કબીર ખાન-સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન, સત્ય ઘટના પર આધારિત હશે સ્ટોરી

|

Jul 18, 2022 | 2:15 PM

ભુલ ભુલૈયા 2માં ધમાલ મચાવ્યા બાદ કાર્તિક આર્યનના હાથે વધુ એક મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે, હજુ ફિલ્મનું નામ સામે આવ્યું નથી પરંતુ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે. સાજિદ નાડિયાવાલા આ ફિલ્મને પ્રોડ્યુસર હશે. જ્યારે ડાયરેક્ટર કબીર ખાન હશે.

કબીર ખાન-સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન, સત્ય ઘટના પર આધારિત હશે સ્ટોરી
કબીર ખાન-સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન, સત્ય ઘટના પર આધારિત હશે સ્ટોરી
Image Credit source: Twitter

Follow us on

Kartik Aaryan : બોલિવુડ અભિનેતા કાર્તિક આર્ય(Kartik Aaryan) ના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તે ટુંક સમયમાં જ કબીર ખાનની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને સાજિદ નડિયાડવાલા (Sajid nadiadwala) પ્રોડ્યુસ કરશે. ફિલ્મ સાચી ઘટના પર આધારિત હશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષમાં શરુ થશે. કબીર ખાને (Kabir Khan)આ પ્રોજેક્ટની જાહેરાત કરતા કહ્યું કે, કાર્તિક આર્યન(Kartik Aaryan) આ ફિલ્મમાં નવા અવતારમાં જોવા મળશે. જે તમે ક્યારેપણ જોયો નહિ હોય.

કાર્તિક આર્યન (Kartik Aaryan) પણ આ ફિલ્મને લઈ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે, તેણે કબીર ખાન અને સાજિદ નડિયાડવાલની સાથે કામ કરવાને લઈ ખુશી જાહેર કરી છે. ભુલ ભુલૈયા 2ની સફળતા બાદ કાર્તિક આર્યનની આ મોટી જાહેરાત છે. ભુલ ભુલૈયા2 બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. કબીર ખાને બજરંગી ભાઈજાન અને 83 જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

ફ્રેબુઆરી 2023માં રિલીઝ થશે કાર્તિકની શહશાદા

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહજાદા છે, જે મોટા પડદા પર જોવા મળશે. ફિલ્મને રોહિત ધવને ડાયરેક્ટ કરી છે અને આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃર્તિ સેનન છે, પહેલા રિપોર્ટ હતો કે, ફિલ્મ આ વર્ષ 4 નવેમ્બરના રોજ રિલીઝ થશે પરંતુ હવે આ ફિલ્મ ફ્રેબુઆરી 2023માં રિલીઝ કરવામાં આવશે. શહજાદા અલ્લુ અર્જુન અને પુજા હેગડેની આલા વૈકુંઠપુરમુલુનું હિન્દી વર્ઝન છે, આલા વૈકુંઠપુરમુલુ તેલુગુ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી

કૃતિ-કાર્તિકની જોડી ફરી મોટા પડદા પર જોવા મળશે

કૃતિ અને કાર્તિક બીજી વખત એકસાથે જોવા મળશે. આ પહેલા બંન્ને 2019માં લુકા છુપીમાં જોવા મળ્યો હતો. તે હંસલ મહેતાની કેપ્ટન ઈન્ડિયનમાં જોવા મળશે, જેમાં તે પાયલટનું પાત્ર નિભાવી રહ્યો છે, કાર્તિક આર્યને પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી, લવ આજ કલ 2, ધમાકા સહિત અન્ય ફિલ્મોમાં કામ કર્યું છે. તેના કામના પણ ખુબ વખાણ કરવામાં આવ્યા છે.

Next Article