AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ પણ ના છોડયું કામ, એક્ટ્રેસે કામ અને બાળકને લઈને તોડયું મૌન

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને (Malaika Arbaaz Marriage) વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ પણ ના છોડયું કામ, એક્ટ્રેસે કામ અને બાળકને લઈને તોડયું મૌન
ડાબેથી મલાઈકા અરોરા, અરહાન ખાન અને અરબાઝ ખાન ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 1:21 PM
Share

જ્યારે મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાનનો (Arbaaz Khan) પુત્ર 19 વર્ષનો થયો ત્યારે બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 1998માં લગ્ન કર્યા હતા, વર્ષ 2017માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તે જ સમયે મલાઈકા તેની લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ અને અરબાઝે જીવન પોતાની રીતે જીવવાનું શરૂ કર્યું. જ્યારે મલાઈકાએ અરબાઝ સાથે લગ્ન કર્યા તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી અને તે સમયે એક્ટ્રેસની ઘણી માંગ હતી. પરંતુ કરિયરની ટોચ પર મલાઈકાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. પછી ટૂંક સમયમાં તેને એક બાળક પણ થયું અને અરહાન ખાન અરબાઝ અને મલાઈકાના જીવનમાં આવ્યો હતો.

મલાઈકા અરોરાએ તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે લગ્ન કર્યા હતા

મલાઈકાએ હાલમાં જ પોતાના લગ્ન અને પછી એક બાળક હોવાની વાત કરી હતી. નમ્રતા ઝકારિયાના પોડકાસ્ટમાં મલાઈકાએ જણાવ્યું હતું કેમ વહેલા લગ્ન કરવાથી તેની કારકિર્દીમાં કેવી રીતે ફરક પડ્યો છે! મલાઈકાએ કહ્યું- ‘તે મારો નિર્ણય હતો અને આ બધું મારી કારકિર્દીમાં ક્યારેય અડચણ નહોતું. હું આનો પુરાવો છું. આ મારી પસંદગી હતી. પરિણીત વ્યક્તિ હોવાને કારણે અથવા જ્યારે હું પરિણીત હતી અથવા જ્યારે મેં નક્કી કર્યું કે મારે બાળક જોઈએ છે. મેં આ વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું ન હતું, તે માત્ર બન્યું અને તેનાથી પ્રોફેશનલ લાઈફમાં કોઈ ફરક પડ્યો નથી. તે સમયે મારી આસપાસના લોકો મને ઘણું કહેતા, મારા મનમાં ઘણું બધું મૂકવાનો પ્રયત્ન કર્યો પણ મેં મારી કારકિર્દી વિશે કશું સાંભળ્યું નહીં.

ગર્ભાવસ્થામાં પણ ઘણું કામ કર્યું

મલાઈકાએ આગળ કહ્યું- ‘પહેલા એવું નહોતું કે કોઈ મહિલાએ લગ્ન અને બાળકો સાથે કામ કરવું જોઈએ, તે ખૂબ જ ઓછું હતું. પરંતુ આજે આમાં મોટો ફેરફાર થયો છે. મહિલાઓ પણ લગ્ન કરી રહી છે. બાળકોની પણ કાળજી લે છે અને કામ પણ કરે છે. ગર્ભાવસ્થામાં પણ કામ કરે છે. હવે સમગ્ર ખ્યાલ બદલાઈ ગયો છે. પરંતુ આ બધું પહેલા નહોતું. આવી સ્થિતિમાં, મેં નક્કી કર્યું કે હું આ બધું મારા પર હાવી થવા દઈશ નહીં, હું મારી જાતને દુઃખી નહીં કરીશ. હું જે ઈચ્છું તે કરીશ. શું કરવું તે હું મારી જાતને રોકીશ નહીં. મેં મારી ગર્ભાવસ્થા દરમિયાન પણ કામ કર્યું હતું. હું MTV પર હતી અને મેં શો કર્યા. જ્યારે હું ગર્ભવતી હતી ત્યારે મેં ઘણી મુસાફરી કરી હતી.

એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું કે, ‘હું હંમેશા ગ્લેમરસ અભિગમ સાથે આવી હતી. લોકો ઘણીવાર લગ્ન અને બાળક પછી સ્વિચ કરે છે. પરંતુ મેં મારી જૂની વાતો છોડી નથી, જાતે જ આગળ વધી અને મારા કામને મારી સાથે આગળ ધપાવ્યો, હું ખૂબ જ ખુશ છું કે મેં તે કર્યું.’ જણાવી દઈએ કે, મલાઈકાનો દીકરો અરહાન ખાન વિદેશમાં અભ્યાસ કરે છે અને હાલમાં ભારતમાં છે. આવી સ્થિતિમાં મલાઈકા તેના પુત્ર સાથે સમય વિતાવી રહી છે.

આ પણ વાંચો : આર્મી ડોગને માત્ર બોમ્બની ગંધ જ નથી આવતી પરંતુ આ 9 વસ્તુઓની પણ કરે છે શોધ, કેવી હોય છે આ ખાસ કૂતરાઓની ટ્રેનિંગ

આ પણ વાંચો : Budget 2022: સામાન્ય બજેટથી કૃષિ ક્ષેત્રને આ છે અપેક્ષાઓ, સરકાર ધ્યાન આપે તો બદલાઈ શકે છે પરિસ્થિતિ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">