777 Charlie Review : ફિલ્મ ‘777 ચાર્લી’ પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચેના સંબંધને દર્શાવે છે, જાણો કેવી છે ફિલ્મની સ્ટોરી
ફિલ્મ '777 ચાર્લી' (Film 777 Charlie)દર્શકોના દિલ જીતી લીધા છે, જાણો સાઉથ સ્ટાર રક્ષિત શેટ્ટીની ફિલ્મની કેવી છે સ્ટોરી
સ્ટારકાસ્ટ : ચાર્લી (વંડર ડૉગ) રક્ષિત શેટ્ટી, સંગીતા શ્રૃંગેરી, રાજ બી શેટ્ટી, દાનિશ સૈત, બૉબી સિંહા
નિર્દેશક : કિરનરાજ કે
લેખક : કિરનરાજ કે-સંજય ઉપાધ્યાય
નિર્માતા : રક્ષિત શેટ્ટી અને જી.એસ ગુપ્તા
રિલીઝ તારીખ : 10 જૂન 2022
રેટિંગ : 3/5
777 Charlie Review: સાઉથની ફિલ્મોની બોલબાલા હાલમાં ચાલી રહી છે, અભિનેતા (Rakshit Shetty)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 777 ચાર્લી 10 જૂનના રોજ રિલીઝ થઈ ચૂકી છે, ફિલ્મની સ્ટોરી માનવ અને જાનવરોના સંબંધો પર આધારિત છે, ફિલ્મને કન્નડ, હિંદી, તેલુગુ અને તમિલ સિવાય મલયાલમ ભાષામાં થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી છે, ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની કહાની દર્શકોના મનને સ્પર્શી ગઈ છે. રક્ષિત શેટ્ટી અભિનીત ફિલ્મ 777 ચાર્લી (777 Charlie )માનવ અને જાનવરો સાથે જોડાયેલા એક મુદો ઉઠાવે છે, જેના પર સામાન્ય માણસની નજર જાય છે.
કેવી છે ફિલ્મની સ્ટોરી
જાનવરો અને માનવના સંબંધો પર અમુક જ ફિલ્મો બની રહી છે. રાજેશ ખન્નાની હાથી મેરે સાથી, જાનવર અને માનવ, ગાય અને ગૌરી જેવી તમામ હિંદી ફિલ્મો બનાવવામાં આવી છે. ફિલ્મ 777 ચાર્લીની સ્ટોરી પણ કાંઈક આવી જ છે. આ ફિલ્મ માનવ અને એક કુતરાના સંબંધને દર્શાવે છે, ફિલમની સ્ટોરી મહાભારતના યુધિષ્ઠિર અને તેમની સાથે સ્વર્ગ પહોંચેલા એક કુતરા પર છે. ફિલ્મમાં રક્ષિત નામ ધર્મરાજાના નામ પર ધરમ છે. ફિલ્મની સ્ટોરી મહાભારત સાથે પ્રેરિત છે, મહાભારતમાં જેવી રીતે ધર્મરાજ, કુતરાને સ્વર્ગ લઈ જાય છે. તેવી જ રીતે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે, કુતરો, ધરમને સ્વર્ગનો અહેસાસ કરાવે છે, અભિનેતા પહેલીવાર કોઈ પૈન ઈન્ડિયા ફિલ્મમાં જોવા મળી રહ્યો છે, ફિલ્મને લઈ તેમના ખુબ વખાણ થઈ રહ્યા છે.
કેવું છે ફિલ્મનું નિર્દ્શન
ફિલમના લેખક અને નિર્દેશક કિરનરાજનું છે,ફિલ્મ કિરિક પાર્ટીમાં કિરનરાજ ફિલ્મનું ડાયરેક્શન ટીમનો ભાગ હતો. જ્યાં તેમની મુલાકાત રક્ષિત શેટ્ટી સાથે થાય છે, ત્યારબાદ બંન્ને સાથે સારી મિત્રતા થઈ જાય છે, મીડિયા રિપોર્ટસ મુજબ આ દરમિયાન રક્ષિતે કિરનરાજને ફિલ્મ 777 ચાર્લીને ડાયરેક્ટ કરવાની જવાબદારી આપવામાં આવી. નિર્દેશક કિરનરાજની આ બીજી ફિલ્મ છે. ડાયરેક્શનની વાત કરીએ તો તેમણે કલાકારોને એક્સપ્રેસ કરવાની ત્તક આપી છે ફિલ્મ થોડી લાંબી છે,પરંતુ ફિલ્મ જોવાનો તમને કંટાળો આવશે નહિ
ફિલ્મની સિનેમૈટોગ્રાફી ફાડું છે
ફિલ્મની સિનેમેટોગ્રાફી શાનદાર છે. ટીમનું કામ જબરદસ્ત છે. જેના સિનેમૈટોગ્રાફર અરવિંદ એસ કશ્યપ છે. અરવિંદે આખી ફિલ્મમાં પાત્રોની સાથે-સાથે આસપાસના વાતાવરણને પણ ખુબસુરતથી કેમેરામાં કેદ કરવામાં આવી છે.