લાલ સિંહ ચઢ્ઢા પર કંગના રનૌતનું રિએકશન, આમિર ખાન માટે કહી દીધી આ મોટી વાત

આમિર ખાને કહ્યું કે હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું. જો કેટલાક લોકો આવું વિચારે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે કૃપા કરીને મારી ફિલ્મનો બહિષ્કાર ન કરો, કૃપા કરીને મારી ફિલ્મ જુઓ.

લાલ સિંહ ચઢ્ઢા પર કંગના રનૌતનું રિએકશન, આમિર ખાન માટે કહી દીધી આ મોટી વાત
Lal Singh ChadhaImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 10:59 PM

આમિર ખાન બોલિવૂડમાં પોતાની દમદાર એક્ટિંગ અને ફિલ્મોને કારણે જાણીતો છે. હાલમાં સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ લાલા સિંહ ચઢ્ઢા (Lal Singh Chadha) 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે પણ આ પહેલા આમિર ખાનના કેટલા નિવેદનોને કારણે આ ફિલ્મને લોકો ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આમિર ખાનની આ ફિલ્મને બોયકટ કરી રહ્યા છે. તેના પર આમિર ખાને કહ્યુ છે કે લોકો તેમની ફિલ્મ જુએ. કેટલાક લોકો માને છે કે મને ભારત માટે પ્રેમ નથી, એવુ જરા પણ નથી. આ ફિલ્મ માટે આમિર ખાન માટે તેના ફેન્સ તરફથી સમર્થન પણ મળી રહ્યુ છે.

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનાર કંગના રનૌત (Kangana Ranaut) આજે ફરી ચર્ચામાં છે. તેણે આમિર ખાન અને તેની ફિલ્મ પર એક મોટુ નિવેદન આપ્યુ છે. કંગના રનૌતે પોતાનો પક્ષ મુકતા સોશિયલ મીડિયા પર લખ્યુ છે કે, ટૂંક સમયમાં રિલીઝ થનારી લાલ સિંહ ચઢ્ઢા વિશે જે પણ નકારાત્મકતા સર્જાઈ રહી છે, તેની પાછળનો માસ્ટર માઇન્ડ આમિર ખાન છે.

કંગના રનૌતનું રિએકશન

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કંગના રનૌતનું કહેવુ છે કે આ વર્ષે કોઈ હિન્દી ફિલ્મ આવી નથી. માત્ર સાઉથની ફિલ્મો ચાલી રહી છે, જેમાં ભારતીય સંસ્કૃતિ ભરપૂર છે, સ્થાનિક ફ્લેવરવાળી ફિલ્મો પણ ચાલી રહી છે. હોલીવુડની રીમેક કોઈપણ રીતે કામ કરશે નહીં. પરંતુ હવે તેઓ ભારતને અસહિષ્ણુ કહેશે. હિન્દી ફિલ્મોએ દર્શકોનું મન સમજવુ પડશે છે. તેને હિંદુ કે મુસ્લિમ સાથે કોઈ લેવાદેવા નથી. આમિર ખાન જીએ પણ હિન્દૂફોબિક PK બનાવી અને ભારતને અસહિષ્ણુ ગણાવ્યુ. આ ફિલ્મ તેના જીવનની સૌથી સુપરહિટ ફિલ્મ રહી. મહેરબાની કરીને તેને ધર્મ અને વિચારધારા સાથે જોડવાનું બંધ કરો, તે તેના ખરાબ અભિનય અને ખરાબ ફિલ્મ વિશે વાત ન કરે.

કેટલાક લોકો મારા વિશે ખોટું વિચારી રહ્યા છે – આમિર ખાન

આમિર ખાનના જુના નિવેદનના કારણે તેની ફિલ્મના વિરોધમાં લાલ સિંહ ચઢ્ઢાનો બહિષ્કાર ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આના પર આમિર ખાને કહ્યું કે, મને ખરાબ લાગે છે કારણ કે જે લોકો માને છે કે મને ભારત પસંદ નથી. આ તેમના મગજમાં છે અને તે યોગ્ય નથી. હું મારા દેશને ખૂબ પ્રેમ કરું છું. જો કેટલાક લોકો આવું વિચારે તો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું લોકોને અપીલ કરું છું કે કૃપા કરીને મારી ફિલ્મનો બહિષ્કાર ન કરો, કૃપા કરીને મારી ફિલ્મ જુઓ.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">