AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણબીર કપૂરના રામ બનવા પર ‘લક્ષ્મણ’એ ઉઠાવ્યા સવાલ, ફરીથી કહી આટલી મોટી વાત!

રણબીર કપૂર નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામના રોલમાં જોવા મળશે. સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. સુનીલ લહેરીએ ફિલ્મના કાસ્ટિંગ પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે. તેણે તો એમ પણ કહ્યું કે 'એનિમલ' જેવી ફિલ્મ કર્યા પછી શું દર્શકો તેને રામના રોલમાં સ્વીકારશે? તેણે સાઈ પલ્લવીના સીતાના લુક વિશે પણ વાત કરી છે.

રણબીર કપૂરના રામ બનવા પર 'લક્ષ્મણ'એ ઉઠાવ્યા સવાલ, ફરીથી કહી આટલી મોટી વાત!
Sunil Lahri
| Updated on: Jun 19, 2024 | 9:37 AM
Share

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે. તેના કાસ્ટિંગને લઈને લોકોના અલગ-અલગ મંતવ્યો છે. હાલમાં જ રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવનારા સુનીલ લાહિરીએ પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.

તેણે રણબીરની ફિલ્મ ‘એનિમલ’નો પણ કર્યો ઉલ્લેખ

એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં સુનીલ લહેરીએ કહ્યું કે, દર્શકો માટે રામના રોલમાં રણબીરને સ્વીકારવો મુશ્કેલ હશે. તેણે આના કારણ વિશે પણ વાત કરી છે. આ દરમિયાન તેણે રણબીરની ફિલ્મ ‘એનિમલ’નો પણ ઉલ્લેખ કર્યો હતો.

સુનીલ લહેરીએ કહ્યું કે, તેણે પોસ્ટર જોયું જેમાં તેને રણબીરનો લુક ખૂબ જ પસંદ આવ્યો. રણબીરના વખાણ કરતાં તેણે કહ્યું, “તેનો દેખાવ સારો છે તેથી તે રામની ભૂમિકામાં સારો દેખાશે. પરંતુ મને ખબર નથી કે કેટલા લોકો તેમને રામની ભૂમિકામાં સ્વીકારી શકશે.

‘એનિમલ’ નો ઉલ્લેખ કરતી વખતે આ કહ્યું

સુનીલ લહેરીના મતે રામના રોલ માટે એવા અભિનેતાને પસંદ કરવો વધુ સારું રહેશે કે, જેની દર્શકોમાં પહેલેથી જ ઈમેજ ન હોય. ‘એનિમલ’નો ઉલ્લેખ કરતા સુનિલે કહ્યું, “મને ખાતરી છે કે તે આ રોલ સાથે ન્યાય કરશે. પરંતુ તમે લોકોની વિચારસરણી બદલી શકતા નથી. તેણે તેના અગાઉના પરફોર્મન્સમાંથી બહાર આવવું પડશે. ખાસ કરીને એનિમલ જેવી ફિલ્મ કર્યા પછી તેને રામના રોલમાં કાસ્ટ કરવો ખૂબ મુશ્કેલ હશે.

સાઈ પલ્લવી વિશે પણ કહી દીધી આવી વાત

આ ફિલ્મમાં સાઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. આ વિશે વાત કરતાં સુનીલે કહ્યું કે, તે તેની એક્ટિંગ સ્કિલ વિશે નથી જાણતો પરંતુ સુનીલે તેના લુક વિશે વાત કરી છે. લીક થયેલી તસવીરો જોઈને સુનિલને સાઈ પલ્લવીનો લુક વિશ્વાસપાત્ર લાગ્યો ન હતો. તેણે કહ્યું, “સાચું કહું તો મને તેનો દેખાવ ખાસ વિશ્વાસપાત્ર લાગ્યો ન હતો. મારા મનમાં સીતાની એક સુંદર છબી છે, જેનો ચહેરો સંપૂર્ણ લાગે છે અને મને નથી લાગતું કે તેમની પાસે તે પૂર્ણતા છે.”

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">