AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Organ Donation Day 2021: બિગ બીથી લઈને બજરંગી ભાઈજાન સુધી, જાણો બોલિવૂડના ક્યા કલાકારોએ કર્યું છે અંગદાન

વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમના અંગોનું દાન કરે છે. બોલિવૂડના જાણીતા કલાકારોના નામ પણ આ યાદીમાં સામેલ છે.

World Organ Donation Day 2021: બિગ બીથી લઈને બજરંગી ભાઈજાન સુધી, જાણો બોલિવૂડના ક્યા કલાકારોએ કર્યું છે અંગદાન
World Organ Donation Day 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 3:42 PM
Share

World Organ Donation Day 2021: વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાન માટે પ્રોત્સાહિત કરવાનો છે. સરળ શબ્દોમાં કહીએ તો અંગદાન એ પ્રક્રિયા છે જેના હેઠળ વ્યક્તિઓ તેમના અંગોનું દાન કરે છે. જીવંત અને મૃત અવસ્થામાં અંગોનું દાન કરવામાં આવે છે. અંગદાન કોઈપણ સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરી શકાય છે.

આમાં વ્યક્તિઓ સ્વેચ્છાએ તેમના અંગોનું દાન કરે છે. અંગદાનમાં વ્યક્તિઓ હૃદય, આંખો, યકૃત, હૃદય વાલ્વ, ચેતા, સ્વાદુપિંડ, નાના આંતરડા, ચામડી અને હાડકાની પેશીઓ જેવા અંગોનું દાન કરી શકે છે. આ અવયવો જરૂરિયાતમંદ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમના અંગોનું દાન કરે છે. બોલિવૂડના જાણીતા કલાકારોના નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમાંથી અમિતાભ બચ્ચનનું અને સલમાન ખાનનું નામ ટોચ પર છે. ચાલો જાણીએ બોલિવૂડ કલાકારો વિશે જેમણે અંગોનું દાન કર્યું છે.

અમિતાભ બચ્ચન

આ યાદીમાં સદીના મબાનાયક અમિતાભ બચ્ચનનું નામ સૌથી ઉપર છે. એક અહેવાલ પ્રમાણે બિગ બીએ પોતાની આંખોનું દાન કર્યું છે. બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને રાની મુખર્જી પણ આ યાદીમાં છે. તેણે પણ પોતાની આંખોનું દાન કર્યું છે.

આમિર ખાન

વર્તમાન સમયમાં આમિર ખાન છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. તેમની ગણતરી બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં થાય છે. વર્ષ 2014માં Maharashtra Cadaver Organ Donation Day નિમિત્તે આમિર ખાને અંગોનું દાન કર્યું હતું. આ અંગે ખાને કહ્યું છે કે, તેમણે આંખો, લીવર, કિડની, આંતરડા, ફેફસાં, હૃદય, સ્વાદુપિંડ વગેરે જેવા મહત્વના અંગોનું દાન કર્યું છે.

સલમાન ખાન

મળતા અહેવાલ સમાચાર સલમાન ખાને પણ બોન મેરોનું દાન કર્યું છે. સાથે જ સલમાન પોતાના ચાહકો અને સામાન્ય લોકોને અંગોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અભિનેતા રણવીર સિંહ અને આર. માધવને પણ તેમના અંગોનું દાન કર્યું છે. અંગદાન એક મહાન દાન છે. આ માટે દાન કરો. ઉપરાંત તમારી આસપાસના લોકોને અંગોનું દાન કરવા પ્રોત્સાહિત કરો.

આ પણ વાંચો: New Delhi: દેશમાં આંતરિક મુસાફરી થઈ મોંધી, આજથી રાષ્ટ્રીય ફ્લાઇટની ટિકિટોના દરમાં 12.5% વધારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">