કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ની રિલીઝ ડેટ થઇ જાહેર, આ દિવસથી સિનેમાઘરમાં મચાવશે ધુમ

બોલિવૂડ ક્વીન કંગના રનૌતે (Kangana Ranaut) મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. તે પાઈલટના ડ્રેસમાં જોવા મળી રહી છે. 

કંગના રનૌતની ફિલ્મ 'તેજસ'ની રિલીઝ ડેટ થઇ જાહેર, આ દિવસથી સિનેમાઘરમાં મચાવશે ધુમ
Tejas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:48 AM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની (Kangana Ranaut) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ’ (Tejas)ની રિલીઝ ડેટ સામે આવી છે. આ ફિલ્મની રિલીઝની થવાની ફેન્સ કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘તેજસ’ દશેરાના અવસર પર એટલે કે 5 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થશે. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે.

કંગના રનૌતે મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મની એક તસવીર શેર કરી છે. તે પાઈલટના ડ્રેસમાં જોવા મળી રહી છે. તસવીર શેર કરતા એક્ટ્રેસેએ લખ્યું, ‘તમારા માટે એક એવી મહિલાની પ્રેરણાદાયી વાર્તા લાવી રહ્યો છું જેણે આકાશ પર રાજ કરવાનો નિર્ણય લીધો છે. તેજસ દશેરા 5મી ઓક્ટોબર 2022ના રોજ તમારી નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું હતું

નોંધનીય છે કે ફિલ્મ ‘તેજસ’માં કંગના રનૌત એરફોર્સના પાયલોટ તેજસ ગિલની ભૂમિકામાં છે. આ ફિલ્મ સર્વેશ મેવાડા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. અગાઉ, કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી હતી જ્યાં તે તેની ટીમ સાથે ‘તેજસ’ માટે શૂટિંગ કરી રહી હતી. તે ત્યાં પહોંચેલા વાયુસેનાના અધિકારીઓને મળી હતી.

કંગના આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે

આ ફિલ્મ ચારે બાજુથી ચર્ચાનો વિષય બની રહે છે. કંગના પોતે પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જો નિર્માતાઓનું માનીએ તો આ વાર્તા દરેકને પ્રેરણા આપવા અને બહાદુર સૈનિકો પર ગર્વ અનુભવવા માટે છે કારણ કે તેઓ તેમના દેશને સુરક્ષિત રાખવા માટે ઘણા પડકારોનો સામનો કરે છે.

વિવાદોની કવિન છે કંગના રનૌત.

તમને જણાવી દઈએ કે કંગના રનૌત દરરોજ વિવાદોમાં રહે છે. નવેમ્બરમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ભારતની આઝાદી એક ‘ભિખારી’ હતી અને દાવો કર્યો હતો કે દેશને વાસ્તવિક આઝાદી 2014 પછી મળી જ્યારે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સત્તામાં આવી. જે બાદ કંગના ટ્રોલ થવા લાગી. તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવાની માંગ કરવામાં આવી હતી. અનેક જગ્યાએ કેસ પણ નોંધાયા હતા.

આ પણ વાંચો : લો બોલો… UAEમાં હવે સાડા ચાર દિવસ જ વર્કિંગ, શુક્રવારે હાફ ડે અને શનિવાર અને રવિવારે રહેશે વીકએન્ડ

આ પણ વાંચો : Happy Birthday Dharmendra : બોલીવુડની ડ્રિમગર્લ સાથેની પહેલી મુલાકાતમાં જ ધર્મેન્દ્રને થઇ ગયો હતો પ્રેમ, જાણો બર્થડે પર જાણી-અજાણી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">