AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Sidharth Patch Up : જાણો કોણ છે તે વ્યક્તિ, જેણે બ્રેકઅપ બાદ કિયારા અને સિદ્ધાર્થને ફરી લાવ્યા નજીક?

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ કિયારાએ ક્યારેય તેમના સંબંધો વિશે કહ્યું નથી અને ન તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્યારેય આ સંબંધ વિશે કોઈ વાત કરી છે.

Kiara Sidharth Patch Up : જાણો કોણ છે તે વ્યક્તિ, જેણે બ્રેકઅપ બાદ કિયારા અને સિદ્ધાર્થને ફરી લાવ્યા નજીક?
sidharth and kiaraImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 2:48 PM
Share

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાને (Sidharth Malhotra) બોલિવૂડના ક્યૂટ કપલ તરીકે જોવામાં આવે છે. કિયારા અને સિદ્ધાર્થના ચાહકોનું દિલ તૂટી ગયું હતું જ્યારે ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કિયારા અને સિદ્ધાર્થનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ થોડા સમય પછી, ચાહકોના દિલને રાહત મળી જ્યારે સમાચાર આવ્યા કે કિયારા અને સિદ્ધાર્થનું ફરીથી પેચઅપ થઈ ગયું છે. પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે કિયારા અને સિદ્ધાર્થ ફરી એકવાર સાથે કેવી રીતે આવ્યા ? તો તમને જણાવીએ કે કિયારા અને સિદ્ધાર્થના પેચઅપ પાછળ કોણ છે?

કરણ જોહરે કિયારા અને સિદ્ધાર્થનું કરાવ્યું પેચઅપ

જે વ્યક્તિએ કિયારા અને સિદ્ધાર્થનું પેચઅપ કરાવ્યું તે બીજું કોઈ નહીં પણ કરણ જોહર છે. તાજેતરમાં, એક ન્યૂઝ પોર્ટલે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે કરણ જોહર, જે કપલની સૌથી નજીક છે, તે કિયારા અને સિદ્ધાર્થ અલગ થવાના સમાચારથી ખુશ નથી. આ પછી કરણ જોહરે નક્કી કર્યું કે તેઓ બંને વચ્ચેના મતભેદનું સમાધાન કરાવશે. કિયારા અને સિદ્ધાર્થ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, તેથી કરણ જોહરની સલાહને માનીને તેઓએ તેમના સંબંધોને વધુ એક તક આપી છે.

પોતાના રિપોર્ટમાં બોલિવૂડ લાઈફે સૂત્રોને ટાંકીને કહ્યું કે કિયારા અને સિદ્ધાર્થનું બોન્ડ હવે પહેલા કરતા વધુ મજબૂત થઈ ગયું છે. હાલમાં બંને પોતપોતાના વર્ક કમિટમેન્ટમાં વ્યસ્ત છે અને કામ પૂરું થયા બાદ બંને મિની વેકેશન માટે જશે. બંને છેલ્લે કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ કિયારાએ ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી અને ન તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્યારેય આ સંબંધ વિશે કોઈ વાત કરી છે. પણ, બંને ઘણી વખત મુંબઈના રસ્તાઓ પર સાથે જોવા મળ્યા છે. બંને રજાઓ મનાવીને ઘણી વખત સાથે આવ્યા છે.

કિયારા અને સિદ્ધાર્થના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ. કિયારા તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય કિયારા જલ્દી જ વરુણ ધવન સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે અને સિદ્ધાર્થની વાત કરીએ તો, તેના ખાતામાં મિશન મજનૂ અને થેંક ગોડ જેવી મોટા બજેટની ફિલ્મો છે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">