પંજાબી સિંગર નિરવૈર સિંહનું નિધન, ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતનો બન્યા શિકાર

નિરવૈર સિંહ (Nirvair Singh) સિંગિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે 9 વર્ષ પહેલા પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. મંગળવારે માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું.

પંજાબી સિંગર નિરવૈર સિંહનું નિધન, ઓસ્ટ્રેલિયામાં માર્ગ અકસ્માતનો બન્યા શિકાર
Nirvair Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 5:20 PM

પંજાબી મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ સિંગર સિદ્ધુ મુસેવાલા બાદ હવે વધુ એક પંજાબી સિંગરનું (Punjabi Singer) અવસાન થયું છે. પંજાબી સિંગર નિરવૈર સિંહનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. મળતી જાણકારી મુજબ નિરવૈર સિંહ (Nirvair Singh) સિંગિંગમાં પોતાનું કરિયર બનાવવા માટે 9 વર્ષ પહેલા પત્ની અને બાળકો સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. પરંતુ મંગળવારે ઓસ્ટ્રેલિયામાં એક ખતરનાક માર્ગ અકસ્માતમાં તેને જીવ ગુમાવ્યો હતો. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંગળવારે બપોરે થયો હતો અકસ્માત

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે લગભગ 3:30 વાગ્યે ડિગર્સ રેસ્ટમાં બુલ્લા-ડિગર્સ રેસ્ટ રોડ પર ત્રણ વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ખતરનાક અકસ્માત બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. પરંતુ હજુ સુધી બંને સામે કોઈપણ પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર મામલો ખોટી રીતે ડ્રાઈવિંગ કરવાનો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટની પોલીસે પણ ટ્વિટ કર્યું છે. આ સાથે પોલીસે લોકોને કહ્યું છે કે જો પોલીસે લોકોને અપીલ કરી છે કે કેસ સંબંધિત કોઈ જાણકારી મળે તો તે શેર કરે.

મૃત્યુના સમાચાર મળતાં જ ફેન્સ આઘાતમાં

પંજાબી સિંગર નિરવૈર સિંહના નિધનના સમાચાર મળતા જ તેના ફેન્સ અને મિત્રો આઘાતમાં છે. આ સિવાય પંજાબી સિંગર ગગન કોકરીએ પણ સિંગર નિરવૈર સિંહના નિધન પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ શેર કરી છે. ગગન કોકરીએ પોતાની પોસ્ટમાં લખ્યું- ‘આ આઘાતજનક સમાચાર સાથે મારી સવાર થઈ છે. હું અને નિરવૈર બંનેએ સાથે ટેક્સી પણ ચલાવી હતી. અમે બંનેએ પહેલીવાર સાથે ગીત ગાયું. પછી તમે કામમાં વ્યસ્ત થઈ ગયા. તમારું ગીત ‘તેરે બિના’ અત્યાર સુધીનું બેસ્ટ ગીત રહ્યું છે. તમે ખૂબ જ સરસ વ્યક્તિ હતા. હું તને ક્યારેય ભૂલી શકતો નથી.’

View this post on Instagram

A post shared by Gagan Kokri (@gagankokri)

આલ્બમ ‘માય ટર્ન’ના ગીત ‘તેરે બિના’થી નિરવૈર સિંહે ઘણી પોપ્યુલારિટી મળી હતી. તેઓ તેમના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહેતા હતા.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">