AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Murder: આફતાબ શ્રદ્ધાને સિગારેટથી ડામ આપતો હતો, છતાં પણ તે તેને તક આપવા માંગતી હોવાનો મિત્રનો ખુલાસો

Shraddha Murder Case: શુક્લાએ કહ્યું કે અમે પૂનાવાલાની પાસે ગયા અને ધમકી આપી કે જો તે તેની સાથે દુષ્કર્મ ચાલુ રાખશે તો પોલીસ ફરિયાદ કરવાની છે. પરંતુ શ્રદ્ધાએ જ અમને કહ્યું કે તેને બીજી તક આપો.

Shraddha Murder: આફતાબ શ્રદ્ધાને સિગારેટથી ડામ આપતો હતો, છતાં પણ તે તેને તક આપવા માંગતી હોવાનો મિત્રનો ખુલાસો
shraddha walkar murder case (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 6:39 AM
Share

ગુરુવારે દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. તેના મિત્ર રજત શુક્લાએ જણાવ્યું કે લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાને સતત હેરાન કરી રહ્યો હતો. પૂનાવાલા તેણીને સિગારેટથી ડામ આપતો હતો, પરંતુ તેણીએ પોલીસ પાસે જવાનું ટાળ્યું હતું કારણ કે તે તેને ‘વધુ એક તક’ આપવા માંગતી હતી. શુક્લાએ એ પણ જણાવ્યું કે વર્ષ 2021માં શ્રદ્ધાએ એક નજીકના મિત્ર સાથે શેર કર્યું હતું કે આફતાબે તેની પીઠ પર સિગારેટનો ડામ આપ્યો હતો અમને તે સાંભળીને દુઃખ થયું હતું.

શુક્લાએ કહ્યું કે અમે પૂનાવાલાની પાસે ગયા અને ધમકી આપી કે જો તે તેની સાથે દુષ્કર્મ ચાલુ રાખશે તો પોલીસ ફરિયાદ કરવાની છે. પરંતુ તે શ્રદ્ધા હતી જેણે અમને તેને બીજી તક આપવાનું કહ્યું અને મને લાગે છે કે તેણે તેનો જીવ ગુમાવ્યો. તમને જણાવી દઈએ કે શ્રદ્ધા વાલ્કરની હત્યાના આરોપી આફતાબની 12 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ 6 કલાક સુધી ચાલ્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનું બીજું સત્ર આજે રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં થયો. આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ 6 કલાક સુધી કરવામાં આવ્યો હતો. મંગળવારે રોહિણીની એફએસએલમાં પૂનાવાલાના પોલીગ્રાફી ટેસ્ટનું પ્રથમ સત્ર યોજાયું હતું. પોલીગ્રાફી ટેસ્ટને લાઈ ડિટેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. દરમિયાન દિલ્હી પોલીસે પૂનાવાલાના છતરપુર ફ્લેટમાંથી પાંચ ચાકુ જપ્ત કર્યા હતા.

આખો મામલો એક નજરમાં સમજો

તમને જણાવી દઈએ કે પૂનાવાલાએ મે મહિનામાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કર (27)નું કથિત રીતે ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા અને દક્ષિણ દિલ્હીના મહેરૌલી સ્થિત તેમના ઘરે 300 લિટરના ફ્રીજમાં લગભગ ત્રણ અઠવાડિયા સુધી રાખવામાં આવ્યા હતા. તેઓને ઘણા દિવસો સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પૂનાવાલાને તેના ભાવનાત્મક, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે ઘણા પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">