Maidaan ફિલ્મની ટીમ અને હૈદરાબાદ એફસીએ મિલાવ્યા હાથ, મળીને ભારતમાં ફૂટબોલને આપશે પ્રોત્સાહન

અજય દેવગને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેઓ તેમની ફિલ્મ મેદાન વિશે જાહેરાત કરવા જઈ રહ્યા છે. હવે અભિનેતાએ આખરે તે જાહેરાત કરી છે, જે સાંભળીને ચાહકો ખુશ થશે.

Maidaan ફિલ્મની ટીમ અને હૈદરાબાદ એફસીએ મિલાવ્યા હાથ, મળીને ભારતમાં ફૂટબોલને આપશે પ્રોત્સાહન
Ajay Devgn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:59 PM

અજય દેવગન (Ajay Devgn) થોડા દિવસો પહેલા જાણ કરી હતી કે તેઓ તેમની આગામી ફિલ્મ મેદાન (Maidaan) ને લગતી મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. આજે આખરે એ જાહેરાત કરવામાં આવી છે. ખરેખર, અજયની ફિલ્મ મેદાને હૈદરાબાદ એફસી (Hyderabad FC) ફૂટબોલ ક્લબ સાથે ભાગીદારી કરી છે. અજય, ફિલ્મના નિર્દેશક અમિત શર્મા અને બોની કપૂર આ વિશે જણાવે છે.

અમિત કહે છે કે અત્યાર સુધી આપણે ક્રિકેટ અને હોકી પર બનેલી ફિલ્મો જોઈ છે, પરંતુ અમે ફૂટબોલ રમત વિશે જણાવવા માંગીએ છીએ. અજયે ટ્વિટ કરીને લખ્યું, ‘મેદાન એક એવી વાર્તા છે જેના વિશે તમામ ભારતીયોને ખબર હોવી જોઈએ. અમને આશા છે કે આ ફિલ્મ દેશના આગામી સ્પોર્ટ્સ સુપરસ્ટાર્સ માટે માર્ગ મોકળો કરશે. હૈદરાબાદ એફસી સાથેની આ ભાગીદારીમાં અમારો ધ્યેય છે મૈદાનને એક ચળવળ બનાવવાનો જેનાથી આવનારી પેઢીને પ્રેરણા મળે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અહીં જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું હતું, જેનું શિડ્યુલ હવે પૂર્ણ થઈ ગયું છે. હવે ફિલ્મનું બાકીનું શૂટિંગ ઓક્ટોબરમાં કરવામાં આવશે.

એવા અહેવાલ હતા કે નિર્માતાઓએ મડ આઇલેન્ડમાં એક સ્ટેડિયમ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે જ્યાં ફિલ્મનો ક્લાઇમેક્સ સિક્વન્સ શૂટ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં ઘણી મેચો શૂટ કરવામાં આવશે જેમાં અંતિમ મેચ બતાવવામાં આવશે જે 1962 એશિયન ગેમ્સમાં થઈ હતી અને ભારતે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફિલ્મની ટીમ આવા દ્રશ્યો માટે સ્ટેડિયમ બનાવવાની તૈયારી કરી રહી છે અને અપેક્ષા છે કે ઓક્ટોબરના મધ્ય સુધીમાં તે તૈયાર થઈ જશે.

અમીર આર શર્મા મેદાનનું નિર્દેશન કરી રહ્યા છે અને કહેવાય છે કે આ ફિલ્મ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે. સૈયદ 1950 અને 1960 ના દાયકામાં ભારતીય ફૂટબોલ ટીમના મેનેજર અને કોચ હતા. આ ફિલ્મ ઝી સ્ટુડિયો, બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણા જોય સેનગુપ્તા દ્વારા બનાવવામાં આવી રહી છે.

ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત કીર્તિ સુરેશ, પ્રિયામણી અને ગજરાજ રાવ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

મેદાન સિવાય ફિલ્મો

અજય, મેદાન સિવાય મિડ ડે, થેંકગોડ અને આરઆરઆરમાં જોવા મળશે. અજય મિડ ડેમાં અભિનય સિવાય તેનું નિર્માણ અને નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં અજય સાથે અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે.

થેંકગોડમાં અજય સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મને જોડીને રકુલ સાથે અજયની આ ત્રીજી ફિલ્મ હશે. અગાઉ બંને દે દે પ્યાર દેમાં જોવા મળી ચૂક્યા છે.

અજયની ફિલ્મ RRR ની વાત કરીએ તો આ ફિલ્મ દ્વારા તે તેલુગુ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં એનટી રામારાવ, રામચરણ, અજય અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

આ પણ વાંચો :- Birthday Special : 44 વર્ષની થઈ ગૌરી પ્રધાન, જાણો કયાં થઈ હતી હિતેન તેજવાની સાથે પ્રથમ મુલાકાત

આ પણ વાંચો :- Fans Reaction : સોનુ સૂદના ઘરે આવક વેરાના દરોડા બાદ ભડક્યા અભિનેતાના ચાહકો, વાંચો આ ખાસ ટ્વીટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">