AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sholay : ઠાકુરનો રોલ કરવા માંગતો હતો ધર્મેન્દ્ર, વાંચો ફિલ્મ શોલે સાથે જોડાયેલી કેટલીર રસપ્રદ વાતો

આ ફિલ્મ સલીમ ખાન અને જાવેદ અખ્તરે લખી હતી, જેઓ તે સમયે સલીમ-જાવેદના નામથી ફિલ્મો લખતા હતા. આ માટે તેમને 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. 1970ના દાયકામાં આ બહુ મોટી રકમ હતી.

Sholay : ઠાકુરનો રોલ કરવા માંગતો હતો ધર્મેન્દ્ર, વાંચો ફિલ્મ શોલે સાથે જોડાયેલી કેટલીર રસપ્રદ વાતો
10 unheard stories of film Sholay
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 8:10 PM
Share

રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત શોલે હિન્દી સિનેમાની ઐતિહાસિક ફિલ્મ છે. ‘શોલે’એ સિનેમા નિર્માણને નવી દિશા આપી. આ ફિલ્મ બે મિત્રો જય (Amitabh Bachchan) અને વીરુ (Dharmendra) ની વાર્તા છે જેમને ઠાકુર (Sanjeev Kumar) દ્વારા ડાકુ ગબ્બર સિંહ સાથે બદલો લેવા માટે રાખવામાં આવે છે. લોકોને ફિલ્મથી લઈને એક એક સીનના દરેક ડાયલોગ યાદ છે.

આવી યાદગાર ફિલ્મ બનાવનાર રમેશ શિપ્પી આજે 23 જાન્યુઆરીએ તેમનો 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે ‘શોલે’ની કેટલીક એવી વાતો જણાવીએ જેના વિશે ભાગ્યે જ લોકો જાણતા હોય.

1 ‘શોલે’ મુંબઈના મિનર્વા થિયેટરમાં 1975 થી 1980 સુધી સતત 5 વર્ષ સુધી ચાલી. આના પરથી અંદાજો લગાવી શકાય છે કે દર્શકો ફિલ્મ માટે કેટલી હદે ગાંડા હતા.

2. આ ફિલ્મ સલીમ ખાન અને જાવેદ અખ્તરે લખી હતી, જેઓ તે સમયે સલીમ-જાવેદના નામથી ફિલ્મો લખતા હતા. આ માટે તેમને 10 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. 1970ના દાયકામાં આ બહુ મોટી રકમ હતી.

3. ધર્મેન્દ્ર આ ફિલ્મમાં ઠાકુરની ભૂમિકા ભજવવા માંગતો હતો. ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ તેને લાગ્યું કે તેની વાર્તા ઠાકુર અને ગબ્બરની આસપાસ ફરે છે. દિગ્દર્શક રમેશ સિપ્પીએ તેને ખૂબ જ હોશિયારીથી સમજાવ્યો. રમેશ સિપ્પીએ ધર્મેન્દ્રને કહ્યું કે જો સંજીવ કુમાર વીરુનું પાત્ર ભજવશે તો ફિલ્મના અંતમાં હેમા માલિની તેની સાથે હશે. તે સમયે ધર્મેન્દ્ર હેમા માલિનીના પ્રેમમાં હતો. બીજી તરફ સંજીવ કુમારે પહેલા જ હેમાને પ્રપોઝ કર્યું હતું. તેને હેમા સાથે સમય પસાર કરવાનો વધુ મોકો મળતો.

4. બહુ ઓછા લોકો જાણતા હશે કે જયના ​​રોલ માટે શત્રુઘ્ન સિન્હા પ્રથમ પસંદગી હતા, જે રોલ બાદમાં અમિતાભ બચ્ચને કર્યો હતો.

5. સલીમ ખાને જયના ​​પાત્ર માટે અમિતાભ બચ્ચનનું નામ સૂચવ્યું હતું. સલીમ ખાન ફિલ્મ ‘જંજીર’ દરમિયાન અમિતાભ બચ્ચનને મળી ચૂક્યા હતા. સાથે જ ધર્મેન્દ્રએ પણ અમિતાભના નામની ભલામણ કરી હતી.

6. ફિલ્મનો સીન જેમાં જયા બચ્ચન દીવો પ્રગટાવે છે અને અમિતાભ બચ્ચન માઉથ ઓર્ગન વગાડે છે તેને શૂટ કરવામાં 20 દિવસનો સમય લાગ્યો હતો. વાસ્તવમાં, રમેશ શિપ્પી અને સિનેમેટોગ્રાફર દ્વારકા દિવેચા ફિલ્મના તે દ્રશ્યમાં સૂર્યાસ્ત અને રાત્રિ વચ્ચેની થોડી મિનિટો બતાવવા માંગતા હતા.

7. ગબ્બરની ભૂમિકા માટે સૌપ્રથમ ડેની ડેન્ઝોંગપાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે તે સમયે અફઘાનિસ્તાનમાં ‘ધર્માત્મા’ કરી રહ્યો હતો જેના કારણે તેણે આ ફિલ્મનો ઇનકાર કર્યો હતો.

8. ગબ્બરની ભૂમિકાએ ગભરાટ પેદા કર્યો હતો અને આજે પણ તેના ડાયલોગ્સ હિટ છે. તમને નવાઈ લાગશે કે ફિલ્મમાં ગબ્બરના માત્ર 9 સીન છે.

9. સલીમ ખાનના પિતા પોલીસમાં હતા, તેમણે તેમને ગબ્બર નામના લૂંટારાની વાર્તા કહી જે કૂતરા પાળતો અને પોલીસનું નાક કાપી નાખતો. આ રીતે તેનું નામ ગબ્બર સિંહ પડ્યું.

10. શોલે એ સમયની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક હતી. પહેલા તેનું બજેટ અંદાજે 1 કરોડ હતું પરંતુ બાદમાં તે 3 કરોડ સુધી પહોંચી ગયું.

આ પણ વાંચો –

Lata Mangeshkar Love story: શું આ કારણે લતાજી ન કરી શક્યા લગ્ન ? આ ક્રિકેટર સાથે પ્રેમ હતો, પણ રહ્યો અધૂરો

આ પણ વાંચો –

Pushpa : Oo Antavaમાં ધૂમ મચાવ્યા બાદ શું સામંથા વિજય દેવરકોંડાની ‘લાઇગર’માં પણ કરશે ડાન્સ નંબર ?

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">