AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતે મહેશ ભટ્ટ પર સાધ્યું નિશાન, કહ્યું- કેમ છુપાવો છો તમે તમારું સાચું નામ?

કંગના રનૌતે (Kangana Ranaut) હાલમાં જ મહેશ ભટ્ટના નામ પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેને પોતાનું અસલ નામ બદલીને 'અસલમ' કેમ રાખ્યું? આ બહુ સરસ નામ છે.

કંગના રનૌતે મહેશ ભટ્ટ પર સાધ્યું નિશાન, કહ્યું- કેમ છુપાવો છો તમે તમારું સાચું નામ?
Kangana Ranaut
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 6:05 PM
Share

કંગના રનૌતે (Kangana Ranaut) ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર કટાક્ષ કર્યો છે. તેને મહેશ ભટ્ટનો (Mahesh Bhatt) એક જૂનો વીડિયો શેયર કર્યો છે. કંગનાએ કહ્યું કે તેનું અસલી નામ મહેશ નહીં પણ અસલમ છે. કંગના રનૌતે તેને પૂછ્યું કે તે પોતાનું ‘સુંદર નામ’ કેમ છુપાવી રહ્યા છે. મહેશ ભટ્ટે તેમના અસલી નામનો ઉપયોગ કરવો જોઈએ, કોઈપણ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ જ્યારે તેને ધર્મપરિવર્તન કર્યું. પરંતુ મહેશ ભટ્ટે હજુ સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કંગનાએ શેયર કર્યો મહેશ ભટ્ટનો વીડિયો

રવિવારે કંગના રનૌતે ક્લિપ્સની એક સિરીઝમાં મહેશ ભટ્ટનો એક કથિત વીડિયો શેયર કરવા માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો સહારો લીધો. ક્લિપની સાથે કંગનાએ મહેશ ભટ્ટ અને તેમના સાચા નામ અને ધર્મ વિશે ઘણી વસ્તુઓ શેયર કરી. તમને જણાવી દઈએ કે કંગના રનૌતે વર્ષ 2006માં ફિલ્મ ‘ગેંગસ્ટર’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે મહેશ ભટ્ટે તેને સપોર્ટ કર્યો હતો. મહેશ ભટ્ટની એક જૂની સ્પીચની ક્લિપ સાથે કંગનાએ લખ્યું, ‘મહેશ જી અવિચારી અને કાવ્યાત્મક રીતે લોકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે.’

મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે: કંગના

આ જ વીડિયોની બીજી ક્લિપ શેયર કરતાં તેણે લખ્યું, ‘મને કહેવામાં આવ્યું છે કે મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે. તેને તેની બીજી પત્ની સોની રાઝદાન સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું. કંગના દ્વારા શેયર કરાયેલી અન્ય એક વિડિયો ક્લિપમાં મહેશ ભટ્ટના નામે એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે, તેને પોતાનું અસલી નામ વાપરવું જોઈએ અને કોઈ ચોક્કસ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ, અને જ્યારે તેણે ધર્મ પરિવર્તન કર્યું છે.

Kangana Ranaut Post

મહેશ ભટ્ટ પર કંગનાએ લગાવ્યો હતો મારપીટનો આરોપ

વર્ષ 2020માં કંગના રનૌતે મહેશ ભટ્ટ પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયની વાત છે જ્યારે કંગના રનૌતે તેની પુત્રી અને ફિલ્મ નિર્માતા-અભિનેત્રી પૂજા ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધોખા’ને ઠુકરાવી કાઢી હતી. આ વર્ષની શરૂઆતમાં કંગના રનૌતે પણ આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની રિલીઝ પહેલા મહેશ ભટ્ટ અને તેની પુત્રી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પર આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. ત્યારપછી કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેયર કરીને કહ્યું કે ફિલ્મની સૌથી મોટી ભૂલ ‘ખોટી કાસ્ટિંગ’ છે. તેને આલિયા ભટ્ટને ‘ડેડીઝ એન્જલ’ અને મહેશ ભટ્ટને મૂવી માફિયા કહ્યું હતું.

આલિયાને કહ્યું ‘ડેડીઝ એન્જલ’

ફેબ્રુઆરી 2022 માં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કંગના રનૌતે લખ્યું, ‘આ શુક્રવારે 200 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પર બળીને રાખ થઈ જશે. એક પાપાની (ફિલ્મ માફિયા ડેડી) પરી, જે બ્રિટીશ પાસપોર્ટ રાખવાનું પસંદ કરે છે તે એ સાબિત કરવા માંગે છે કે રોમકોમ બિમ્બો એક્ટિંગ કરી શકે છે. ફિલ્મની સૌથી મોટી ખામી ફિલ્મનું ખોટી કાસ્ટિંગ છે… તે સુધરશે નહીં.

અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
અમદાવાદ ફાયર વિભાગને મળ્યો પાણીમાં ઉતરે તેવો રોબોટ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
SIR ગેરરીતિ સામે કલેકટર કચેરી ધેરાવ, સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
રામભાઈ વાળા અને ચેતન સોનીને SITનું તેડું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
ધર્મથી ઉપર સંબંધ! હિન્દુ ભાઈએ મુસ્લિમ બહેનના ઘરે કર્યું મામેરું
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : એક્ટિવા ચોરી પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જશો
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
Breaking News : અનાર પટેલનું નામ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
ભાજપના કોર્પોરેટર સહિત ચાર સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
સફળતા આત્મવિશ્વાસમાં વધારો કરશે, લાંબી બીમારીમાંથી નોંધપાત્ર રાહત મળશે
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
અમદાવાદનો અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે રહેશે બંધ
g clip-path="url(#clip0_868_265)">