AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ

કંગના રનૌત કોર્ટમાં હાજર થવાથી સહમત નથી અને તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મેજિસ્ટ્રેટ દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. હવે કંગના આ મામલાને બોમ્બે હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારી કરી રહી છે.

કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ
javed-kangana ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 9:35 AM
Share

કંગના રનૌત (Kangana Ranaut) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બિનજામીનપાત્ર અરજીને 4 જાન્યુઆરીના રોજ મુંબઈની કોર્ટ ( Mumbai court) ફગાવી દીધી હતી. માનહાનિના કેસમાં આ અરજી પીઢ લેખક જાવેદ અખ્તર (Javed Akhtar) દ્વારા અભિનેત્રી વિરુદ્ધ ગયા મહિને એટલે કે ડિસેમ્બર 2021માં દાખલ કરવામાં આવી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન કંગના ફરી એકવાર કોર્ટમાં હાજર રહી ન હતી. 4 જાન્યુઆરીના રોજ 10મી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને સુનાવણી માટે મુક્તિ આપી હતી, કારણ કે તેના વકીલે કોર્ટને કહ્યું હતું કે અભિનેત્રીની તબિયત સારી નથી. જોકે, જાવેદ અખ્તરના વકીલે કંગનાને આપવામાં આવેલી છૂટ પર કોર્ટમાં પોતાનો વાંધો નોંધાવ્યો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવારે યોજાયેલી સુનાવણી દરમિયાન, કંગના રનૌત તરફથી હાજર રહેલા એડવોકેટ રિઝવાન સિદ્દીકીએ અભિનેત્રીની હાજરીમાંથી મુક્તિ માંગી હતી અને કહ્યું હતું કે કંગના ખરાબ હવામાનમાં મુસાફરી કરી રહી હતી અને તે તબિયત સારી નથી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે અભિનેત્રીએ પહેલેથી જ કહ્યું હતું કે તેની અરજી તેના વકીલ દ્વારા દાખલ કરી શકાય છે અને તેથી તેની હાજરી ખરેખર જરૂરી નથી. કંગનાના વકીલ રિઝવાનને સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું કે, પ્રક્રિયા અનુસાર ફરિયાદી દ્વારા આરોપી વ્યક્તિ સુનાવણી માટે હાજર રહે.

જાવેદ અખ્તરના વકીલ જયએ વાંધો ઉઠાવ્યો હતો

રિઝવાનની વાત સાંભળ્યા બાદ કોર્ટે કંગનાને મંગળવારની સુનાવણીમાં હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી. જોકે, જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે આ છૂટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે છેલ્લી સુનાવણી દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે સુનાવણીની તારીખ આજે એટલે કે 4 જાન્યુઆરીએ થશે અને કંગના રનૌતને પહેલાથી જ ખબર હતી કે તેણે હાજર થવું પડશે. જાવેદ અખ્તર પોતે મંગળવારે કોર્ટમાં હાજર હતા, કારણ કે તે સામાન્ય રીતે સુનાવણીની મોટાભાગની તારીખે હાજર રહે છે.

જય ભારદ્વાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ટ્રાયલમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે મામલો માત્ર કંગના રનૌતની અરજી રેકોર્ડ કરવા માટે અટકી ગયો છે અને તે હાજર ના રહેવાથી તે રેકોર્ડ કરવામાં આવી રહી નથી.

તમને જણાવી દઈએ કે કંગના રનૌત કોર્ટમાં હાજર થવાથી સહમત નથી અને તેણે એવો પણ આરોપ લગાવ્યો કે મેજિસ્ટ્રેટ દ્વારા તેને હેરાન કરવામાં આવી રહી છે. પોતાની પહેલી અરજીમાં કંગનાએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી કે જાવેદ અખ્તરની ફરિયાદ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. જોકે, તેને ફગાવી દેવામાં આવ્યો હતો. તેણી તેની વિનંતી સાથે દિંડોશી કોર્ટમાં પણ ગઈ હતી, પરંતુ તે ફરીથી નકારી કાઢવામાં આવી હતી. આ પછી હવે કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ મંગળવારે કોર્ટને કહ્યું કે કંગના રનૌત હવે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કરશે.

આ પણ વાંચો : અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ તરીકે અતુલ કેશપની નિયુક્તિ, કહ્યું બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને કરશે મજબૂત

આ પણ વાંચો : 1200 બાળકોની માતા અને ખ્યાતનામ કાર્યકર્તા પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું નિધન, લાંબા સમયથી હતા હોસ્પિટલમાં ભરતી

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">