જાહ્નવી કપૂર તેના પિતાથી અલગ થઈ જશે ? એક્ટ્રેસે પોતાના માટે ખરીદ્યો કરોડોનો બંગલો

|

Nov 04, 2022 | 9:50 PM

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની (Janhvi Kapoor) હાલમાં તેની ફિલ્મ મિલીના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મોથી લઈને રિયલ લાઈફ સુધી દરેક જગ્યાએ એક્ટ્રેસની ચર્ચાઓ થતી રહે છે. જાહ્નવી કપૂરે પોતાના માટે કરોડોની કિંમતનો બંગલો ખરીદ્યો છે.

જાહ્નવી કપૂર તેના પિતાથી અલગ થઈ જશે ? એક્ટ્રેસે પોતાના માટે ખરીદ્યો કરોડોનો બંગલો
Janhvii kapoor

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં પોતાના કામના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને દરરોજ પોતાની નવી પોસ્ટ શેયર કરતી રહે છે. આજે એક્ટ્રેસની ફિલ્મ મિલી પણ રિલીઝ થઈ ગઈ છે. જેના માટે તેમને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. એક્ટ્રેસ હાલમાં ખુશહાલ જીવન જીવી રહી છે.

એક્ટ્રેસ પાસે મોટા પ્રોજેક્ટ્સની કમી નથી. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસે પોતાના માટે એક બંગલો પણ ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂરે મુંબઈના બાંદ્રામાં એક મોટો લક્ઝરી બંગલો ખરીદ્યો છે. તેની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. 8,669 સ્ક્વેર ફૂટમાં એરિયામાં ફેલાયેલા આ બંગલાની કિંમત 65 કરોડ છે. એક્ટ્રેસે આ બંગલો પોતાના માટે ખરીદ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મળતી માહિતી મુજબ 8,669 સ્ક્વેર ફૂટનો આ બંગલો ખૂબ જ સુંદર છે. તેનો 6,421 ચોરસ ફૂટ કાર્પેટ એરિયા છે. રિયલ એસ્ટેટ પોર્ટલ Indextap.comના ડોક્યુમેન્ટ મુજબ આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન 12 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસે આ પ્રોપર્ટી માટે 3.90 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ રકમમાં રજિસ્ટ્રેશન ફીનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, જુલાઈ મહિનામાં જાહ્નવીએ જુહુમાં પોતાનો 3,456 સ્ક્વેર ફૂટનો એપાર્ટમેન્ટ બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવને 44 કરોડ રૂપિયામાં વેચ્યો હતો.

જાહ્નવીનો બંગલો ખરીદવાના સમાચાર સામે આવ્યા બાદ તેના ફેન્સ હવે જાણવા માંગે છે કે એક્ટ્રેસ તેમાં શિફ્ટ થવા જઈ રહી છે કે નહીં. આ સમાચાર પછી હવે ફેન્સને લાગે છે કે એક્ટ્રેસે હવે પાપા બોની કપૂરથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. અથવા એવું પણ બને કે જાહ્નવી કપૂર આ બંગલામાં તેના પરિવાર સાથે શિફ્ટ થશે. પરંતુ અત્યાર સુધી આ રિપોર્ટ્સ પર એક્ટ્રેસની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Next Article