AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Jolly LLB 3’ જોયું કે નહીં? થિયેટરમાં પગ મૂકતા પહેલા ધ્યાન રાખજો, અક્ષય-અરશદની જોડીએ એવું તો શું કર્યું કે લોકો…..

'Jolly LLB 3' જોયું કે નહીં? થિયેટરમાં પગ મૂકતા પહેલા અથવા ટિકિટ ખરીદતા પહેલા મૂવીને લગતા કેટલાક મહત્વના મુદ્દાઓ ધ્યાનમાં લેવું જરૂરી છે.

'Jolly LLB 3' જોયું કે નહીં? થિયેટરમાં પગ મૂકતા પહેલા ધ્યાન રાખજો, અક્ષય-અરશદની જોડીએ એવું તો શું કર્યું કે લોકો.....
| Updated on: Sep 19, 2025 | 7:15 PM
Share

સુભાષ કપૂરની કોર્ટરૂમ કોમેડી-ડ્રામા “જોલી એલએલબી 3” આખરે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ વખતે ફ્રેન્ચાઇઝના બંને ફેમસ વકીલ અરશદ વારસી (જોલી 1) અને અક્ષય કુમાર (જોલી 2) એક જ ફિલ્મમાં સામસામે છે. ફિલ્મમાં સૌરભ શુક્લા ફરી એકવાર જજ સુંદર લાલ ત્રિપાઠીની ભૂમિકા ભજવી રહ્યા છે. હુમા કુરેશી અને અમૃતા રાવ પણ પુષ્પા પાંડે તેમજ સંધ્યાની ભૂમિકામાં પાછા ફર્યા છે.

શું છે સ્ટોરી?

જોલી એલએલબી 3 પરસૌલ નામના ગામની છે, જ્યાં એક ઉદ્યોગપતિ “બિકાનેર ટુ બોસ્ટન” બનવાના પોતાના સપનાને પૂર્ણ કરવા માટે જમીન કબજે કરવા માંગે છે. તે ખેડૂતોની જમીન કબજે કરવા માટે સામ દામ દંડ ભેદ દરેક યુક્તિનો ઉપયોગ કરે છે. કેટલાક ખેડૂતો પૂર્વજોની જમીન છોડવા તૈયાર નથી અને અહીંથી લડાઈ શરૂ થાય છે. હરિભાઈ ખેતાન, લોકલ રાજકારણીઓ અને અધિકારીઓ સાથેના પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ત્યારબાદ ગેરકાયદેસર રીતે તેમની જમીન હસ્તગત કરી લે છે.

આ પરિસ્થિતિમાં, એક ખેડૂત આત્મહત્યા કરે છે અને પછી વાર્તા જાનકીનો પરિચય કરાવે છે, જે ન્યાય માટે ઉદ્યોગપતિ સામે લડવાનું નક્કી કરે છે. કયો જોલી જાનકીના હેતુ માટે લડે છે અને કયો જોલી તેની વિરુદ્ધ જાય છે તે જાણવા માટે, તમારે થિયેટરોમાં “જોલી એલએલબી 3” જોવી પડશે.

એક્ટિંગમાં કોને બાજી મારી?

અક્ષય કુમાર તેના જૂના અંદાજમાં જ જોવા મળી રહ્યો છે. અક્ષયની એક્ટિંગ એટલી પાવરફૂલ છે કે, તમે તેના દરેક ડાયલોગ પર તાળીઓ પાડ્યા વગર રહી શકશો નહી. તેનું કોમિક ટાઇમિંગ પણ ગજબ છે. અરશદ વારસીનું કામ પણ શાનદાર રહ્યું છે. કોમેડીમાં તે અક્ષયને ટક્કર આપી રહ્યો છે અને બંને જ્યારે ભેગા થાય છે ત્યારે કોમેડીનો ડબલ ડોઝ મળી રહે છે.

સૌરભ શુક્લા એક સરપ્રાઇઝ ફેક્ટર છે અને તેની ડાયલોગ ડિલિવરી પણ ગજબની છે. સીમા બિશ્વાસ દરેકને ઇમોશનલ કરી દેશે. ગજરાજ રાવે નેગેટિવ રોલમાં ઉમદા કામ કર્યું છે. હુમા કુરેશી અને અમૃતા રાવનું કામ પણ એકંદરે સારું છે.

મૂવી જોવી કે નહી?

સુભાષ કપૂરની રાઇટિંગ અને ડાયરેક્શન ખરેખર શાનદાર છે. તેમણે એક ગંભીર મુદ્દા પર મનોરંજક ફિલ્મ કેવી રીતે બનાવવી તે બતાવ્યું છે. તેમણે દરેક પાત્રનો યોગ્ય ઉપયોગ કર્યો છે. ટૂંકમાં આ ફિલ્મ એક શાનદાર ફિલ્મ છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">