થલાપતિ વિજય લગ્નના 23 વર્ષ પછી લઈ રહ્યા છે છુટાછેડા? શા માટે લગાડવામાં આવી રહી છે અટકળો? જાણો સત્ય

લગ્નના 23 વર્ષ પછી વિજય થલાપતિ અને તેની પત્ની સંગીતા ડિવોર્સ લઈ રહ્યા છે. આ ન્યૂઝ આગની જેમ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. તો તેની પાછળનું સત્ય શું છે તે જાણો...

થલાપતિ વિજય લગ્નના 23 વર્ષ પછી લઈ રહ્યા છે છુટાછેડા? શા માટે લગાડવામાં આવી રહી છે અટકળો? જાણો સત્ય
Vijay Thalapathy sangeetha divorce
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 1:26 PM

સાઉથના સુપર સ્ટાર્સ વિજય તેની ફિલ્મ ‘વરિસુ’ માટે ચર્ચામાં છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફ અને પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. જ્યાં એક તરફ તેની પ્રોફેશનલ લાઈફની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ તેની પર્સનલ લાઈફને કારણે હમણાં ચર્ચામાં છે. ઈન્ટરનેટ પર એવા સમાચાર આવ્યા છે કે એક્ટર પણ સ્તબ્ધ છે. ઘણા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેની પત્નીને ડિવોર્સ આપવા જઈ રહ્યા છે. આ રિપોર્ટ આવતાની સાથે જ બધા પરેશાન છે અને અન્ય રિપોર્ટ તેને અફવા જણાવી રહ્યા છે.

ઘણા દિવસ પહેલા એવી અફવા હતી કે સંગીતાની સાથે થલાપતી વિજયના લગ્નમાં તિરાડ આવી ગઈ હતી અને તે બંને ડિવોર્સ તરફ આગળ વધી રહ્યા છે. એક્ટરની આવનારી ફિલ્મ, વારીસુના સંગીત લોન્ચ અને ઈટલીની પત્ની પ્રિયાની ગોદભરાઈમાં વિજયની પત્ની જોવા મળી નહોતી. તેને જઈને એવું અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે બંને વચ્ચે કંઈ પણ ઠીક નથી. આ કારણે બંને ડિવોર્સ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે, વિજય અને સંગીતાના લગ્ન 25 ઓગસ્ટ 1999એ થયા હતા. તેને એક પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્યા છે. વિજય-સંગીતાના ડિવોર્સના ન્યૂઝે એક્ટરને પણ હલાવીને રાખી દીધો છે, પરંતુ આમાં કોઈ સત્ય નથી.

વિજયનું આના પર કોઈ નિવેદન નથી

એક મીડિયા રિપોર્ટ અનુસાર, એક્ટરના એક નજીકના સુત્રએ ખુલાસો કર્યો છે કે, સંગીતા બાળકો સાથે રજા પર છે, અને એટલા માટે વિજયના કોઈ પ્રોગ્રામમાં આવી શકી નહીં. સુત્રના કહેવા મુજબ, વિજય અને સંગીતાના ડિવોર્સની અફવા નિરધાર છે. અમને નથી ખબર કે તેની શરૂઆત ક્યાંથી થઈ હતી. પણ આ સમાચાર ખરેખર ખોટા છે. જોકે વિજયનું આના પર કોઈ નિવેદન નથી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સંગીતા યુકેથી ચેન્નઈ આવી હતી

રિપોર્ટ મુજબ, વિજય અને સંગીતાની પહેલી મુલાકાત 1996માં થઈ હતી. સંગીતા વિજયની બહુ મોટી ફેન હતી. કહેવા મુજબ, સંગીતા વિશેષ રૂપથી તેને મળવા માટે યુકેથી ચેન્નઈ આવી હતી. વિજયને પણ સંગીતા સારી લાગી હતી. તેને સંગીતાને પોતાની ફેમિલી સાથે મિલન કરાવ્યું. તેના માતા-પિતાએ પણ તેના સંબંધનો સ્વીકાર કરી લીધો પછી વિજય અને સંગીતાએ 1999માં લગ્ન કરી લીધા.

‘વરિસુ’માં જોવા મળશે વિજયનો એક્શન અવતાર

પર્સનલ લાઈફ સિવાય આ દિવસોમાં વિજયની આવનારી ફિલ્મ ‘વરિસુ’ને લઈને પણ ચર્ચાઓ તેજ છે. આ ફિલ્મ આ મહિને 11 તારીખે સિનેમાઘરોમાં ટકોરા મારશે. ફિલ્મ ‘વરિસુ’માં એક વાર ફરીથી વિજય એક્શન અવતારમાં જોવા મળશે, જે તેના ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">