કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ

કંગના રનૌત કોર્ટમાં હાજર થવાથી સહમત નથી અને તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મેજિસ્ટ્રેટ દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. હવે કંગના આ મામલાને બોમ્બે હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે.

કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ
javed-kangana ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:35 AM

કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બિનજામીનપાત્ર અરજીને 4 જાન્યુઆરીના રોજ મુંબઈની કોર્ટ ( Mumbai court) ફગાવી દીધી હતી. માનહાનિના કેસમાં આ અરજી પીઢ લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) દ્વારા અભિનેત્રી વિરુદ્ધ ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2021માં દાખલ કરવામાં આવી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન કંગના ફરી એકવાર કોર્ટમાં હાજર રહી ન હતી. 4 જાન્યુઆરીના રોજ 10મી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને સુનાવણી માટે મુક્તિ આપી હતી, કારણ કે તેના વકીલે કોર્ટને કહ્યું હતું કે અભિનેત્રીની તબિયત સારી નથી. જોકે, જાવેદ અખ્તરના વકીલે કંગનાને આપવામાં આવેલી છૂટ પર કોર્ટમાં પોતાનો વાંધો નોંધાવ્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવારે યોજાયેલી સુનાવણી દરમિયાન, કંગના રનૌત તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ અભિનેત્રીની હાજરીમાંથી મુક્તિ માંગી હતી અને કહ્યું હતું કે કંગના ખરાબ હવામાનમાં મુસાફરી કરી રહી હતી અને તે તબિયત સારી નથી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે અભિનેત્રીએ પહેલેથી જ કહ્યું હતું કે તેની અરજી તેના વકીલ દ્વારા દાખલ કરી શકાય છે અને તેથી તેની હાજરી ખરેખર જરૂરી નથી. કંગનાના વકીલ રિઝવાનને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, પ્રક્રિયા અનુસાર ફરિયાદી દ્વારા આરોપી વ્યક્તિ સુનાવણી માટે હાજર રહે.

જાવેદ અખ્તરના વકીલ જયએ વાંધો ઉઠાવ્યો હતો

રિઝવાનની વાત સાંભળ્યા બાદ કોર્ટે કંગનાને મંગળવારની સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. જોકે, જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે આ છૂટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે છેલ્લી સુનાવણી દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે સુનાવણીની તારીખ આજે એટલે કે 4 જાન્યુઆરીએ થશે અને કંગના રનૌતને પહેલાથી જ ખબર હતી કે તેણે હાજર થવું પડશે. જાવેદ અખ્તર પોતે મંગળવારે કોર્ટમાં હાજર હતા, કારણ કે તે સામાન્ય રીતે સુનાવણીની મોટાભાગની તારીખે હાજર રહે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જય ભારદ્વાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે મામલો માત્ર કંગના રનૌતની અરજી રેકોર્ડ કરવા માટે અટકી ગયો છે અને તે હાજર ના રહેવાથી તે રેકોર્ડ કરવામાં આવી રહી નથી.

તમને જણાવી દઈએ કે કંગના રનૌત કોર્ટમાં હાજર થવાથી સહમત નથી અને તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મેજિસ્ટ્રેટ દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. પોતાની પહેલી અરજીમાં કંગનાએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી કે જાવેદ અખ્તરની ફરિયાદ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. જોકે, તેને ફગાવી દેવામાં આવ્યો હતો. તેણી તેની વિનંતી સાથે દિંડોશી કોર્ટમાં પણ ગઈ હતી, પરંતુ તે ફરીથી નકારી કાઢવામાં આવી હતી. આ પછી હવે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ મંગળવારે કોર્ટને કહ્યું કે કંગના રનૌત હવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરશે.

આ પણ વાંચો : અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ તરીકે અતુલ કેશપની નિયુક્તિ, કહ્યું બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને કરશે મજબૂત

આ પણ વાંચો : 1200 બાળકોની માતા અને ખ્યાતનામ કાર્યકર્તા પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું નિધન, લાંબા સમયથી હતા હોસ્પિટલમાં ભરતી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">