ખુલાસો: ‘Airlift’ માટે પહેલી પસંદ નહોતા અક્ષય કુમાર, આ દિવંગત અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા ફિલ્મ નિર્માતાઓ

નિખિલે રાજા મેનન સાથે વાત કરી અને પછી અક્ષય કુમાર (Akshay Kumar) ને આ ફિલ્મ માટે સાઇન કરવામાં આવ્યા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત નિમરત કૌર પણ મહત્વની ભૂમિકામાં હતી.

ખુલાસો: ‘Airlift’ માટે પહેલી પસંદ નહોતા અક્ષય કુમાર, આ દિવંગત અભિનેતાને કાસ્ટ કરવા માંગતા હતા ફિલ્મ નિર્માતાઓ
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 6:14 PM

આ દિવસોમાં, બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) એક પછી એક ઘણા પ્રોજેક્ટ સમાપ્ત કરી રહ્યા છે. અક્ષય કુમારના ખાતામાં ઘણી ફિલ્મો છે, જેની તેમના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમાર, જે આ દિવસોમાં નિર્માતાઓ અને દિગ્દર્શકોની પ્રથમ પસંદગી છે, થોડા વર્ષો પહેલા તેમની સાથે આવું નહોતું. તાજેતરમાં જ ધ્યાનમાં આવ્યું છે કે અક્ષય કુમાર ફિલ્મ ‘એરલિફ્ટ’ (Airlift) માટે પહેલી પસંદ નહોતા. ફિલ્મ નિર્માતાઓ આ માટે ઇરફાન ખાન (Irrfan Khan) ને સાઇન કરવા માંગતા હતા.

તાજેતરમાં ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણીએ આ વાતનો ખુલાસો કર્યો હતો. નિખિલે એક સાઈટ સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે અક્ષય કુમારને અગાઉ એરલિફ્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે આ ફિલ્મ માટે ઈરફાન ખાન પહેલી પસંદગી હતી, પરંતુ અક્ષય કુમારે ખુદ તેના માટે સંપર્ક કર્યો હતો અને આ ફિલ્મનો ભાગ બનવાની વિનંતી કરી હતી.

અક્ષયે પોતે એરલિફ્ટ માટે સંપર્ક કર્યો હતો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

નિખિલે કહ્યું કે હું એક વખત અક્ષય કુમારને એક ફિલ્મની વાર્તા સંભળાવા ગયો હતો અને તેમણે તરત જ તેને ના કહી દીધી હતી. તેમણે કહ્યું કે આ મારા માટે નથી. આ પછી તેમણે મને પૂછ્યું કે હું બીજા કયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. મેં કહ્યું કે બીજી ફિલ્મ છે, પણ હું તેને ડિરેક્ટ કરી રહ્યો નથી. રાજા મેનન એક દિગ્દર્શક છે, તે કરશે અને આ એક સાચી ઘટના પર આધારિત ફિલ્મ છે. તેનું નામ એરલિફ્ટ છે.

ફિલ્મ નિર્માતાએ આગળ કહ્યું કે બીજા દિવસે સવારે તેમણે મને કહ્યું કે તમે મને આ ફિલ્મ કેમ નથી ઓફર કરતા. આના પર મેં તેમને કહ્યું કે કારણ કે આ તમે ક્યારેય ન કરત. તેમાં કોઈ ગીત નથી. દિગ્દર્શકની અગાઉની ફિલ્મ બારહ આના આવી હતી, જેના વિશે કોઈ પૂછતું નથી. રાજા પણ ઈચ્છે છે કે ઈરફાન તેનો ભાગ બને. આ પછી તેમણે મને કહ્યું કે પ્લીઝ તમે એકવાર તેમની સાથે એકવાર વાત કરો, હું ખરેખર આ ફિલ્મ કરવા માંગુ છું.

ત્યારબાદ નિખિલે રાજા મેનન સાથે વાત કરી અને પછી અક્ષય કુમારને આ ફિલ્મ મા)ટે સાઇન કરવામાં આવ્યા. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત નિમરત કૌર (Nimrat Kaur) પણ મહત્વની ભૂમિકામાં હતી.

અત્યારે અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમણે તાજેતરમાં આનંદ એલ રાયની ફિલ્મ રક્ષાબંધન (Raksha Bandhan)નું શૂટિંગ પૂરું કર્યું છે. તેમની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ સિવાય અક્ષરકુમારના ખાતામાં અતરંગી રે (Atrangi Re), પૃથ્વીરાજ (Prithviraj), બચ્ચન પાંડે (Bachchan Pandey), સિન્ડ્રેલા (Cinderella) અને રામ સેતુ (Ram Setu) જેવી ફિલ્મો સામેલ છે.

આ પણ વાંચો :- Balika Vadhu: ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોર નાની ઉંમરે બની નિર્માતા, કહ્યું હવે હું વધુ વિનમ્ર બની ગઈ છું

આ પણ વાંચો :- Anushka Sharmaએ પુત્રી વામિકા સાથે શેર કર્યો ખાસ ફોટો, લખી હૃદય સ્પર્શી પોસ્ટ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">