AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તારી જિંદગી પાર્ટી અને છોકરીઓ જ હતી, મારી તો માત્ર તું’- જિયા ખાનની સુસાઈડ નોટમાં હતી આ વાતો, આજે આવશે ચુકાદો

Jiah Khan Suicide Suicide Letter: જિયા ખાને આત્મહત્યા પહેલા એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે પોતાની સાથે થયેલા ત્રાસ અને વિશ્વાસઘાત વિશે ખુલ્લેઆમ લખ્યું હતું. આત્મહત્યા પહેલા, જિયા પ્રેમમાં મળેલા વિશ્વાસઘાતથી સંપૂર્ણપણે ભાંગી પડી હતી. વાંચો પત્રમાં શું લખ્યું હતું.

તારી જિંદગી પાર્ટી અને છોકરીઓ જ હતી, મારી તો માત્ર તું'- જિયા ખાનની સુસાઈડ નોટમાં હતી આ વાતો, આજે આવશે ચુકાદો
jiah khan (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 8:51 AM
Share

Jiah Khan Suicide Case: અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં આજે ચુકાદો આવશે. મુંબઈની કોર્ટ આ 10 વર્ષ જૂના કેસમાં સૂરજ પંચોલીને સજા અથવા નિર્દોષ છોડવાનો ચુકાદો સંભળાવી શકે છે. જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. જિયા ખાને આત્મહત્યા પહેલા એક મોટો પત્ર લખ્યો હતો, જેમાં સૂરજ પંચોલી પર પ્રેમમાં છેતરપિંડી અને ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જિયા ખાને આ પત્રમાં કહ્યું હતું કે, તારી જિંદગી છોકરીઓ અને પાર્ટી હતી, પણ મારી જિંદગી તો ફક્ત તું જ હતો.

જિયા ખાને આત્મહત્યા પહેલા લખેલા પત્રમાં તેના પર ત્રાસ, બળાત્કાર અને મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ પત્ર વાંચીને તમે સમજી શકશો કે આત્મહત્યાના સમયે જિયા ખાન પ્રેમમાં સંપૂર્ણપણે ભાંગી ગઈ હતી. તે મુશ્કેલ સમયમાં પોતાની જાતને સંભાળવી તેના માટે મુશ્કેલ બની રહી હતી.

આત્મહત્યા પહેલા જિયા ખાનનો પત્ર

‘મને ખબર નથી કે તને આ કેવી રીતે કહું, પણ હું અત્યારે કહું છું કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. તમે આ વાંચી રહ્યા છો ત્યાં સુધીમાં હું કદાચ ગઈ હોઈશ. અથવા માત્ર મારા છેલ્લા શ્વાસ ચાલતા હશે. હું અંદરથી તૂટી ગઈ છું. તને ખબર નથી કે તેં મને એ સ્તરે પ્રભાવિત કર્યો છે કે હું મારી જાતને પ્રેમમાં ખોઈ બેઠી છું. તેમ છતાં તું મને રોજ ત્રાસ આપે છે.

મેં કોઈને આટલો પ્રેમ અને કાળજી નથી આપી, પણ તે મને છેતરી અને બદલામાં માત્ર મારી સાથે ખોટું બોલ્યો. મને પ્રેગ્નન્ટ થવાનો ડર હતો, પણ તમે મને રોજ જે દુંખ આપતા હતા તે મેં મારી જાતને આપી. મેં મારા આત્મા અને દરેક વસ્તુનો નાશ કર્યો. હું ખાઈ શકતી નથી, ઊંઘી શકતી નથી અને કોઈ કામ કરી શકતી નથી. હું આ બધી બાબતોથી દૂર જાઉં છું.

મને ખબર નથી કે ભાગ્ય શા માટે આપણને સાથે લાવ્યા. આટલી પીડા, બળાત્કાર, અત્યાચાર અને ત્રાસ સહન કર્યા પછી, મને લાગે છે કે હું તેને લાયક નથી. મેં તમારા તરફથી ક્યારેય કોઈ પ્રેમ અને પ્રતિબદ્ધતા જોઈ નથી. તમે મને માનસિક અને શારીરિક રીતે બહુ જ નુકસાન પહોંચાડ્યું છે. તમારું જીવન ફક્ત પાર્ટી અને છોકરીઓ હતી, પરંતુ મારું જીવન ફક્ત તમે અને મારું કામ હતું.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">