નેપાળમાં વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં ન જાણે કેટલા લોકોના ઘર તૂટી ગયા છે. કાઠમંડુથી પોખરા જઈ રહેલા વિમાનને અકસ્માત નડ્યો હતો. જેમાં અનેક લોકોના જીવ ગયા. આ પ્લેનની સફર પૂરી થવાની જ હતી, પરંતુ તે પહેલા જ તે ક્રેશ થઈ ગયું. આ હૃદયદ્રાવક અકસ્માતમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 69 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સમાચાર અનુસાર, આ વિમાનમાં નેપાળની પ્રખ્યાત લોક ગાયિકા નીરા છાંટ્યાલ પણ હાજર હતી. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં નીરાનું નામ પણ સામેલ છે. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના પરિવાર અને પ્રિયજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હજુ પણ મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે.
રિપોર્ટ અનુસાર નેપાળી સિંગર નીરા છાંટ્યાલ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી હતી. પરંતુ આ સફર તેની છેલ્લી સફર સાબિત થઈ અને તે પોતાના મુકામ પર પહોંચતા પહેલા જ આ પ્લેન ક્રેશનો શિકાર બની ગઈ. નીરાના ગીતો ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે, તેના ગીતોમાં તેની સંસ્કૃતિ સ્પષ્ટ દેખાતી હતી. આ સમાચારથી તેના ચાહકો ચોંકી ગયા છે. તમને જણાવી દઈએ કે, નેપાળની સિંગર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હતી અને પોતાના ફેન્સ સાથે પોસ્ટ શેર કરતી હતી.
નેપાળમાં તેને ચાહકોનો અપાર પ્રેમ મળ્યો. એ ગીતોની પ્રશંસકો રાહ જોતા હતા. નીરાના ગીતો અવારનવાર યુટ્યુબ પર ધમાલ મચાવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, યેતી એરલાઇન્સના વિમાન ATR-72એ રવિવારે સવારે કાઠમંડુથી ઉડાન ભરી હતી. આ અકસ્માતમાં કો-પાયલોટ અંજુ ખાટીવાડા અને એક એર હોસ્ટેસે પણ જીવ ગુમાવ્યો હતો.
યતી એરલાઇન્સના વિમાન ATR-72નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતા વિમાન હૃદયદ્રાવક અકસ્માત જોવા મળી રહ્યો છે.
Published On - 11:26 am, Mon, 16 January 23