મુંબઈ: યુપી પોલીસે અલી અબ્બાસ ઝફરના ઘરે ચીપકાવી નોટીસ, 27મીએ લખનૌમાં હાજીર હો

|

Jan 21, 2021 | 7:20 PM

યુપી પોલીસ મુંબઈમાં વેબસીરીઝ તાંડવના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અલીને પૂછપરછ માટે નોટિસ આપવા ગઈ છે.

મુંબઈ: યુપી પોલીસે અલી અબ્બાસ ઝફરના ઘરે ચીપકાવી નોટીસ, 27મીએ લખનૌમાં હાજીર હો

Follow us on

યુપી પોલીસ મુંબઈમાં વેબસીરીઝ તાંડવના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરના ઘરે પહોંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અલીને પૂછપરછ માટે નોટિસ આપવા ગઈ છે. તાંડવના નિર્માતાઓ ઉપર કરવામાં આવેલી જાહેર લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મામલો તેમની પૂછપરછ કરવાની કવાયત છે. યુ.પીના ઘણા જિલ્લાઓમાં તાંડવ સામે એફઆઈઆર નોંધાઈ છે. જે બાદ પોલીસે આ કેસમાં એટલી ગતિ બતાવી છે કે તે મુંબઈ પહોંચી ગઈ છે અને તાંડવ બનાવનારાઓ વિરુદ્ધ તપાસ આગળ ધપાવી રહી છે.

 

તપાસ અધિકારી અનિલકુમાર સિંહે જણાવ્યું હતું કે તે અલી અબ્બાસ ઝફરના ઘરે નોટિસ આપવા આવ્યો હતો, પરંતુ તેમને ત્યાં કોઈ મળ્યું નથી. ઘરને તાળું મારી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલીસે ઘર પર નોટીસ ચોંટાડી દીધી છે. જેમાં લખ્યું છે કે 27 જાન્યુઆરીએ તે પૂછપરછ માટે લખનૌ પહોંચે અને તપાસ અધિકારી સમક્ષ હાજર થાય.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધરપકડથી મળી છે રાહત

તમને યાદ અપાવી દઈએ કે ગઈકાલે બોમ્બે હાઈકોર્ટે વેબસીરીઝ તાંડવની ટીમને વચગાળાના જામીન આપ્યા હતા. તેને ટ્રાન્ઝિટ બેલ કહેવામાં આવી રહી છે, જેથી યુપી પોલીસ ટીમને તાત્કાલિક ધરપકડ કરી શકશે નહીં. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, એમેઝોન કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત, નિર્માતા હિમાંશુ મેહરા અને લેખક ગૌરવ સોલંકીને આ રાહત આપવામાં આવી છે. આ વચગાળાની રાહત ત્રણ અઠવાડિયા માટે છે. તે પછી પોલીસ તપાસ બાદ કેસ દાખલ કરી શકશે.

 

માફી માંગી ચૂક્યા છે મેકર્સ

તાજેતરમાં દેશભરમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રીલિઝ થયેલી વેબ સિરીઝ ‘તાંડવ’નો જોરદાર વિરોધ થઈ રહ્યો છે. તે સિરિઝના નિર્દેશક અલી અબ્બાસ ઝફરના વિરોધ પછી કાસ્ટ અને ક્રૂએ માફી માંગી હતી, પરંતુ તેની અસર દેખાઈ ન હતી. જ્યારે માફીની કોઈ અસર થઈ ન હતી, હવે અલી અબ્બાસ ઝફરે એક પોસ્ટ ટ્વીટ કરી જેમાં તેણે કહ્યું કે સિરિઝની કાસ્ટ અને ક્રૂ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ‘તાંડવ’ સિરિઝમાં ફેરફાર કરવામાં આવશે.

 

વાંધાજનક સીન્સમાં કરશે બદલાવ

 

અલી અબ્બાસ ઝફરે પોતાની પોસ્ટમાં લખ્યું- “આપણા દેશના લોકોની લાગણી પ્રત્યે અમારો આદર છે. અમારો ઈરાદો કોઈપણ વ્યક્તિ, જાતિ, સમુદાય, ધર્મ અથવા ધાર્મિક માન્યતા અથવા કોઈપણ સંસ્થા, રાજકીય પક્ષ અથવા જીવંત કે મૃત વ્યકિતના અપમાન અથવા લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. તાંડવના કાસ્ટ અને ક્રૂ સભ્યોએ ઉદ્ભવેલી ચિંતાઓને દૂર કરવા વેબ સિરીઝમાં ફેરફારનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. અમે આ બાબતમાં માર્ગદર્શન અને સમર્થન માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયનો આભાર માનીએ છીએ. જો સિરિઝથી અજાણતા પણ કોઈની લાગણી દુભાય છે તો અમે ફરી એક વાર માફી માંગીએ છીએ.”

 

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માંગ

Next Article