તેના ‘ત્રીજા સંતાન’ના કારણે મુશ્કેલીઓમાં કરીના કપૂરના, પુસ્તકના વિરોધમાં આ સંગઠને નોંધાવી ફરિયાદ

કરીના કપૂર તેના નવા પુસ્તકને લઈને મુસીબતમાં ફસાતી જોવા મળી રહી છે. અનેક વિરોધ અને વિવાદ બાદ હવે સર્વ ઈસાઈ સભા દ્વારા પુસ્તક પર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તેના 'ત્રીજા સંતાન'ના કારણે મુશ્કેલીઓમાં કરીના કપૂરના, પુસ્તકના વિરોધમાં આ સંગઠને નોંધાવી ફરિયાદ
Kareena Kapoor's troubles may increase in 'Pregnancy Bible' case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 7:56 AM

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે (Kareena Kapoor) થોડા દિવસો અગાઉ તેનું પુસ્તક લોન્ચ કર્યું હતું. પુસ્તક સંદર્ભે કરીનાએ કહ્યું હતું કે આ પુસ્તક તેનું ‘ત્રીજું સંતાન’ (Third Child) છે. હવે તે સતત તેની બુકને લઈને વિવાદોમાં ફસાઈ રહી છે. જ્યાં એક તરફ તેમના પુસ્તકના શીર્ષકની ટીકા થઈ રહી છે. તો બીજી તરફ ફરિયાદ થવાના પણ અહેવાલ આવ્યા છે. તાજેતરમાં આવેલા અહેવાલ અનુસાર જબલપુરમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે. જબલપુરની સર્વ ઈસાઈ સભાએ (Sarva Isai Sabha) અભિનેત્રી કરીના કપૂરના પુસ્તકનાં શીર્ષક સામે ઓમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પુસ્તકનું શીર્ષક છે Kareena Kapoor Khan’s Pregnancy Bible.

જોકે પોલીસે માત્ર ફરિયાદ પત્ર જ લીધો છે, પરંતુ આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી કેસ નોંધ્યો નથી. સર્વ ઈસાઈ સભાએ માંગ કરી છે કે આ પુસ્તકનું નામ બદલવામાં આવે અને કરીના કપૂર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પછી બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરની મુશ્કેલીઓ વધી શકે છે.

હકીકતમાં, સર્વ ઈસાઈ સભાએ સોમવારે અભિનેત્રી કરીના કપૂરના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઇબલ’નો વિરોધ કરતાં પોલીસને ફરિયાદ કરી છે. ફરિયાદની સાથે સાથે, પુસ્તકના શીર્ષકમાંથી બાઇબલ શબ્દને દૂર કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સર્વ ઈસાઈ સભાએ કરીના કપૂર ખાન પર સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સાથે સાથે તેની પણ નિંદા કરવામાં આવી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સર્વ ઈસાઈ સભાએ કહ્યું કે પુસ્તકમાં પવિત્ર શબ્દ ‘બાઇબલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં પણ તેમના પુસ્તકનો ઘણા સ્થળોએ વિરોધ કરવામાં આવ્યો હતો.

શું છે આ પુસ્તકમાં?

કરીનાએ 9 જુલાઈએ પોતાનું આ પુસ્તક બહાર પાડ્યું હતું. ફેબ્રુઆરીમાં પોતાના બીજા બાળકને જન્મ આપનારી કરિનાએ આ પુસ્તકને તેમનું ત્રીજું સંતાન ગણાવ્યું છે. પુસ્તકના પ્રમોશનના સંદર્ભમાં તેમણે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ કરી હતી. અભિનેત્રી અનુસાર, આ પુસ્તકમાં તેણે પોતાની બંને ગર્ભાવસ્થા દરમિયાન અનુભવેલા શારીરિક અને ભાવનાત્મક અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. જો કે પોલીસનું કહેવું છે કે આ અરજી ક્રિશ્ચિયન સમુદાય દ્વારા લેવામાં આવી છે અને તપાસ બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Indian Idol 12: ફરી એકવાર સ્ટેજ પર ચાલશે ડિસ્કોનો જાદુ, આ અઠવાડિયામાં શોમાં Bappi Lahiri લગાવશે ચાર ચાંદ

આ પણ વાંચો: જાણો Taarak Mehta Ka Ooltah Chashmahના આ કલાકારોના પહેલા શો વિશે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">