AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ વચ્ચે સ્પર્ધા નક્કી, બંને કલાકારો નહીં બદલે રિલીઝ ડેટ

ફિલ્મની ડેટ એક સાથે નક્કી થયા પછી લોકોને અપેક્ષા હતી કે અક્ષય આ વખતે પણ આમિર ખાનની ફિલ્મ માટે તેની ફિલ્મની તારીખ બદલી શકે છે, પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આ બાબત નક્કી છે કે બંને કલાકારો રિલીઝ ડેટ બદલશે નહીં.

અક્ષય કુમારની 'રક્ષાબંધન' અને આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા' વચ્ચે સ્પર્ધા નક્કી, બંને કલાકારો નહીં બદલે રિલીઝ ડેટ
akshay kumar rakshabandhan and aamir khan laal singh chaddha will clash both the actors will not change the release date
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2022 | 6:00 PM
Share

આમિર ખાને (Aamir Khan) જ્યારે તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની (Laal Singh Chaddha) રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો ત્યારે બૉલીવુડમાં હલચલ મચી ગઈ હતી. કારણ કે તે તારીખે પહેલાથી જ બે મોટી ફિલ્મોની રીલીઝ ડેટ નક્કી હતી. પરંતુ આમિરે જાહેરાત સાથે એ પણ કહ્યું કે તેની વર્ષની સૌથી મોંઘી ફિલ્મ ‘આદિપુરુષ’ તે તારીખે રિલીઝ થશે નહીં. તેમણે ‘આદિપુરુષ’ની ટીમનો આભાર માન્યો હતો. આદિપુરુષની ડેટ શિફ્ટ થવાથી આમિર માટે ઘણી રાહતની બાબત હતી પરંતુ હજુ પણ તે તારીખે અક્ષય કુમાર (Akshay Kumar) સાથે તેની ટક્કર થવાની છે. તેઓ આનાથી અજાણ નહીં હોય. આ ફિલ્મની ડેટ એક સાથે નક્કી થયા પછી લોકોને અપેક્ષા હતી કે અક્ષય આ વખતે પણ આમિર ખાનની ફિલ્મ માટે તેની ફિલ્મની તારીખ બદલી શકે છે, પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આ બાબત નક્કી છે કે બંને કલાકારો રિલીઝ ડેટ બદલશે નહીં.

અક્ષય કુમારની ફિલ્મ માટે આ રિલીઝ ડેટ એકદમ પરફેક્ટ છે

અહેવાલ અનુસાર, તેણે એક પોર્ટલને કહ્યું છે કે, અક્ષય કુમારની રિલીઝ ડેટ ન બદલવાના ઘણા કારણો છે. પહેલું એ કે તે રક્ષાબંધન પર જ તેની ફિલ્મના ટાઈટલ પ્રમાણે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પણ આ જ વિષય પર આધારિત છે. બીજું, આ ફિલ્મને રક્ષાબંધનની સાથે ઈન્ડિપેન્ડન્સ વીકએન્ડ પણ મળશે. જેનો પૂરો ફાયદો ફિલ્મને મળે તેવી શક્યતા છે. બીજી તરફ, કારણ જણાવવામાં આવ્યું છે કે અક્ષય પણ તેની ફિલ્મની સફળતાને લઈને સકારાત્મક છે પણ  નુકસાન થશે કે ફાયદો તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આમિરની ફિલ્મ પહેલા ‘KGF 2’ સાથે ટકરાઈ હતી

આમિર ખાને થોડા દિવસો પહેલા એક નોટીસ જાહેર કરી હતી. જેની જાહેરાતની સાથે થેંક્યુ નોટ કહી શકાય. કારણ કે તેમાં ‘આદિપુરુષ’ની ટીમનો આભાર માન્યો હતો. આમિરની ફિલ્મ અગાઉ ‘KGF ચેપ્ટર 2’ સાથે રિલીઝ થવાની હતી. સાઉથ સ્ટાર વિજયની ‘બીસ્ટ’ પણ આ જ દિવસે રિલીઝ થવાની છે.

આ વર્ષે એટલી હરીફાઈ છે કે આવી અથડામણો પણ વધુ જોવા મળશે. હવે 14 એપ્રિલે શાહિદ કપૂરની ‘જર્સી’ પણ ‘KGF 2’ સાથે ટકરાઈ રહી છે. હવે કોઈ તારીખ ફિલ્મ રીલીઝ માટે સુરક્ષિત નથી. દરેક જગ્યાએ મજબૂત સ્પર્ધા છે.

આ પણ વાંચો: સાચી ઘટનાઓ પર બની છે Netflixની આ 5 વેબ સીરીઝ, ક્રાઈમ-થ્રિલર અને બોલ્ડ સીન્સ જોઈને તમને પણ થશે આશ્ચર્ય

આ પણ વાંચો: Bollywood News : મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલાની જાહેરાત ન કરવા તંબાકૂ વિરોધી જૂથોએ કરી અપીલ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">