AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય

શહેનાઝ ગિલે (Shehnaaz Gill) દિલજીત દોસાંજ અને સોનમ બાજવા સાથે 'હોંસલા રખ'ને પ્રમોટ કરવા માટે ત્રણ વીડિયોમાં અભિનય કર્યો છે, જે 15 ઓક્ટોબર, 2021 ના ​​રોજ રિલીઝ થશે.

શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય
Shahnaz Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 7:07 PM
Share

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)ના નિધન બાદ શહેનાઝ ગિલે (Shehnaaz Gill) તેના ચાહકો અને સોશિયલ મીડિયાથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી હતી. જો કે, હવે તે ધીમે ધીમે સામાન્ય જીવનમાં પરત આવવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે તેમણે પોતાની આગામી ફિલ્મ ‘હોંસલા રખ’ (Honsla Rakh)ને પ્રમોટ કરવાની હતી. આવી સ્થિતિમાં એવા અહેવાલો છે કે તે હંમેશા માટે મુંબઈ છોડી રહી છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી.

તાજેતરમાં એક વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે શહેનાઝે મુંબઈને કાયમ માટે છોડી દેવાની યોજના બનાવી છે. આ કારણે સિડનાઝના ચાહકો તેના વિશે ખૂબ જ પરેશાન થઈ ગયા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અફવાઓ અને અહેવાલોમાં કોઈ સત્ય નથી. આ વાયરલ વીડિયો એક યુટ્યુબ ચેનલ દ્વારા બનાવવામાં આવ્યો છે, જે આવા અડધા-અધુરા વીડિયો માટે જાણીતો છે.

શહેનાઝ લાંબા સમય બાદ સેટ પર પહોંચી

છેલ્લા કેટલાક દિવસોથી શહેનાઝે દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને સોનમ બાજવા (Sonam Bajwa) સાથે ‘હોંસલા રખ’ને પ્રમોટ કરવા માટે ત્રણ વીડિયોમાં અભિનય કર્યો છે, જે 15 ઓક્ટોબર, 2021ના ​​રોજ રિલીઝ થશે. સનાને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં સેટ પર પહોંચેલી શહનાઝના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોઈ શકાય છે. જોકે તે હસવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ચાહકોએ તરત જ તેમની આંખોમાં નિરાશા અનુભવી.

કામની પ્રતિબદ્ધતા પૂરી કરવા લંડન ગઈ છે શહનાઝ

સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ બિગ બોસ 13 (Bigg Boss 13)માં મળ્યા હતા અને ટૂંક સમયમાં તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. આ બંને આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર 3 સપ્ટેમ્બરે તેમના પરિવાર, મિત્રો અને શહેનાઝની હાજરીમાં કરવામાં આવ્યા હતા. તેઓ માત્ર 40 વર્ષના હતા. હોંસલા રખ દશેરા (15 ઓક્ટોબર)ના અવસર પર રિલીઝ થઈ રહી છે અને શહનાઝ 7 ઓક્ટોબરના રોજ લંડન જવા રવાના થઈ હતી.

આ પણ વાંચો :- સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત

આ પણ વાંચો :- નાનપણથી જ સાંભળી છે ‘સરદાર ઉધમ’ની વાર્તા, વિક્કી કૌશલે કહ્યું – ટ્રેલર જોઈને ભરાઈ આવી હતી પિતાની આંખોવકીલાત

Follow Us
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
સિંહબાળના મોતનો આંકડો વધતા વન વિભાગ એલર્ટ, વનતારાની ટીમ પણ પહોંચી
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
મુન્દ્રામાં ઝડપાયેલા કોકેઈન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલરની આશંકા
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
g clip-path="url(#clip0_868_265)">