Nia Sharmaને ઓફર કરવામાં આવી હતી કંગના રનૌતની ‘મણિકર્ણિકા’, જાણો મીટિંગમાં અભિનેત્રીને શું કહેવામાં આવ્યું હતું?

નિયા શર્મા (Nia sharma) નાના પડદાની એક એવી અભિનેત્રી છે, જે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ દેખાવનો જાદુ ફેલાવતી રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ કંગનાની ફિલ્મ અંગે ખુલાસો કર્યો છે.

Nia Sharmaને ઓફર કરવામાં આવી હતી કંગના રનૌતની 'મણિકર્ણિકા', જાણો મીટિંગમાં અભિનેત્રીને શું કહેવામાં આવ્યું હતું?
Nia Sharma, Kangana Ranaut
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 10:03 PM

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી નિયા શર્મા (Nia Sharam) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. નિયા શર્મા એક એવી અભિનેત્રી છે જે હંમેશા કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ નિયાએ એવું નિવેદન આપ્યું છે, જેના વિશે તે હેડલાઈન્સમાં આવી ગઈ છે.

વાસ્તવમાં નિયા કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી (Manikarnika: The Queen of Jhansi) વિશે ખાસ ખુલાસો કરવા માટે ચર્ચામાં છે. તાજેતરમાં જ નિયા શર્માએ ખુલાસો કર્યો છે કે તેને આ ફિલ્મમાં રોલ મળી રહ્યો હતો, પરંતુ મેકર્સે પછી તેને કહ્યું કે તે ખૂબ જ હોટ લાગે છે, આથી જ નિયા શર્માએ મણિકર્ણિકા નહોતી કરી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ચાહકો વચ્ચે છવાયો નિયાનો ખુલાસો

નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ ફોટાથી ચાહકોના દિલને આગ લગાડતી રહે છે. તાજેતરમાં નિયા શર્માએ આરજે સિદ્ધાર્થ કન્નન સાથે વાત કરી છે. આ દરમિયાન તેમણે ટેલિવિઝનમાં તેમની કારકિર્દી વિશે વાત કરી છે. આ વાતચીતમાં નિયા શર્માએ કહ્યું છે કે તે કોઈ પણ ફિલ્મ નિર્દેશક અથવા નિર્માતાની ઓફિસમાં જવા માંગતી નથી, કારણ કે તેને સારું નથી લાગતું એટલા માટે કે તે ટીવીની દુનિયામાંથી આવે છે.

આ વાતચીતમાં નિયા શર્માને પૂછવામાં આવ્યું કે શું તમે કોઈ મોટા બોલિવૂડ ડિરેક્ટર અથવા પ્રોડ્યુસરને મળ્યા છો, જેણે તમને પણ આ કહ્યું છે? આ માટે તેમણે બેબાકીથી જવાબ આપ્યો છે કે ના, પરંતુ ફિલ્મ મણિકર્ણિકા માટે એક મીટિંગ થઈ હતી, આ ફિલ્મ માટે નાની ભૂમિકા માટે મુલાકાત થઈ હતી. અભિનેત્રીએ કહ્યું છે કે તે ખૂબ જ મૂર્ખતા જેવી વાતચીત હતી, જે પછી હું ફરીથી ત્યાં ગઈ નહતી. આ વાતનો કોઈ ફાયદો નહોતો થયો, આનાથી મારો સમય બગાડ્યો હતો.

કંગનાની આ ફિલ્મની મુલાકાત વિશે વર્ણન કરતાં તેણે કહ્યું છે કે તે પછી એક વ્યક્તિએ મને કહ્યું કે તું ખૂબ જ હોટ લાગે છે, મને તેની વાત પર ખરેખર આશ્ચર્ય થયું અને કહ્યું સાચેજ? તમને જણાવી દઈએ કે કંગના રનૌત (Kangana Ranaut) અભિનીત મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી વર્ષ 2019માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. કંગના આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના રોલમાં જોવા મળી હતી. ચાહકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી. તમને વાત કરીએ નિયા શર્માની તો તાજેતરમાં જ પોતાનો 31મો જન્મદિવસ ઉજવ્યો છે.

આ પણ વાંચો :- India’s Best Dancer 2 :આ સિઝનમાં મલાઈકા અરોરા પસંદ કરશે ‘બેસ્ટ કા નેક્સ્ટ’ ડાન્સર, સુપર ડાન્સર ચેપ્ટર 4 ને કરશે રિપ્લેસ

આ પણ વાંચો :- Birthday Special: આ કારણે Prem Chopraને સેટ પર અભિનેત્રીએ માર્યો હતો બધાની સામે થપ્પડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">