Kangana Ranaut On Shraddha Walker Letter : શ્રદ્ધા વોકર મર્ડર કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બધાને નવાઈ લાગે છે કે પ્રેમી આટલો રાક્ષસ કેવી રીતે બની શકે. શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસને શ્રદ્ધાએ 2020માં લખેલો પત્ર હાથ લાગ્યો છે. જેના પર બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. શ્રદ્ધાનો પત્ર વાંચીને કંગના એટલી ભાવુક થઈ ગઈ કે, તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને દિલને હચમચાવી દેનારું નિવેદન આપ્યું.
કંગનાએ લખ્યું- “આ તે પત્ર છે જે 2020માં શ્રદ્ધાએ પોલીસને મદદ માટે વિનંતી કરવા માટે લખ્યો હતો. તેણે કહ્યું હતું કે, આફતાબ હંમેશા તેને ડરાવતો હતો અને તેના ટુકડા કરવાની ધમકી આપતો હતો. તે તેને બ્લેકમેલ કરતો હતો. આટલું બધું હોવા છતાં, તેને ખબર ન હતી કે તેણે શ્રદ્ધાનું બ્રેઈનવોશ કેવી રીતે કર્યું અને તેને પોતાની સાથે દિલ્હી લઈ આવ્યો.
કંગનાએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં આગળ લખ્યું છે- ‘આપણે બધા જાણીએ છીએ કે આ તેની સાથે ‘લગ્નનું વચન’ આપીને કરવામાં આવ્યું હતું. તે નબળી ન હતી. તે એક છોકરી હતી, જેનો જન્મ આ દુનિયામાં રહેવા માટે થયો હતો. પરંતુ, કમનસીબે તે એક સ્ત્રી હતી અને તેની પાસે સ્ત્રીનું હૃદય હતું. જેની કુદરતી વૃત્તિ ઘાને બચાવવા અને રૂઝાવવાની છે. સ્ત્રીઓ ધરતી જેવી છે, જેની અંદર કોઈ માટે કોઈ ભેદભાવ નથી. જેમાં સંબંધની ભાવના છે જે તે બધાને સ્વીકારે છે, પછી ભલે તે તેના માટે લાયક હોય કે ન હોય.
કંગનાની ઈન્સ્ટા સ્ટોરીમાં દર્દ અહીં જ ન અટક્યું, તેણે આગળ લખ્યું- ‘તે એક એવી છોકરી હતી જે પરીકથાઓમાં વિશ્વાસ કરતી હતી. તેને લાગ્યું કે, દુનિયાને તેના પ્રેમની જરૂર છે. તે એક દેવી હતી જેની પાસે ઘા મટાડવાની શક્તિ હતી. તે બિલકુલ નબળી ન હતી, તે એક છોકરી હતી જે પરીકથામાં રહેતી હતી. તે તેના સપનાની વાર્તામાં તેના હીરોની અંદરના રાક્ષસ સામે લડવાનો પ્રયાસ કરી રહી હતી. આપણે બધા જાણીએ છીએ કે, પ્રેમમાં આપણે ખૂબ ખુશ થઈએ છીએ. તેને રાક્ષસોને મારવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ હીરો ઇચ્છતો હતો કે, રાક્ષસો જીતે અને તે જ થયું.
કંગના રનૌત દરેક મુદ્દા પર ખુલીને બોલે છે. કંગના અવાર-નવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ પોસ્ટમાં કંગનાએ એક મહિલાની પીડા વર્ણવી છે. કંગનાની આ પોસ્ટ ખૂબ જ ઈમોશનલ છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.