AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કંગના રનૌત સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે!’, નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી

કંગના રનૌતનું નામ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood) ઘણા વિવાદો સાથે સતત જોડાયેલું રહે છે. થોડા સમય પૂર્વે, કંગના રનૌત અને નવાઝુદ્દીન સિદ્દીકી વચ્ચે અણબનાવ થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જો કે, હવે નવાઝુદ્દીને આ અફવા પર તેની પ્રતિક્રિયા આપી છે.

'કંગના રનૌત સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે!', નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી
Kangana Ranaut & Nawazuddin Siddiqui (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 5:59 PM
Share

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui) ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru Film) ટૂંક સમયમાં લોકપ્રિય OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કંગના રનૌતે પ્રોડ્યુસ કરી છે. દબંગ પ્રકારનું વ્યક્તિત્વ હોવા ઉપરાંત, કંગના રનૌત એ એક સ્પષ્ટવક્તા અભિનેત્રી પણ છે. અગાઉ, જ્યારે કંગના રનૌતે ફિલ્મ ‘મણિકર્ણિકા’માં કામ કર્યું હતું, તે સમયે ફિલ્મ નિર્દેશક સાથે અને પછી કો-સ્ટાર સોનુ સૂદ સાથેના અણબનાવના સમાચાર પણ સામે આવ્યા હતા. તાજેતરમાં, નવાઝુદ્દીન સિદ્દીકી વિશે એવા અહેવાલો હતા કે અભિનેતા કહે છે કે ‘કંગના રનૌત સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે’.

નવાઝુદ્દીન સિદ્દીકીએ અવનીત કૌર સાથે આ તસવીર શેર કરી છે

View this post on Instagram

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

નવાઝુદ્દીન સિદ્દીકીએ આપી પ્રતિક્રિયા, કહ્યું કંગના રનૌત કેવી નિર્માતા છે

હવે નવાઝુદ્દીન સિદ્ક્કીએ આ વાયરલ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી છે. નવાઝુદ્દીને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, કંગના મારા માટે શ્રેષ્ઠ નિર્માતાઓમાંની એક છે. કંગના સાથે મુશ્કેલ કામ કરવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા અભિનેતાએ કહ્યું કે, ”હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ખોટા સમાચાર ફેલાવે છે. એવું બિલકુલ નથી. આ અહેવાલોમાં કોઈપણ પ્રકારની સત્યતા જ નથી.”

નવાઝુદ્દીને કંગનાને ‘અદ્ભુત છોકરી’ કહી છે

સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતા નવાઝુદ્દીને કહ્યું કે, ”તેની સાથે કામ કરીને બહુ મજા આવી. કંગના ખૂબ જ અદ્ભુત છોકરી છે.” નવાઝે આગ કહ્યું કે, ”તે મારી પ્રોડ્યુસર રહી છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો તેના જેવા ફિલ્મ નિર્માતા છે. જો મેં આ કોન્સેપ્ટ સાથે કંગના સાથે કામ કર્યું હોત તો આવું બિલકુલ ન થાત. શેનો ડર? તેણી એક અદ્ભુત અભિનેત્રી છે, એક મહાન નિર્માતા છે.”

‘હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કાચા કાનવાળા લોકો છે’

નવાઝુદ્દીને આગળ કહ્યું કે, ”જ્યારે તમે ખોટી વાતો વિશે સાંભળ્યું હશે, તો પછી તમે મારા વિશે પણ ઘણી બધી વાતો સાંભળી હશે. પરંતુ તમે જાણો છો કે હું ખરેખર કેવો વ્યક્તિ છું. આ બધું એટલા માટે છે કારણ કે, બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં લોકો કાચા કાનના છે. જે અફવા ફેલાવવામાં આવે છે તેને લોકો ખૂબ જ સરળતાથી સ્વીકારી લે છે. ચાલો તેના કરતા એક સત્ય તરીકે સમાચારો જાણીએ.”

જો કે, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં નવાઝુદ્દીન ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં નવાઝના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. નવાઝ અને ટાઈગર ઉપરાંત આ ફિલ્મમાં તારા સુતારિયા પણ મેઈન લીડમાં છે.

Follow Us
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
g clip-path="url(#clip0_868_265)">