AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Javed Akhtarએ નશામાં લખ્યું એવું ગીત, આટલા વર્ષ પછી પણ થઈ રહી છે ચર્ચા

Javed Akhtar: જાવેદ અખ્તરે બોલિવૂડ ફિલ્મો માટે એકથી એક ગીતો લખ્યા છે, જે સુપરહિટ સાબિત થયા છે. હવે 41 વર્ષ પછી તેણે 'તુમકો દેખા તો યે ખયાલ આયા' ગીત વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો છે. જાવેદે જણાવ્યું કે, તેણે આ ગીત માત્ર 9 મિનિટમાં લખ્યું છે. જાવેદનું આ ગીત આજે પણ ઘણું સાંભળવા મળે છે.

Javed Akhtarએ નશામાં લખ્યું એવું ગીત, આટલા વર્ષ પછી પણ થઈ રહી છે ચર્ચા
Javed Akhtar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 2:11 PM
Share

જાવેદ અખ્તર (Javed Akhtar) બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત લેખક તેમજ એક તેજસ્વી ગીતકાર છે. તેણે ‘સંદેસે આતે હૈં’, ‘મેં અગર કહું’, ‘દો પલ’ અને બીજા ઘણા ગીતો લખ્યા છે, જેની ફિલ્મો કરતાં વધુ ચર્ચા થઈ હતી. હવે જાવેદ અખ્તરે વર્ષો પછી ખુલાસો કર્યો છે કે તેણે ખૂબ દારૂ પીને ગીત લખ્યું છે. તેણે અડધી રાત્રે થોડી જ મિનિટોમાં એક સુંદર ગીત લખી નાખ્યું હતું, જેને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો : જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતે કોર્ટને કરી વિનંતી, કહ્યું- મારી બહેન રંગોલી ચંદેલનું નિવેદન દાખલ કરો

10 મિનિટથી ઓછા સમયમાં લખાયેલા ઘણા ગીતો

તાજેતરમાં જ જાવેદ અખ્તરે કોલકાતામાં FICCIના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે આ રસપ્રદ ઘટના સંભળાવી હતી. તેણે કહ્યું, ‘મેં કેટલાક ગીતો 10 મિનિટથી ઓછા સમયમાં લખ્યા છે. સિલસિલા પછી યશ ચોપરાના આસિસ્ટન્ટ મારી પાસે આવ્યા અને કહ્યું કે સર, હું એક નાની ફિલ્મ બનાવી રહ્યો છું. હું ઈચ્છું છું કે તમે મારી ફિલ્મ માટે ગીતો લખો પણ મારી પાસે તમને આપવા માટે બિલકુલ પૈસા નથી. ત્યારે મેં કહ્યું કે ઠીક છે, હું લખીશ.

માત્ર એક ગીત અધૂરું બાકી હતું

તેણે આગળ કહ્યું, ‘હું મફતમાં કામ કરતો હતો. મેં બધાં ગીતો લખ્યાં, પણ એક અધૂરું રહી ગયું. એ બિચારો માણસ રોજ સાંજે મારી પાસે ગીતો વિશે પૂછવા આવતો અને એ દિવસોમાં હું દારૂ પીતો. અમે રોજ સાંજે વાઇન પીતા. બેસીને ગપસપ કરતા. આવી સ્થિતિમાં રાતના અઢી વાગ્યા હતા. ત્યારે મેં તેને કહ્યું કે હવે તે કાલે આ ગીત પૂરું કરશે.

દારૂ પીધા પછી 9 મિનિટમાં ગીત લખી નાખ્યું

જાવેદ અખ્તરે કહ્યું કે, ‘એ બિચારો માણસ મારી પાસે રોજ આવતો હતો કારણ કે તેને ગીત જોતું હતું. આવું કેટલાક દિવસો સુધી ચાલ્યું. એકવાર મધરાતે 8-9 પેગ પીધા પછી મેં કહ્યું પેન અને કાગળ લાવો, હવે ગીત લખું. હું જાણું છું કે મેં ગીત 9 મિનિટમાં લખ્યું હતું. કારણ કે તેને તેની છેલ્લી ટ્રેન પકડવાની હતી. તે વારંવાર તેની ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો. તેથી મેં 9 મિનિટમાં ગીત લખીને તેને આપ્યું. એ ગીત જગજીત સિંહે ગાયું હતું. તે ગીત છે ‘તુમકો દેખા તો યે ખયાલ આયા’.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">