AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સાથે લીધું જોખમ, ટ્વિટર પર પાછા ફરતા પહેલા મુશ્કેલીમાં ફસાઈ

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર પોતાના નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

હવે કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સાથે લીધું જોખમ, ટ્વિટર પર પાછા ફરતા પહેલા મુશ્કેલીમાં ફસાઈ
Kangana Ranaut
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2022 | 8:08 AM
Share

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો (Kangana Ranaut) વિવાદો સાથે જૂનો સંબંધ છે. અભિનેત્રી તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે. કંગના ખુલ્લેઆમ પોતાની વાત બધાની સામે મુકવામાં શરમાતી નથી. જો કે, તેમના નિવેદનો અને તેમના શબ્દો દરરોજ નવા વિવાદો ઉભા કરતા રહે છે. આ દરમિયાન ફરી એકવાર કંગનાનું એક નવું કારનામું સામે આવ્યું છે. જે તેમના માટે મુસીબતનું કારણ પણ બની શકે છે.

ઈન્સ્ટાગ્રામને કહ્યું ‘મૂંગું’

જ્યારથી ટ્વિટરના માલિકો બદલાયા છે, ત્યારથી એવી અપેક્ષા હતી કે હવે કંગનાને તેનું ટ્વિટર એકાઉન્ટ પાછું મળશે. આ સમાચારે ઘણી ચર્ચા પણ થઈ હતી અને એવું માનવામાં આવતું હતું કે, તે જલ્દી જ થઈ જશે. પરંતુ ટ્વિટર પર પાછા ફરતા પહેલા જ કંગનાના નવા નિવેદને બધાનું ધ્યાન ખેંચ્યું છે. અભિનેત્રીએ આ વખતે ટ્વિટરની સરખામણી ઈન્સ્ટાગ્રામ સાથે કરી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામને ‘મૂંગું’ પણ કહ્યું છે.

ટ્વિટરને શ્રેષ્ઠ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાવ્યું

વાસ્તવમાં પંગા ક્વીન કંગનાએ ટ્વિટરને શ્રેષ્ઠ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાવ્યું છે. તે કહે છે કે તે ‘બૌદ્ધિક રૂપ સે, વૈચારિક રૂપ સે પ્રેરિત’ છે. ઇન્સ્ટાગ્રામ વિશે વાત કરતી વખતે, અભિનેત્રીએ કહ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફક્ત ‘તસ્વીરો વિશે’ જણાવે છે. તમને જણાવી દઈએ કે, કંગના રનૌતને 2021માં ટ્વિટરના નિયમો તોડવા બદલ ત્યાંથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. ટ્વિટરે અભિનેત્રીનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે પરંતુ એલોન મસ્કના આગમન પછી, આ સમાચાર દરેક જગ્યાએ હતા, અભિનેત્રી ટૂંક સમયમાં ટ્વિટર પર પરત ફરશે.

આ નિવેદન હવે તેમને ભારે પડી શકે છે

પરંતુ ઇન્સ્ટાગ્રામ એ એવું પ્લેટફોર્મ છે જેણે અભિનેત્રીને જીવંત રાખી છે. ગયા વર્ષથી કંગના ઈન્સ્ટા દ્વારા પોતાના ફેન્સ સુધી પોતાની વાત પહોંચાડી રહી હતી. તેણે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પોતાના દરેક મુદ્દાને બધાની સામે રાખવા માટે કર્યો છે, પરંતુ તેમનું આ નિવેદન હવે તેમને ભારે પડી શકે છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, ‘મુંગું ઇન્સ્ટાગ્રામ એ તમામ ચિત્રો વિશે છે, તેમાં જે પણ અભિપ્રાય લખો, તે બીજા દિવસે ગાયબ થઈ જાય છે, જેમ કે એક ચંચળ, વ્યર્થ ડબ્બો છે. તે એ બતાવવા નથી માંગતું કે તેણે શું લખ્યું છે. આ સિવાય પણ કંગનાએ ઘણું બધું લખ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">