AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંગના રનૌતે મહેશ ભટ્ટ પર સાધ્યું નિશાન, કહ્યું- કેમ છુપાવો છો તમે તમારું સાચું નામ?

કંગના રનૌતે (Kangana Ranaut) હાલમાં જ મહેશ ભટ્ટના નામ પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેને પોતાનું અસલ નામ બદલીને 'અસલમ' કેમ રાખ્યું? આ બહુ સરસ નામ છે.

કંગના રનૌતે મહેશ ભટ્ટ પર સાધ્યું નિશાન, કહ્યું- કેમ છુપાવો છો તમે તમારું સાચું નામ?
Kangana Ranaut
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 6:05 PM
Share

કંગના રનૌતે (Kangana Ranaut) ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર કટાક્ષ કર્યો છે. તેને મહેશ ભટ્ટનો (Mahesh Bhatt) એક જૂનો વીડિયો શેયર કર્યો છે. કંગનાએ કહ્યું કે તેનું અસલી નામ મહેશ નહીં પણ અસલમ છે. કંગના રનૌતે તેને પૂછ્યું કે તે પોતાનું ‘સુંદર નામ’ કેમ છુપાવી રહ્યા છે. મહેશ ભટ્ટે તેમના અસલી નામનો ઉપયોગ કરવો જોઈએ, કોઈપણ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ જ્યારે તેને ધર્મપરિવર્તન કર્યું. પરંતુ મહેશ ભટ્ટે હજુ સુધી આ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

કંગનાએ શેયર કર્યો મહેશ ભટ્ટનો વીડિયો

રવિવારે કંગના રનૌતે ક્લિપ્સની એક સિરીઝમાં મહેશ ભટ્ટનો એક કથિત વીડિયો શેયર કરવા માટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝનો સહારો લીધો. ક્લિપની સાથે કંગનાએ મહેશ ભટ્ટ અને તેમના સાચા નામ અને ધર્મ વિશે ઘણી વસ્તુઓ શેયર કરી. તમને જણાવી દઈએ કે કંગના રનૌતે વર્ષ 2006માં ફિલ્મ ‘ગેંગસ્ટર’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે મહેશ ભટ્ટે તેને સપોર્ટ કર્યો હતો. મહેશ ભટ્ટની એક જૂની સ્પીચની ક્લિપ સાથે કંગનાએ લખ્યું, ‘મહેશ જી અવિચારી અને કાવ્યાત્મક રીતે લોકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે.’

મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે: કંગના

આ જ વીડિયોની બીજી ક્લિપ શેયર કરતાં તેણે લખ્યું, ‘મને કહેવામાં આવ્યું છે કે મહેશ ભટ્ટનું સાચું નામ અસલમ છે. તેને તેની બીજી પત્ની સોની રાઝદાન સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કર્યું. કંગના દ્વારા શેયર કરાયેલી અન્ય એક વિડિયો ક્લિપમાં મહેશ ભટ્ટના નામે એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે, તેને પોતાનું અસલી નામ વાપરવું જોઈએ અને કોઈ ચોક્કસ ધર્મનું પ્રતિનિધિત્વ ન કરવું જોઈએ, અને જ્યારે તેણે ધર્મ પરિવર્તન કર્યું છે.

Kangana Ranaut Post

મહેશ ભટ્ટ પર કંગનાએ લગાવ્યો હતો મારપીટનો આરોપ

વર્ષ 2020માં કંગના રનૌતે મહેશ ભટ્ટ પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયની વાત છે જ્યારે કંગના રનૌતે તેની પુત્રી અને ફિલ્મ નિર્માતા-અભિનેત્રી પૂજા ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધોખા’ને ઠુકરાવી કાઢી હતી. આ વર્ષની શરૂઆતમાં કંગના રનૌતે પણ આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ની રિલીઝ પહેલા મહેશ ભટ્ટ અને તેની પુત્રી અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ પર આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો. ત્યારપછી કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નોટ શેયર કરીને કહ્યું કે ફિલ્મની સૌથી મોટી ભૂલ ‘ખોટી કાસ્ટિંગ’ છે. તેને આલિયા ભટ્ટને ‘ડેડીઝ એન્જલ’ અને મહેશ ભટ્ટને મૂવી માફિયા કહ્યું હતું.

આલિયાને કહ્યું ‘ડેડીઝ એન્જલ’

ફેબ્રુઆરી 2022 માં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર કંગના રનૌતે લખ્યું, ‘આ શુક્રવારે 200 કરોડ રૂપિયા બોક્સ ઓફિસ પર બળીને રાખ થઈ જશે. એક પાપાની (ફિલ્મ માફિયા ડેડી) પરી, જે બ્રિટીશ પાસપોર્ટ રાખવાનું પસંદ કરે છે તે એ સાબિત કરવા માંગે છે કે રોમકોમ બિમ્બો એક્ટિંગ કરી શકે છે. ફિલ્મની સૌથી મોટી ખામી ફિલ્મનું ખોટી કાસ્ટિંગ છે… તે સુધરશે નહીં.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">