AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor-Alia Bhatt Wedding : લગ્નના સમાચાર વચ્ચે નીતુ કપૂરે રણબીર કપૂર માટે કહ્યું- ‘મારો દીકરો સારો પતિ બનશે’

રણબીર-આલિયાના લગ્નને લઈને નીતુ કપૂર પર સતત સવાલો થઈ રહ્યા છે, જો કે નીતુ કપૂરે (Neetu Kapoor) આ વિશે એક શબ્દ પણ નથી કહ્યું, પરંતુ અભિનેત્રીએ એકવાર કહ્યું હતું કે તેનો પુત્ર ઘણો સારો પતિ સાબિત થશે.

Ranbir Kapoor-Alia Bhatt Wedding : લગ્નના સમાચાર વચ્ચે નીતુ કપૂરે રણબીર કપૂર માટે કહ્યું- 'મારો દીકરો સારો પતિ બનશે'
Neetu Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:38 PM
Share

Ranbir Kapoor-Alia Bhatt Marriage: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ના લગ્નના સમાચાર આવ્યા છે, ત્યારથી નીતુ કપૂરને પાપારાઝીઓ દ્વારા સતત સવાલ પર સવાલ કરવામાં આવી રહ્યા છે કે તેમના ઘરે લગ્ન ક્યારે થશે? જો કે નીતુ કપૂરે (Neetu Kapoor) આ વિશે એક શબ્દ પણ ન કહ્યું, પરંતુ અભિનેત્રીએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પુત્ર ઘણો સારો પતિ સાબિત થશે. નીતુ કપૂરે કહ્યું હતું કે તેને આવું કેમ લાગે છે. TOI મુજબ- નીતુએ કહ્યું હતું કે, ‘મારા લગ્નજીવનમાં ઘણી સમસ્યાઓ હતી. ઋષિ કપૂરે ખૂબ પરેશાન કર્યા હતા.’ અભિનેત્રીએ જણાવ્યું હતું કે જ્યારે રણબીર કપૂર 15 વર્ષના હતા ત્યારે ઋષિ કપૂર (Rishi Kapoor) અને નીતુ કપૂર બંને તેમના જીવનના ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.

પુત્ર અને પુત્રી માટે આવું વિચારતી હતી નીતુ સિંહ

નીતુ વિચારતી હતી કે તેની પુત્રી નિર્દોષ હોવી જોઈએ જે જીવનનો સામનો પણ કરી શકે. તેનો પુત્ર સમજદાર હોવો જોઈએ, જે દુનિયા વિશે બધું જ જાણતો હોય. તો આવી સ્થિતિમાં તે રણબીર સાથે બેસીને વાતો કરતી હતી. કલાકો સુધી તે રણબીરને કહેતી હતી કે તેમના લગ્નજીવનમાં શું સારું છે અને શું ખરાબ છે. નીતુએ જણાવ્યું હતું કે તેણે તેના પુત્રને તે બધું કહ્યું હતું જે તેને જીવનમાં સંબંધો જાળવી રાખવા માટે એક સારી શીખ આપી.

રણબીર હંમેશા તેનો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છેઃ નીતુ કપૂર

ધ ક્વિન્ટને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું – રણબીર હંમેશાથી તેનો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છે. તે પોતાના દિલની દરેક વાત રણબીરને કહે છે, તે કોઈની સાથે કોઈ વાત શેર કરતી નથી. તેણે કહ્યું કે રણબીરમાં અચાનક બદલાવ આવ્યો અને તે બદલાઈ ગયો. તે પહેલેથી જ વધુ જવાબદાર વ્યક્તિ બની ગયો. આવી સ્થિતિમાં તેણે એ જરૂરી માન્યું કે રણબીરે બધું જાણવું જોઈએ જે નીતુ જાણે છે, આનો અર્થ એ થશે કે જ્યારે સમય આવશે ત્યારે રણબીર એક સારો પતિ પણ બનશે.

રણબીર કપૂર ખૂબ જ નરમ સ્વભાવનો છે

રણબીર વિશે વાત કરતાં માતા નીતુ કપૂરે કહ્યું હતું કે- રણબીર ખૂબ જ સોફ્ટ ટાઇપનો છે. તે કોઈને દુઃખી કરી શકે નહીં. તે એવી વ્યક્તિ છે જેને દાળ અને ભાત ગમે છે. તે હાઈ મેંટેનેંસ માણસ નથી. તેને હાઈ મેંટેનેંસવાળી પત્ની પણ ગમશે નહીં.

આ પણ વાંચો: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બાદ હવે ‘ધ કન્વર્ઝન’ નામની ફિલ્મ થશે રિલીઝ, લવજેહાદના મુદ્દા પર બની છે ફિલ્મ

આ પણ વાંચો: Dhaakad Teaser : કંગના રનૌત ખૂબ જ ઝડપે બાઇક ચલાવતી અને ગોળીઓનો વરસાદ કરતી જોવા મળી, ટીઝર એક્શનથી ભરપૂર છે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">