AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi : અજય દેવગનના પાત્ર ‘કરીમ લાલા’ની જોરદાર ઝલક જોવા મળી, ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકામાં દેખાયા

અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી 50 સેકન્ડનો આ ગ્લિમ્પ્સ વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે ઈમાન, ધરમ, બિઝનેસ, અમે 6 દિવસમાં આવી રહ્યા છીએ.

Gangubai Kathiawadi : અજય દેવગનના પાત્ર 'કરીમ લાલા'ની જોરદાર ઝલક જોવા મળી, ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકામાં દેખાયા
Ajay Devgan's character 'Karim Lala'
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 10:02 PM
Share

આલિયા ભટ્ટ (Alia Bhatt)  તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને (Gangubai Kathiawadi)  લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેનું મોટું કારણ એ છે કે તે આ ફિલ્મમાં મજબૂત ભૂમિકા ભજવતી જોવા મળશે. આ સાથે  તે સંજય લીલા ભણસાલીની ભવ્યતાની લગામ પણ સંભાળી રહી છે. આ ફિલ્મની એક મોટી હાઈપ અજય દેવગણનું પાત્ર ‘કરીમ લાલા’ છે. આ પાત્રના મહત્વને સમજીને, તેના નિર્માતાઓએ એક ગ્લીમ્પ્સ વીડિયો જાહેર કર્યો છે. જેમાં અજય દેવગનનું (Ajay Devgn) આ પાત્ર બતાવવામાં આવ્યું છે. આ પાત્રની ઝલકથી ઘણી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે. પહેલું એ કે આ ફિલ્મમાં અજય દેવગન સપોર્ટિંગ રોલમાં છે અને બીજી એ કે તે ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ પાત્ર એક અસહાય લાચાર મહિલાને શહેરની માફિયા રાણી બનવાની પ્રેરણા આપે છે. અજય દેવગનના આ પાત્રને જોઈને તેના ફેન્સ દીવાના થઈ જશે.

અજય દેવગણના પાત્ર ‘કરીમ લાલા’ની ઝલકનો વીડિયો અહીં જુઓ

View this post on Instagram

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય દેવગણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ 50 સેકન્ડની ઝલકનો વીડિયો શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે ઈમાન, ધરમ, ધંધા, આવી રહ્યા છીએ અમે 6 દિવસમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં. ફિલ્મમાં તેની હાજરી મોટી વાત છે. આ ફિલ્મને પણ તેનો ફાયદો મળશે. જો કે આ ફિલ્મ સંપૂર્ણ રીતે આલિયા ભટ્ટની છે પરંતુ અજય દેવગણનું પાત્ર પણ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે. નિર્દેશક સંજય લીલા ભણસાલીએ તેને ઘણી સ્પેસ આપી છે. બાકીની વાત તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આલિયા ભટ્ટ મુંબઈની માફિયા ક્વીનની ભૂમિકામાં છે

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મુંબઈની માફિયા ક્વીન ગંગુબાઈની વાર્તા પર આધારિત છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં આલિયા ભટ્ટ અને અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. સંજય લીલા ભણસાલી તેનું નિર્દેશન કરી રહ્યા છે. આ સિવાય આલિયા ભટ્ટ ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી અને રાનીની લવસ્ટોરી’માં જોવા મળશે. એકમાં રણબીર કપૂર સાથે અને બીજીમાં રણવીર સિંહ સાથે. બીજી તરફ, અજય દેવગન ટૂંક સમયમાં જ હોટસ્ટારના શો ‘રુદ્રા’ થી OTT પર સીરિઝ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે જ સમયે તેની ફિલ્મ ‘રનવે 34’ પણ એપ્રિલમાં રીલિઝ થાય તેવી શક્યતા છે. આ સાથે જ તેણે ‘દ્રશ્યમ 2’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો :  Drishyam 2: અજય દેવગન અને તબ્બુ સાથે ‘દ્રશ્યમ 2’માં સાથે જોવા મળશે અક્ષય ખન્ના, જાણો શું હશે તેનો રોલ ?

Follow Us
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
g clip-path="url(#clip0_868_265)">