AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lock Upp : પાયલ રોહતગી અને અલી મર્ચન્ટ સામે હાર્યા બાદ કરણવીર બોહરા શોમાંથી OUT, જાણો કોને મળ્યા સૌથી વધુ વોટ

(Lock Upp)માં દરરોજ એક નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે શોમાં અચાનક આવેલા જેલર કરણ કુન્દ્રાએ કરણવીર બોહરા (Karanvir Bohra) અલી મર્ચન્ટ અને પાયલ રોહતગીને લઈને મોટો નિર્ણય લીધો હતો.

Lock Upp : પાયલ રોહતગી અને અલી મર્ચન્ટ સામે હાર્યા બાદ કરણવીર બોહરા શોમાંથી OUT, જાણો કોને મળ્યા સૌથી વધુ વોટ
પાયલ રોહતગી અને અલી મર્ચન્ટ સામે હાર્યા બાદ કરણવીર બોહરા શોમાંથી OUTImage Credit source: instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 6:40 PM
Share

Lock Upp : સ્પર્ધક કરણવીર બોહરા ફરી એકવાર કંગના રનૌત(Kangana Ranaut)ના રિયાલિટી શો ‘લોક અપ’માંથી બહાર થઈ ગયો છે. આ પહેલા પણ એકવાર કરણ શોમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ તે નિર્ણય જનતાનો નહીં પરંતુ શોમાં વાઈલ્ડ કાર્ડ તરીકે આવેલા વિનીત કક્કર અને જીશાન ખાનનો હતો. જોકે, આ વખતે કરણવીરને ઓછા પબ્લિક વોટના કારણે શોને અલવિદા કહેવું પડ્યું છે. કરણવીર બોહરા(Karanvir Bohra)ની સાથે પાયલ રોહતગી અને અલી મર્ચન્ટને પણ પરિવારના સભ્યોએ બહાર થવા માટે નોમિનેટ કર્યા હતા.

આ ત્રણેયના નામ પસંદ કરનાર અન્ય કોઈ નહીં પણ કોમેડિયન મુનાવર ફારુકી (Munawar Faruqui) હતા. તેણે કહ્યું કે તમામ સ્પર્ધકોમાં, આ ત્રણ કેદીઓ લોકોના સૌથી ઓછા પ્રિય ખેલાડીઓ હતા.

જેલર કરણ કુન્દ્રાએ આ ત્રણ ખેલાડીઓને અન્ય તમામ સ્પર્ધકોથી દૂર તેમની સામે ઊભા રહેવાનો આદેશ આપ્યો. કરણવીર બોહરા, પાયલ રોહતગી અને કરણ કુન્દ્રાને જેલર કરણ કુન્દ્રાએ પૂછ્યું હતું કે ‘તેમના મતે શોમાંથી કોણ બહાર રહેશે?’ જોકે, ત્રણમાંથી કોઈની પાસે જવાબ નહોતો. કરણવીરનું માનવું હતું કે જે રીતે પાયલના વખાણ થઈ રહ્યા છે, તેને જોઈને લાગે છે કે પબ્લિકે તેને ઘણા વોટ આપ્યા હશે, પરંતુ પાયલે કરણની વાત પર વિશ્વાસ ન કર્યો.

પાયલને કરણવીર કરતા વધુ વોટ મળ્યા હતા

કરણવીર બોહરા, પાયલ રોહતગી અને અલી મર્ચન્ટને મળેલા વોટના આંકડા જાહેર કરતા કરણ કુન્દ્રાએ કહ્યું કે જનતાએ કરણવીર બોહરાને 23 હજાર 997 વોટ આપ્યા છે. તો પાયલ રોહતગીને 29 હજાર 484 વોટ મળ્યા છે.

અલી મર્ચન્ટને સૌથી વધુ મત મળ્યા હતા

કરણવીર બોહરા અને પાયલ રોહતગીને મળેલા વોટ જોઈને અલી મર્ચન્ટે મન બનાવી લીધું હતું કે તેને આ બંને કરતા ઓછા વોટ મળવાના છે અને તે શોમાંથી બહાર થઈ જશે. જો કે, જનતાએ તેમના માટે 70 હજારથી વધુ મત આપ્યા ત્યારે તેમને એક મોટું આશ્ચર્ય થયું.જોકે, કરણના બહાર જવાથી તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.

આ પણ વાંચો :

ખેડૂતોને સરળતાથી ખાતર અને બિયારણ ઉપલબ્ધ કરાવવા રાજ્યો કેન્દ્ર સાથે મળીને કામ કરે: કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">