Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘હુનરબાઝ’ના સેટ પર ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડવા લાગી પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ

પરિણીતી ચોપરા (Parineeti Chopra) હવે ફિલ્મ નિર્માતા કરણ જોહર અને પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે ટેલેન્ટ રિયાલિટી શો 'હુનરબાઝ'ને જજ કરશે.

'હુનરબાઝ'ના સેટ પર ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડવા લાગી પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ
Parineeti Chopra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:45 PM

પરિણીતી ચોપરા (Parineeti Chopra) હવે ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) અને પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે ટેલેન્ટ રિયાલિટી શો ‘હુનરબાઝ’ને (Hunarbaaz) જજ કરશે. શોના એક પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે મુંબઈમાં એક સ્પર્ધકના સંઘર્ષની વાર્તા સાંભળીને પરિણીતી ભાવુક થઈ જાય છે.

ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?
આ કોરિયોગ્રાફરની માસિક આવક 2 કરોડ રૂપિયાથી વધુ છે, જુઓ ફોટો
Waqf Meaning: વક્ફનો અર્થ શું છે, આ શબ્દ ક્યાંથી આવ્યો?
પિતૃદોષ હોય તો દેખાય છે આ સંકેત

વૂટે સોશિયલ મીડિયા પર આગામી એપિસોડનો પ્રોમો શેર કર્યો, જેમાં એક સ્પર્ધક સ્ટન્ટ્સ કરતો દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં ‘એ દિલ હૈ મુશ્કિલ’ ગીત વાગી રહ્યું છે. તે મુંબઈમાં તેના સંઘર્ષના દિવસો વિશે પણ વાત કરતો જોવા મળે છે. તે કહે છે, “મુંબઈ પહોંચ્યા પછી મેં ઘણો સંઘર્ષ કર્યો.

મારી પાસે રહેવા માટે જગ્યા ન હતી તેથી હું એક ઝાડ નીચે રહેતો હતો. મને આશા હતી કે કોઈ મને ખાવાનું આપશે અથવા કોઈ મને પૈસા આપશે જેથી હું ઘરે પાછો જઈ શકું.” આ બધી વાતો સાંભળીને પરિણીતી પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકી નહીં અને રડવા લાગી ત્યારબાદ જોહર તેને સાંત્વના આપતો જોવા મળ્યો હતો.

કરણે તાજેતરમાં શોનો બીજો પ્રોમો શેર કર્યો હતો, જેમાં તેણે પરિણીતી અને મિથુનને જજ તરીકે અને ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાને હોસ્ટ તરીકે રજૂ કર્યા હતા. તેણે તેને કેપ્શન આપ્યું, “દેશભરની પ્રતિભાઓ માટે એક ખુલ્લું પ્લેટફોર્મ. #hunarbaazdeshkishan”

View this post on Instagram

A post shared by Voot (@voot)

પરિણીતીએ ઈન્સ્ટાગ્રામ પર તેના ટીવી ડેબ્યુ વિશે એક નોંધ લખી છે. તેણે લખ્યું, “હું હંમેશાથી ટીવી પ્રત્યેના મારા પ્રેમથી વાકેફ છું. હું લાઈવ પ્રેક્ષકો સાથે સ્ટેજ પર સૌથી વધુ આરામદાયક છું અને લોકોને મળવાનું અને તેમની વાર્તાઓ સાંભળવાનું ઝનૂન રાખુ છું, તેથી ટીવી હંમેશા કુદરતી રીતે યોગ્ય લાગે છે.

હવે પડકાર માત્ર યોગ્ય શો શોધવાનો હતો. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે હું નિર્ણાયક ટેબલ પર જ્યુરીમાં દિગ્ગજ કલાકારો – કરણ અને મિથુન દા સાથે જોડાઈશ. હું તેમની સાથે આ પ્રવાસ પર જવા માટે ઉત્સાહિત છું.

આ પણ વાંચો – Lucknow: રક્ષાપ્રધાન રાજનાથ સિંહે બ્રહ્મોસ મિસાઈલ યુનિટનો શિલાન્યાસ કર્યો, કહ્યું ”એવી શક્તિ હોવી જોઈએ કે કોઈ નજર ઉઠાવીને પણ ન જુએ”

આ પણ વાંચો – IND vs SA: આફ્રિકાની બાદશાહત ખતમ કરવાનુ ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય, ફેન્સ બોલ્યા ‘કોહલી સેના તૈયાર, જીતેંગે આફ્રિકા અબ કી બાર’

g clip-path="url(#clip0_868_265)">