan)ને 2002ના હિટ એન્ડ રન કેસ (Hit And Run Case)માં મુક્તિ કરાવી હતી. અમિત દેસાઈએ 2015માં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સલમાન ખાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હકીકતમાં નીચલી કોર્ટે અભિનેતાને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જેને ઉચ્ચ અદાલતમાં પડકારવામાં આવી હતી. સલમાન ખાનને મે 2015માં 30,000 રૂપિયાની રકમ પર જામીન આપવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સલમાન ખાનના કેસમાં આપી હતી કોર્ટમાં આ દલીલો

સલમાનનો બચાવ કરતા વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ કહ્યું હતું કે તપાસ એજન્સી દારુ અને ડ્રાઈવિંગના આરોપોને સ્થાપિત કરવા માટે પુરાવા એકત્રિત  કરતી હતી અને સાક્ષીઓની જુબાની આલ્કોહોલના સેવનના કેસને અનુરૂપ બનાવટી હતી. તમને જણાવી દઈએ કે 10 ડિસેમ્બર, 2015ના રોજ સલમાન ખાન આ કેસમાં તમામ આરોપોમાંથી મુક્ત થઈ ગયા હતા અને તે સમયે તેનું પ્રતિનિધિત્વ અમિત દેસાઈએ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે આર્યન ખાન ડ્રગના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. આર્યન ખાન અને તેના કેટલાક સાથીઓને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા મુંબઈની ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર NCB દાવો કરે છે કે તેમને આર્યન અને તેના મિત્રો પાસેથી તેમને ડ્રગ્સ મળી છે અને આર્યને ડ્રગ્સ લેવાની કબૂલાત કરી છે.

અમિત દેસાઈએ કહ્યું – આર્યન ખાન પાસેથી નથી મળ્યુ ડ્રગ્સ

શાહરૂખ ખાન અને ગૌરી ખાન તેમના પુત્રને કોઈ પણ સંજોગોમાં લાંબા સમય સુધી જેલમાં રાખવા માંગતા નથી. તે જલ્દીથી તેના પુત્રને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. દીકરા આર્યનને જેલમાંથી છોડાવવા માટે તેમણે અમિત દેસાઈને હાયર કર્યાં છે.

એક રિપોર્ટ મુજબ આજે આર્યન ખાનની જામીન પરની સુનાવણી અંગે વાત કરતા અમિત દેસાઈએ કહ્યું કે અમારી કાર્યવાહી કોર્ટના હાથમાં છે. જો તમે ન્યાય જોવા માંગતા હોવ તો તમારે તે કરવું પડશે. આ એક સ્વીકૃત હકીકત છે કે આર્યન ખાન પાસેથી કશું મળ્યું નથી. એનસીબીએ ગયા અઠવાડિયે જામીન સામે દલીલ કરી હતી, તેથી અરજી પર આવતીકાલે સુનાવણી થઈ શકે છે.

અમિત દેસાઈ પહેલા વરિષ્ઠ વકીલ સતીશ માનશિંદેએ આર્યન ખાનની કસ્ટડી સામે કોર્ટમાં દલીલ કરી હતી. આ સુનાવણી દરમિયાન એનસીબીએ આર્યન ખાનની એનસીબી કસ્ટડી આગળ વધારવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એનસીબીની આ માંગને ફગાવી દીધી હતી અને આર્યન ખાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. હાલમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે.

આ પણ વાંચો:- જન્મદિવસે પોતાની ઉંમર જણાવવામાં Amitabh Bachchanએ કરી ભૂલ, દીકરી શ્વેતાએ આ રીતે ભૂલ સુધારી

આ પણ વાંચો:- વિક્કી કૌશલની ફિલ્મ ‘સરદાર ઉધમ’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કેટરિના કૈફ આવી નજર, ફોટો થયા વાયરલ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">