AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush and Aishwarya Rajnikanth : છૂટાછેડા પછી એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા, જાણો શું છે આખો મામલો?

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે સોશિયલ મીડિયા દ્વારા તેમના અલગ થવાની માહિતી આપી હતી. રિપોર્ટ્સનું માનીએ તો બંને હૈદરાબાદની એક હોટલમાં રોકાયા છે.

Dhanush and Aishwarya Rajnikanth : છૂટાછેડા પછી એક જ હોટલમાં રોકાયા ધનુષ અને ઐશ્વર્યા, જાણો શું છે આખો મામલો?
Dhanush and Aishwarya ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 1:45 PM
Share

સાઉથના સુપરસ્ટાર ધનુષ (Dhanush) અને ઐશ્વર્યા રજનીકાંતે (Aishwarya Rajnikanth) થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી. બંનેએ પોતાના સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું હતું કે અમે અલગ થઈ રહ્યા છીએ અને અમારા નિર્ણયનું સન્માન કરીએ છીએ. દંપતીના છૂટાછેડા પર ધનુષના પિતાએ તેને પારિવારિક ઝઘડો ગણાવ્યો હતો. આ સાથે તેણે છૂટાછેડાના સમાચારોને ફગાવ્યા હતા. હજુ સુધી આ મામલે રજનીકાંતના પરિવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ હૈદરાબાદની એક હોટલમાં રોકાયા છે.

ધનુષ અને ઐશ્વર્યા હૈદરાબાદની રામોજી રાવ સ્ટુડિયો હોટલમાં રોકાયા છે. આ હોટલમાં ઘણીવાર ફિલ્મ સ્ટાર્સ રોકાયા છે. રિપોર્ટ્સ અનુસાર, ધનુષ અને ઐશ્વર્યા અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો ધનુષ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તે જ સમયે, ઐશ્વર્યા એક પ્રેમ ગીતનું નિર્દેશન કરી રહી છે. જેમાં છોકરી સાઉથ સુપરસ્ટારની દીકરી છે અને છોકરો મુંબઈનો છે. 25 જાન્યુઆરીએ આ ગીત ફ્લોર પર આવશે. આ ગીત વેલેન્ટાઈન ડે માટે છે. આ ગીત 3 દિવસમાં શૂટ કરવામાં આવશે.

ધનુષ અને ઐશ્વર્યાએ પાંચ દિવસ પહેલા તેમના છૂટાછેડાની માહિતી આપી હતી અને હવે બંને તેમની પ્રોફેશનલ લાઈફ પર ફોકસ કરી રહ્યા છે. ધનુષે સોશિયલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી હતી.

એક્ટરે સોશિયલ મીડિયા પર લખ્યું, “18 વર્ષથી અમે મિત્રો, કપલ, એકબીજાના શુભચિંતકો અને માતાપિતા તરીકે સાથે હતા. અમારી સફર વધવા, સમજવા, એડજસ્ટ અને એડપટ કરવાની રહી છે. આજે આપણે એ જગ્યાએ ઉભા છીએ જ્યાંથી આપણો સંબંધ અલગ છે. ઐશ્વર્યા અને મેં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા નિર્ણયનો આદર કરો અને અમને તેમાંથી બહાર આવવા માટે સમય આપો.” આ સમાચાર જાણ્યા પછી ફેન્સને ખૂબ જ આઘાત લાગ્યો હતો. 18 નવેમ્બર 2004ના રોજ, ધનુષ અને ઐશ્વર્યાએ સાત ફેરા લીધા. બંનેના લગ્ન ખૂબ જ ભવ્ય હતા જેમાં સાઉથના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

આ પણ વાંચો : Fighter : દીપિકા પાદુકોણ હૃતિક રોશન સાથે કામ કરવા માટે ઉત્સાહિત, કહ્યું- હંમેશા તેની સાથે…

આ પણ વાંચો : Happy Birthday Ramesh Sippy : ‘શોલે’ પછી એવી બીજી કોઈ ફિલ્મ ના બનાવી શક્યા રમેશ સિપ્પી, હવે છે ફિલ્મોથી દૂર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">