શું રાજકારણમાં આવવા માંગે છે કંગના? જવાબ આપતા અભિનેત્રીએ ખુલ્લેઆમ કહી દીધી દિલની વાત

અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં ફિલ્મ થલાઇવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં, અભિનેત્રીએ ફિલ્મની રજૂઆત પહેલા રાજકારણમાં પ્રવેશ વિશે ખુલ્લેઆમ વાત કરી છે.

શું રાજકારણમાં આવવા માંગે છે કંગના? જવાબ આપતા અભિનેત્રીએ ખુલ્લેઆમ કહી દીધી દિલની વાત
Does Kangana Ranaut want to get into politics know what the actress answered to this question
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:10 AM

કંગના રનૌત (Kangana Ranaut) જેને બોલિવૂડની (Bollywood) ક્વીન કહેવામાં આવે છે, તે તેના ફેન્સના દિલોમાં પણ ક્વીન બનીને રહે છે. નેશનલ અવોર્ડ વિનર કંગનાએ તેની દરેક ફિલ્મોથી ચાહકોમાં ઊંડી છાપ છોડી છે. આવી સ્થિતિમાં હવે ફરી એકવાર કંગના તેના ફેન્સને દિવાના બનાવવા માટે તૈયાર છે. કંગનાની ફિલ્મ થલાઇવી 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.

આવી સ્થિતિમાં તેની ફિલ્મ થલાઇવીની રિલીઝના પહેલા, કંગના રનૌતે એક પ્રેસ કોન્ફરન્સ માટે દિલ્હીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, અભિનેત્રી કેટલાક રાજકારણીઓને પણ મળી છે, જેમના સાથેના ફોટા સાથે તે હવે છવાયેલી છે.

અભિનેત્રીએ રાજકારણ પર કરી વાત

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે રાજકારણમાં (Kangana Ranaut Politics) આવવાનું વિચારી રહી છે, તો કંગનાએ કહ્યું, “હું હંમેશા દેશ માટે બોલું છું, તેથી લોકોને વારંવાર લાગે છે કે હું રાજકારણ માટે બોલું છું. કદાચ એક જ વાત છે, પણ મારા માટે એક નથી. કારણ કે હું રાજકારણી નથી, હું એક જવાબદાર નાગરિક તરીકે બોલું છું. લોકોના ટેકાના કારણે હું જ્યાં પણ પહોંચી છું, ત્યારે હું લોકો અને દેશ માટે બોલું છું.”

એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે મારે રાજકારણમાં જોડાવું છે કે નહીં, તે મારો નિર્ણય નહીં હોય. લોકોના સમર્થન વગર તમે પંચાયતની ચૂંટણી પણ જીતી શકતા નથી. અત્યારે મને લાગે છે કે હું એક અભિનેત્રી તરીકે સારી છું અને હું ખૂબ ખુશ છું. પણ હા જો કાલે લોકો મને રાજકારણી તરીકે જોવા માંગતા હશે અને જો હું લોકો દ્વારા ચૂંટવામાં આવે છે તો મને ચોક્કસ ગમશે.

કંગનાએ ફિલ્મ વિશે વાત કરી

આવી પરિસ્થિતિમાં લોકોને ફિલ્મનું સમર્થન કરવાનું કહેતા અભિનેત્રીએ કહ્યું કે, જેણે પણ થલાઇવીનું (Thalaivi) ટ્રેલર જોયું છે, તેણે અભિનેતામાંથી રાજકારણી બનેલી જે જયલલિતાની ભૂમિકામાં તેના ખૂબ વખાણ કર્યા છે. અભિનેત્રીએ કહ્યું છે કે તમિલનાડુના લોકો પણ હવે કહી રહ્યા છે કે મારાથી વધુ સારી રીતે અમ્માની ભૂમિકા અન્ય કોઈ ભજવી શકે તેમ નથી અને આ મારા માટે મોટી સિદ્ધિ છે.

અભિનેત્રીએ વધુમાં કહ્યું છે કે શરૂઆતમાં જ્યારે મારી આ ભૂમિકા કરવા માટે ટીકા કરવામાં આવી હતી, ત્યારે મને આશ્ચર્ય થયું કે શું હું કોઈ ભૂલ કરી રહી છું? કંગનાએ કહ્યું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને કેટલાક મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એક અભિનેત્રી તરીકે તેણે બધું હેન્ડલ કર્યું.

કંગનાએ જણાવ્યું કે ‘આ ફિલ્મ જયા માના જીવનના 16 વર્ષથી 42 વર્ષ રજૂ કરે છે. જ્યારે લગભગ દોઢ વર્ષમાં અમે આ ફિલ્મનું શૂટિંગ કર્યું તે દરમિયાન મેં 20 કિલો વજન વધાર્યું હતું. અભિનેત્રીએ આગળ જણાવ્યું છે કે મારું કોલેસ્ટ્રોલ લેવલ ઘણું ઊંચું હતું અને તે વજન સાથે ડાન્સ કરવાથી મને પીઠ અને ઘૂંટણમાં દુખાવો થયો હતો.

આ પણ વાંચો: ખુલાસો: કેમ થયા રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘બૈજુ બાવરા’ માંથી બહાર?

આ પણ વાંચો: Antim: ફિલ્મનું પહેલું ગીત ‘વિઘ્નહર્તા’ થયું રિલીઝ, ગણપતિની ધૂન પર નાચવા માટે આવ્યા સલમાન, આપુષ સાથે વરુણ

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">