AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Kabir Bedi : થિએટરથી કરિયરની શરૂઆત કરનાર કબીર બેદીએ બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી મચાવી છે ધમાલ

કબીર બેદી (Kabir Bedi) ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્ટર પૈકી એક છે જેમણે હિન્દી ફિલ્મોથી શરૂઆત કરી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું અને યુરોપમાં સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે.

Happy Birthday Kabir Bedi : થિએટરથી કરિયરની શરૂઆત કરનાર કબીર બેદીએ બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી મચાવી છે ધમાલ
Kabir Bedi ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 7:54 AM
Share

કબીર બેદીને ( Kabir Bedi ) આજે કોણ નથી ઓળખતું. તે એક મહાન અભિનેતા અને વોઈસ આર્ટિસ્ટ પણ છે. કબીર બેદી તેમના ભારે અવાજ માટે પણ જાણીતા છે. કબીર બેદી વિશે એક વાત કદાચ તમે નહીં જાણતા હોય કે તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇટાલીમાં પણ એક્ટિવ છે. કબીર બેદી બોલિવૂડ ફિલ્મોમાં વિલનના રોલ માટે જાણીતા છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મોમાં ‘ખૂન ભરી માંગ’, ‘મોહેંજો દાડો’, ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ મુખ્ય છે.

કબીર બેદીએ ભારતીય થિયેટરથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેઓ હિન્દી ફિલ્મો તરફ વળ્યા. કબીર બેદી એવા કલાકારો પૈકી એક છે જેમણે હોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. હલચલ , સીમ, સજા, ઇશ્ક ઇશ્ક ઇશ્ક, અશાંતિ, કચ્ચે ધાગે, ખૂન ભરી માંગ, મેરા શિકાર, આખરી કસમ, કુર્બાન, યલગાર, મોહન-જોદરો, મેં હૂં ના, કાઇટ્સ, શબ બીવી અને ગેંગસ્ટર વગેરે તેની સફળ ફિલ્મો છે.

શીખ પરિવારમાં થયો હતો જન્મ

કબીર બેદીનો જન્મ 16 જાન્યુઆરી 1946ના રોજ એક શીખ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બાબા પ્યારે લાલ સિંહ બેદી છે જેઓ પંજાબી શીખ, લેખક અને ફિલોસોફર પણ હતા. તેમની માતાનું નામ ફ્રેડી બેદી છે, જે એક બ્રિટિશ મહિલા હતી. તેની માતાનો જન્મ ઇંગ્લેન્ડના ડર્બીમાં થયો હતો. કબીર બેદીએ ઉત્તરાખંડના નૈનીતાલની શેરવુડ કોલેજ અને સ્ટીફન કોલેજમાંથી શાળાનું શિક્ષણ મેળવ્યું હતું અને દિલ્હીથી ગ્રેજ્યુએશન કર્યું હતું.

કબીર બેદીએ ચાર લગ્ન કર્યા છે, જેની સાથે તેમને ત્રણ બાળકો છે – પૂજા, સિદ્ધાર્થ અને એડમ. તમને જણાવી દઈએ કે કબીર બેદીએ પહેલા લગ્ન પ્રોતિમા બેદી સાથે કર્યા હતા, જે ઓડિસી ડાન્સર હતી. કબીર-પ્રોતિમાની પુત્રી પૂજા બેદી છે, જે કટારલેખક છે. તેમનો બીજો પુત્ર સિદ્ધાર્થ કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે યુએસ ગયો હતો, જ્યાં તેને સ્કિઝોફ્રેનિયા બીમારી હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તેણે આત્મહત્યા કરી હતી.

70માં જન્મદિવસે પરવીન સાથે લગ્ન કર્યા

પ્રોતિમા સાથે લગ્ન કર્યા બાદ કબીર બેદી અને બોલિવૂડ એક્ટ્રેસ પરવીન બાબીના લવ અફેરની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. આ સમાચાર તે સમયે ચર્ચાનો વિષય બન્યા હતા. વર્ષ 1990 માં કબીર બેદીએ ફરીથી નિક્કી બેદી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2005માં બંનેના છૂટાછેડા થઈ ગયા, ત્યારબાદ તેણે પરવીન દોસાંઝને ડેટ કરવાનું શરૂ કર્યું અને તેણે તેના 70માં જન્મદિવસે પરવીન સાથે લગ્ન કર્યા. પરવીન કબીરથી 29 વર્ષ નાની છે અને અભિનેતા આફતાબ શિવદાસાનીની પત્ની નિન દોસાંજની બહેન છે.

કબીર બેદીએ પોતાની કરિયર ભારતીય થિયેટરથી શરૂ કરી હતી, ત્યારબાદ તેઓ બોલિવૂડ ફિલ્મો તરફ વળ્યા હતા. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે કબીર બેદી ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય કલાકારો પૈકી એક છે જેમણે હિન્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કર્યું, હોલીવુડની ફિલ્મોમાં કામ કર્યું અને યુરોપમાં એક મહાન સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે.

આ પણ વાંચો : બોલીવુડની આ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર બદલી દીધું નામ, સોશિયલ મીડિયામાં મચી ધમાલ

આ પણ વાંચો : Aamir Khan પૂર્વ પત્ની કિરણની ફિલ્મને પ્રોડ્યૂસ કરશે , ધોબીઘાટ પછી ફરી એકવાર નિર્દેશનમાં વાપસી કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">