ભારતના રાષ્ટ્રપતિ (President Ram Nath Kovind) રામ નાથ કોવિંદે તાજેતરમાં ઘણા પ્રતિભાશાળી લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ યાદીમાં કર્ણાટકની (Karnataka) ટ્રાન્સજેન્ડર ફોક ડાન્સર મંજમ્મા જોગાથી (Manjamma Jogathi) પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે મંજમ્મા પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા છે જેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
મંજમ્માને એવોર્ડથી સન્માનિત કરવા પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા છે. કેટલાક નેટીઝન્સે દાવો કર્યો છે કે સરકાર LGBTQ સમુદાયના સભ્યોનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે. હવે કંગના રનૌત, જે પોતે આ સન્માનથી સમ્માનિત થઈ છે, તેણે આ મુદ્દે વાત કરી છે.
કંગનાએ આપ્યો સપોર્ટ
ઈન્સ્ટાગ્રામ પર પોતાની વાત રાખતા કંગનાએ કહ્યું કે રાષ્ટ્રવાદ લિંગ અને ધર્મ બતાવતો નથી. તે વ્યક્તિની પોતાની પ્રામાણિકતા અને પાત્ર વિશે છે.
પદ્મશ્રી મળ્યા બાદ કંગનાએ કહ્યું કે ઘણા વર્ષો પહેલા જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી હતી. તો એક પ્રશ્ન મને ખૂબ પરેશાન કરતો હતો. હું મારી જાતને પૂછતી હતી કે કેટલાક લોકોને પૈસા જોઈએ છે, કોઈને પ્રસિદ્ધિ જોઈએ છે અને કોઈકને અટેન્શન જોઈએ છે, તો મારે શું જોઈએ છે? પરંતુ હું જાણતી હતી કે મારામાં એક છોકરી છે જે સન્માન મેળવવા માંગે છે. આપ સૌ તરફથી મળેલી આ ભેટ માટે હું આપ સૌની આભારી છું.
કંગના સોશિયલ મીડિયા પર દરેક મુદ્દા પર કંઈક એવુ કહી જાય છે કે પછી તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, આ દરમિયાન જ્યારે કંગનાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, લોકો મને વારંવાર પૂછે છે કે આ બધું કરીને મને શું મળશે? હું આ બધું કેમ કરું? આ તમારું કામ નથી. તો આ એવોર્ડ એ બધા પ્રશ્નોના જવાબ છે. મને પદ્મશ્રીના રૂપમાં જે સન્માન મળ્યું છે, તેનાથી ઘણા લોકોના મોં બંધ થઈ જશે.
કંગનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો થોડા દિવસો પહેલા તેની ફિલ્મ થલાઈવી રિલીઝ થઈ હતી જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હવે કંગના તેજસ, ધાકડ અને ઈન્દિરા ગાંધી પર બનેલી ફિલ્મોમાં જોવા મળશે.
આ પણ વાંચો – Malala Yousafzai: નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈએ બર્મિંગહામમાં લગ્ન કર્યા, પરિવાર સાથે ફોટા શેર કર્યા
આ પણ વાંચો – પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ