AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Sidharth Patch Up : જાણો કોણ છે તે વ્યક્તિ, જેણે બ્રેકઅપ બાદ કિયારા અને સિદ્ધાર્થને ફરી લાવ્યા નજીક?

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ કિયારાએ ક્યારેય તેમના સંબંધો વિશે કહ્યું નથી અને ન તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્યારેય આ સંબંધ વિશે કોઈ વાત કરી છે.

Kiara Sidharth Patch Up : જાણો કોણ છે તે વ્યક્તિ, જેણે બ્રેકઅપ બાદ કિયારા અને સિદ્ધાર્થને ફરી લાવ્યા નજીક?
sidharth and kiaraImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 2:48 PM
Share

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાને (Sidharth Malhotra) બોલિવૂડના ક્યૂટ કપલ તરીકે જોવામાં આવે છે. કિયારા અને સિદ્ધાર્થના ચાહકોનું દિલ તૂટી ગયું હતું જ્યારે ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કિયારા અને સિદ્ધાર્થનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ થોડા સમય પછી, ચાહકોના દિલને રાહત મળી જ્યારે સમાચાર આવ્યા કે કિયારા અને સિદ્ધાર્થનું ફરીથી પેચઅપ થઈ ગયું છે. પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે કિયારા અને સિદ્ધાર્થ ફરી એકવાર સાથે કેવી રીતે આવ્યા ? તો તમને જણાવીએ કે કિયારા અને સિદ્ધાર્થના પેચઅપ પાછળ કોણ છે?

કરણ જોહરે કિયારા અને સિદ્ધાર્થનું કરાવ્યું પેચઅપ

જે વ્યક્તિએ કિયારા અને સિદ્ધાર્થનું પેચઅપ કરાવ્યું તે બીજું કોઈ નહીં પણ કરણ જોહર છે. તાજેતરમાં, એક ન્યૂઝ પોર્ટલે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે કરણ જોહર, જે કપલની સૌથી નજીક છે, તે કિયારા અને સિદ્ધાર્થ અલગ થવાના સમાચારથી ખુશ નથી. આ પછી કરણ જોહરે નક્કી કર્યું કે તેઓ બંને વચ્ચેના મતભેદનું સમાધાન કરાવશે. કિયારા અને સિદ્ધાર્થ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, તેથી કરણ જોહરની સલાહને માનીને તેઓએ તેમના સંબંધોને વધુ એક તક આપી છે.

પોતાના રિપોર્ટમાં બોલિવૂડ લાઈફે સૂત્રોને ટાંકીને કહ્યું કે કિયારા અને સિદ્ધાર્થનું બોન્ડ હવે પહેલા કરતા વધુ મજબૂત થઈ ગયું છે. હાલમાં બંને પોતપોતાના વર્ક કમિટમેન્ટમાં વ્યસ્ત છે અને કામ પૂરું થયા બાદ બંને મિની વેકેશન માટે જશે. બંને છેલ્લે કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ કિયારાએ ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી અને ન તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્યારેય આ સંબંધ વિશે કોઈ વાત કરી છે. પણ, બંને ઘણી વખત મુંબઈના રસ્તાઓ પર સાથે જોવા મળ્યા છે. બંને રજાઓ મનાવીને ઘણી વખત સાથે આવ્યા છે.

કિયારા અને સિદ્ધાર્થના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ. કિયારા તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય કિયારા જલ્દી જ વરુણ ધવન સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે અને સિદ્ધાર્થની વાત કરીએ તો, તેના ખાતામાં મિશન મજનૂ અને થેંક ગોડ જેવી મોટા બજેટની ફિલ્મો છે.

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">