AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્યુમોનિયા થયા બાદ Naseeruddin Shahને હોસ્પિટલમાં કર્યા દાખલ, જાણો હવે કેવી છે અભિનેતાની હાલત

મેનેજરે વાત કરતા કહ્યું, 'તેમને 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. ન્યુમોનિયાને કારણે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા

ન્યુમોનિયા થયા બાદ Naseeruddin Shahને હોસ્પિટલમાં કર્યા દાખલ, જાણો હવે કેવી છે અભિનેતાની હાલત
Naseeruddin Shah (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2021 | 5:13 PM
Share

પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah)ને ન્યુમોનિયાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નસીરુદ્દીન શાહના મેનેજરે આ માહિતી આપી છે. સાથે જ તેમણે કહ્યું કે અભિનેતાની હાલત હવે સ્થિર છે. હોસ્પિટલમાં નસીરુદ્દીન શાહ સાથે પત્ની રત્ના પાઠક અને બાળકો છે.

એક સમાચાર મુજબ મેનેજરે વાત કરતા કહ્યું, ‘તેમને 2 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે. ન્યુમોનિયાને કારણે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ તરત જ ડોકટરોને અભિનેતાના ફેફસામાં ચેપ મળતાની સાથે જ તેઓએ એક્ટરને હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યું હતું. તેમની હાલત હવે સારી છે.

ગયા વર્ષે આવ્યા હતા ફેક ન્યૂઝ

ગયા વર્ષે પણ નસીરુદ્દીન શાહની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ તે પછી તેમના પુત્રએ આ અહેવાલોને ખોટા કહ્યા હતા. આ સમાચાર ઈરફાન ખાન અને ઋષિ કપૂરના મોત બાદ વાયરલ થયા હતા. આ પછી વિવાને ટ્વીટ કર્યું હતું, ‘બધું સારું છે દોસ્તો. તેમના સ્વાસ્થ્ય વિશે જે પણ સમાચાર આવી રહ્યા છે તે ખોટા છે. તે એકદમ ઠીક છે.

ચાલો તમને જણાવી દઈએ કે નસીરુદ્દીન શાહ તેમની પેઢીના ખૂબ જ તેજસ્વી અભિનેતા છે, એટલું જ નહીં, આજે પણ તેઓ જે ફિલ્મમાં હોય છે, તેમાં મોટા સ્ટાર્સને સખત સ્પર્ધા આપે છે. નસીરુદ્દીનને તેમના શ્રેષ્ઠ કામ બદલ પદ્મશ્રી અને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2020માં તેઓ મી રક્ષમ અને બંદિશ બેન્ડિટ્સમાં જોવા મળ્યા હતા. આ સિવાય નસીરુદ્દીન આ વર્ષની શરૂઆતમાં રામપ્રસાદ કી તેહરવી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

નસીરુદ્દીન અભિનેતા હોવા ઉપરાંત ડાયરેક્ટર પણ છે. તેમણે યૂં ક્યા હોતા હૈ (Yun Kya Hota Hai) ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, ઈરફાન ખાન, આયેશા ટાકિયા, જીમ્મી શેરગિલ, રત્ના પાઠક શાહ અને પરેશ રાવલ જેવા દિગ્ગજ સ્ટાર્સે કામ કર્યું છે. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નથી.

આ પણ વાંચો :- ‘Taarak Mehta…’ ની ‘રોશન ભાભી’ એ તેમના ગળામાં આ શું પહેરી રાખ્યું છે ? જોઈને બધા ચોંકી ગયા

આ પણ વાંચો :- Dilip Kumar Health: દિલીપ કુમારની તબિયત લથડી! હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ, ફેન્સ કરી રહ્યા છે પ્રાર્થના

Follow Us
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
g clip-path="url(#clip0_868_265)">