AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરિણીતી ચોપરાએ તેના પ્રથમ પ્રેમ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું બ્રેકઅપ થયાનું કારણ

પરિણીતી ચોપરાના પ્રથમ પ્રેમ અને બ્રેકઅપ થયાના કારણ વિશે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ચાલો જાણીએ અભિનેત્રી વિશે કેટલીક અજાણી વાતો.

પરિણીતી ચોપરાએ તેના પ્રથમ પ્રેમ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું બ્રેકઅપ થયાનું કારણ
પરિણીતી ચોપરા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 1:08 PM
Share

પરિણીતી ચોપરાના સ્ટાર હવે ચાલવા લાગ્યા છે. આ વર્ષે અભિનેત્રીની બે નહીં પરંતુ ત્રણ ફિલ્મો એક પછી એક રિલીઝ થઈ રહી છે. પરિણીતી ધ ગર્લ ઓન ધ ટ્રેન, સાઇના અને સંદીપ ઔર પિંકી ફારાર જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ નિભાવી રહી છે.

પરિણીતી તેના અંગત સંબંધોને લઈને ભાગ્યે જ ચર્ચામાં રહે છે. પરંતુ એક ખાનગી સમચારના અહેવાલ અનુસાર તેણે તેના જીવનના પ્રથમ પરમ સંબંધ વિશે જણાવ્યું હતું. અહેવાલ અનુસાર પરી હાલમાં કોઈને ડેટ નથી કરી રહી પરંતુ તેણે તેના પહેલા પ્રેમ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

અહેવાલ અનુસાર અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે શું તે કોઈને ડેટ કરે છે. તો તેણે જવાબ આપ્યો “ના.” પોતાના અંગત જીવનને લઈને આવતી અફવાઓ વચ્ચે અભિનેત્રીએ સાફ કરી દીધું છે કે તે હમણા સિંગલ છે. પરંતુ તેણે તેના પહેલા પ્રેમ વિશે વાત કરતા કહ્યું કે જ્યારે તે યુનિવર્સિટીમાં હતી ત્યારે તેને પહેલીવાર પ્રેમ થયો હતો.

આ સંબંધ વિશે આગળ વાત કરતા પરીએ જણાવ્યું કે “અમે અલગ થઇ ગયા કારણકે અમારે થવું જોઈતું હતું. તે ખુબ જ ભયાનક હતું.” આ અહેવાલ પ્રમાણે સાફ છે કે પરિણીતી તેના પહેલા રિલેશનશિપથી ખુશ ન હતી.

અભિનેત્રીએ આગળ તેની પસંદ વિશે વાત કરતા જણાવ્યું કે “બુદ્ધિ અને વિનોદીની ભાવના (હ્યુમર) જેવા ગુણો તેને આકર્ષિત કરે છે.”

બ્રેકઅપના દુઃખ વિશે વાત કરતા કરીએ તો એમાં કોઈ શંકા નથી કે બ્રેકઅપ કોઈ પણ માટે સરળ નથી. સંબંધોનો અંત ફક્ત ઉદાસી, ક્રોધ, તાણ અને એકલતાની લાગણી પેદા કરે છે, પણ તેમાંથી બહાર આવવું પણ ખૂબ મુશ્કેલ છે. જ્યારે કેટલાક લોકો બ્રેકઅપની લાગણીને ઝડપથી સ્વીકારીને તેમના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે, જ્યારે ઘણા લોકો માટે આ હતાશાનો સામનો કરવામાં લાંબો સમય લાગે છે.

અગાઉના એક અહેવાલ પ્રમાણે પરિણીતીએ પણ બ્રેકઅપ બાદ તેમાંથી લાંબા સમયે બહાર આવી હતી. અહેવાલ અનુસાર બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા માટે બ્રેકઅપની પીડા એટલી ભયાનક હતી કે તેણે પોતાને નફરત કરવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય

આ પણ વાંચો: Hardik Pandya ની પત્નિ નતાશા સ્ટેનકોવિકે શેર કર્યો બોલ્ડ અંદાજનો વિડીયો, થવા લાગ્યો વાયરલ જુઓ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">