‘જૂતે બંદે દા આઇડેન્ટિટી કાર્ડ…’, બોયકોટની માગ વચ્ચે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું નવું પોસ્ટર રિલીઝ

|

Aug 02, 2022 | 1:25 PM

આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' (Laal Singh Chaddha) 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

જૂતે બંદે દા આઇડેન્ટિટી કાર્ડ..., બોયકોટની માગ વચ્ચે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું નવું પોસ્ટર રિલીઝ
laal-singh-chaddha

Follow us on

આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha) રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને તેને બોયકોટ કરવાની માગ થઈ રહી છે. એટલું જ નહીં આમિર ખાન અને કરીના કપૂરની આ ફિલ્મ ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી હતી. ટ્વિટર પર હેશટેગ ‘બોયકોટ લાલ સિંહ ચડ્ડા’ ટ્રેન્ડમાં જોવા મળ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે આમિરની લાલ સિંહ ચઢ્ઢાનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.

લાલ સિંહ ચઢ્ઢાનું નવું પોસ્ટર થયું રિલીઝ

તમામ ટીકાઓ વચ્ચે આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું આ પોસ્ટર બાકીના પોસ્ટરો કરતા ખૂબ જ અલગ છે. આમાં માત્ર લાલ સિંહ ચઢ્ઢા એટલે કે આમિર ખાનના જૂતા જ દેખાય છે. નવું પોસ્ટર આમીર ખાન પ્રોડક્શનના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર શેર કરતી વખતે કેપ્શન પણ આપ્યું છે – ‘લાલ સિંહ ચઢ્ઢા દી મમ્મી કહંદી થી કિ જૂતે બંદે દા આઇડેન્ટિટી કાર્ડ હોંદે હૈં. જાણો શા માટે, આવનારા 9 દિવસમાં! 11 ઓગસ્ટના રોજ તમારા નજીકના થિયેટરોમાં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આમિર ખાનને થાય છે દુ:ખ

આમિર ખાને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા’ વિશે પોતાની વાત કરી છે. તેણે કહ્યું કે જ્યારે લોકો બોલિવૂડની સાથે સાથે લાલ સિંહ ચઢ્ઢાનો બોયકોટ કરવાની વાત કરે છે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થાય છે. આમિર ખાને કહ્યું હતું કે તેને ખાસ કરીને તે સમયે ખરાબ લાગે છે જ્યારે લોકો તેની ફિલ્મને બોયકોટ કરવાની માંગ કરે છે કારણ કે તે એવા લોકોમાં સામેલ છે જેમને ભારત પસંદ નથી. પરંતુ આ બિલકુલ પણ સાચું નથી. તે ખૂબ જ દુઃખદ છે કે કેટલાક લોકોને આવું લાગે છે. એટલું જ નહીં આમિર ખાને અપીલ કરીને કહ્યું કે કૃપા કરીને મારી ફિલ્મને બોયકોટ ના કરો. મારી ફિલ્મ જુઓ. આ પહેલા કરીના કપૂરે પણ આના પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો, તેણે કહ્યું હતું કે આજે દરેકનો પોતાનો અભિપ્રાય છે. તેથી જ હું આવી કોઈ પણ બાબતને ગંભીરતાથી લેતી નથી.

Next Article