AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ડિયન આઈડોલ-12ના પવનદિપને થયો કોરોના, શુ શો થશે બંધ ?

આદિત્ય નારાયણ (Aditya Narayan)ને કોરોના પોઝીટીવ થયા બાદ, ઈન્ડિયન આઈડોલના સેટ ઉપર સાવચેતી વધારવામાં આવી છે. જેના ભાગરૂપે જ ઈન્ડિયન આઈડોલ-12ના સ્પર્ધકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

ઈન્ડિયન આઈડોલ-12ના પવનદિપને થયો કોરોના, શુ શો થશે બંધ ?
ઈન્ડિયન આઈડોલ-12ના સ્પર્ધક પવનદિપને થયો કોરોના
| Updated on: Apr 07, 2021 | 6:07 PM
Share

ટેલિવીઝનની મનોરંજન ચેનલ ઉપરથી પ્રસારીત થતા રિયાલીટી શો ( Reality Show) ઈન્ડિયન આઈડોલ-12 ( Indian Idol 12) ના દર્શકો માટે ખરબા સમાચાર આવ્યા છે. આધારભૂત સૂત્રોની વાત માનીએ તો, ઈન્ડિયન આઈડોલના સ્પર્ધક પવનદિપ રાજનને ( Pawandeep Rajan ) કોરોના થયો છે. આ શોના એન્કર આદિત્ય નારાયણને ( Aditya Narayan)કોરોના પોઝીટીવ થયા બાદ ઈન્ડિયન આઈડોલના સેટ ઉપર વધારે સાવચેતી અને સાવધાની રાખવામાં આવી રહી હતી. જેના ભાગરૂપે રોજબરોજ સ્પર્ધકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં, ઈન્ડિયન આઈડોલનો ટોપ-9 સ્પર્ધકમાં આવી ગયેલા પવનદિપનો કોવિડ19 (Covid19)ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. પવનદિપનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.

ઈન્ડિયન આઈડોલ-12નું શુ થશે ? પવનદિપને કોરોના થવાથી એ સવાલ ઊભો થાય છે કે, શુ પવનદિપની સાથે રહેલા તમામ સ્પર્ધકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવે છે કે પછી શોનુ શુટીગ ચાલુ રાખવામા આવશે ? ઈન્ડિયન આઈડોલના જજ હિમેશ રેશમિયા ( himesh reshmiya), નેહા કક્કર ( neha kakkar) અને વિશાલ દદલાનીના ( vishal dadlani) પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શો ઉપર ગેસ્ટ તરીકે આવનાર તમામને સેફ્ટી પ્રોટોકોલમાંથી પસાર થવુ પડે છે. પાછલા હપ્તાઓમાં ગેસ્ટ તરીકે બોલીવુડની જાજરમાન અભિનેત્રી રેખા ( rakha) આવી હતી.

કોરોનાથી નથી બચી શક્યા સિતારાઓ જો કે ટેલિવીઝન ચેનલ દ્વારા અત્યાર સુધી આ બાબતે સત્તાવાર રીતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે નથી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યુ. ઈન્ડિયન આઈડોલ પહેલા ડાંસ દિવાનેના સેટ પર ત્રણ સ્પર્ધકોને કોરોના પોઝીટીવ થયો છે. દેશભરમાં કોરોનાના કેસ દિનબદિન વધી રહ્યાં છે. તેનાથી મનોરંજનની દુનિયા પણ બાકાત નથી રહી શકી. પાચલા દિવસોમા બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર (akshay kumar), આલિયા ભટ્ટ (aliya bhatt), રુપાલી ગાંગુલી (rupali ganguli), સીમા પાહવા ( seema pahwa), વિક્કી કૌશલ ( vikki kaushal), ભૂમિ પેડનકર ( bhumi pedankar) જેવા જાણીતા ચહેરાઓને કોરોના પોઝીટીવ થયો છે.

આ સપ્તાહે ગેસ્ટ તરીકે આવશે એ આર રહેમાન ઈન્ડિયન આઈડોલના આ સપ્તાહના અંતે રજુ થનારા એપિસોડમાં ગેસ્ટ તરીકે જાણીતા સંગીતકાર એ આર રહેમાન (A R Rahman) આવશે. એ આર રહેમાન સાથે ઈન્ડિયન આઈડોલ-12નુ શુટીગ પુરુ થઈ ગયુ છે. એટલુ જ નહી ઈન્ડિયન આઈડોલના સ્પર્ધક આશીષ કુલકર્ણીએ (ashish kulkarni) ગાયેલા ગીત ઉપર ખુશ થયેલા એ આર રહેમાને તાલની કેસેટ ઉપર પોતાની સહી કરીને યાદગીરી રૂપે આશિષને આપી હતી. જે આ સપ્તાહે જોઈ શકાશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">