શું ખરેખર રાજકુમાર રાવે કરાવી છે પ્લાસ્ટિક સર્જરી ? અભિનેતા એ જાતે કર્યો આ મોટો ખુલાસો
અભિનેતા રાજકુમાર રાવે આગળ કહ્યું કે કેવી રીતે પ્લાસ્ટિક સર્જરીના સમાચાર હેડલાઇન્સ બન્યા કે તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે તેની જૂની તસવીરો શોધવાનું શરૂ કરી દીધું છે. તેણે કહ્યું, 'લોકો પ્લાસ્ટિક સર્જરી જેવા મોટા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા પણ મેં આ ટ્રિટમેન્ટ...
તાજેતરમાં, રાજકુમાર રાવનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેનો ચહેરો અને ચિન અલગ દેખાતા હતા એટલે કે તેની ચિન લાંબી દેખાતી હતી. આ ફોટામાં નેટીઝન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા કે શું રાજકુમારે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે અને તે બાદ પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ ફેલાવા લાગી હતી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની વાયરલ તસવીર પર કમેન્ટ કરતા અભિનેતાને ટ્રોલ કરી રહ્યા હતા. ત્યારે હવે પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર આખરે રાજકુમાર રાવે પોતાનું મૌન તોડ્યું છે.આ સમય રાજકુમાર ખુબ ગુસ્સામાં પણ હોય તેમ લાગી રહ્યું છે.
રાજકુમાર રાવે સર્જરી વિશે જણાવ્યું સત્ય
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે પોતાની વાયરલ તસવીરની સત્યતા જણાવી છે. તેણે વાયરલ ફોટોને નકલી ગણાવ્યો અને કહ્યું કે લોકો આવી અફવાઓ ફેલાવે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તાજેતરમાં એક મીડિયા સાથે આપેલા ઈન્ટરવ્યુમાં રાજકુમાર રાવે કહ્યું, ‘જો તમે મારી કોઈ વાયરલ તસવીર જોઈ હોય, તો હું તમને જણાવી દઉં કે તે વ્યક્તિ મારા જેવો દેખાતો નથી. તે મારા માટે ખરેખર મનોરંજક અને રમુજી હતું કારણ કે આ ચિત્ર સાથે છેડછાડ કરવામાં આવી છે. મને લાગે છે કે કોઈએ આ ચિત્રને ખરાબ કર્યું છે.
રાજકુમાર રાવે ત્વચા સંભાળ પર પ્રતિક્રિયા આપી
અભિનેતા રાજકુમાર રાવે આગળ કહ્યું કે કેવી રીતે પ્લાસ્ટિક સર્જરીના સમાચાર હેડલાઇન્સ બન્યા કે તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે તેની જૂની તસવીરો શોધવાનું શરૂ કરી દીધું છે. તેણે કહ્યું, ‘લોકો પ્લાસ્ટિક સર્જરી જેવા મોટા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ હું ક્યારેય આ અફવાઓનો શિકાર થયો નથી. હા, મારી ત્વચાની સંભાળ માટે હું ચોક્કસપણે ફિલર્સ કરાવું છું… તો એમાં ખોટું શું છે. જો કે, અભિનેતાએ લગભગ નવ વર્ષ પહેલા ફિલર્સ લેવાનું પણ સ્વીકાર્યું હતું. તેણે પોતે પણ આ વાતનો ખુલાસો કર્યો હતો. પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી તે પણ વાત કહી હતી.
રાજકુમાર રાવનો વર્કફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તે ટૂંક સમયમાં જ 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘શ્રીકાંત’માં જોવા મળશે. જે બાદ જાન્હવી કપૂર સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પણ છે. આ ફિલ્મ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.