AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyajit Ray Birth Anniversary : ઓસ્કાર વિજેતા સત્યજીત રેએ ભારતીય સિનેમાને આપી 37 ફિલ્મો, ઈન્ડસ્ટ્રીઝના શ્રેષ્ઠ નિર્દેશક માનવામાં આવે છે ‘રે’ને

Satyajit Ray Birth Anniversary : આજે સત્યજીત રેનો (Satyajit Ray) 101મો જન્મદિવસ છે. સમગ્ર સિનેમા જગત આજે તેમને યાદ કરી રહ્યું છે. ઓસ્કાર વિજેતા રેએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સિનેમા જગતને 37 ફિલ્મો આપી. જેમાં પાથેર પાંચાલી તેમની પ્રથમ ફિલ્મ હતી.

Satyajit Ray Birth Anniversary : ઓસ્કાર વિજેતા સત્યજીત રેએ ભારતીય સિનેમાને આપી 37 ફિલ્મો, ઈન્ડસ્ટ્રીઝના શ્રેષ્ઠ નિર્દેશક માનવામાં આવે છે 'રે'ને
indian film industry satyajit ray 101th birth anniversary
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:58 AM
Share

સત્યજીત રે (Satyajit Ray) સિનેમા જગતનું એક એવું નામ છે, જેને સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. સત્યજીત રેનું નામ ભારતીય સિનેમાના (Indian Cinema) એવા લોકોમાં ગણવામાં આવે છે જેમણે ભારતમાં તેમજ વિદેશમાં સિનેમાનું ગૌરવ વધાર્યું છે. આજે પણ ભારતીય સિનેમા પર તેમની અમીટ છાપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજે સત્યજીત રેની 101મો જન્મદિવસ છે. એટલું જ નહીં સત્યજીત રેને પદ્મશ્રીથી લઈને ભારત રત્ન અને ઓસ્કાર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના આખા જીવનમાં તેમણે સિનેમા જગતને 37 ફિલ્મો આપી અને તેના કારણે તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત થયા.

અલગ-અલગ મળ્યા સરકારી પુરસ્કારો

આ સિવાય તેણે ભારતીય સિનેમામાં આર્ટ ફિલ્મોની શરૂઆત કરી અને તેને જે રીતે રજૂ કરી તે પ્રશંસનીય છે. આર્ટ ફિલ્મ મેકર્સને તેમની આ કળામાંથી આજ સુધી પ્રેરણા મળે છે. તમને સત્યજીત રે વિશે જાણીને નવાઈ લાગશે કે તેમને એક-બે નહીં પરંતુ 32 અલગ-અલગ સરકારી પુરસ્કારો આપવામાં આવ્યા હતા.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો

ઓસ્કાર એવોર્ડથી લઈને ભારતના તમામ સર્વોચ્ચ સન્માન તેમને આપવામાં આવ્યા છે. તેમને 30 માર્ચ 1992ના રોજ માનદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એવું પણ કહેવાય છે કે, તે દરમિયાન સત્યજીત રે ખૂબ જ બીમાર હતા. તેથી ઓસ્કર સાથે સંકળાયેલા અધિકારીઓ તેમને એવોર્ડ આપવા કોલકાતા આવ્યા હતા.

રેની પ્રથમ ફિલ્મ હતી પાથેર પાંચાલી

તેમની પ્રથમ ફિલ્મ ‘પાથેર પાંચાલી’ હતી. જેની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ફિલ્મે તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. તેમજ આ ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે ઘણા એવોર્ડ પણ જીત્યા હતા. આ સિવાય સત્યજીતે અંગ્રેજી અને બંગાળી બંને ભાષામાં અખબારો અને સામયિકોમાં સિનેમા પર લેખો લખ્યા હતા.

આ રીતે કરી હતી કારકિર્દીની શરૂઆત

2 મે 1921ના રોજ જન્મેલા સત્યજીત રેની ગણતરી મહાન દિગ્દર્શકોમાં થાય છે. તેઓ લેખક તેમજ પ્રકાશક, ચિત્રકાર, સુલેખનકાર, ગ્રાફિક ડિઝાઇનર અને ફિલ્મ વિવેચક હતા. તેણે વર્ષ 1943માં જુનિયર વિઝ્યુલાઈઝર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેને 18 રૂપિયા પગાર મળતો હતો.

જ્યારે રેએ સિનેમાની દુનિયાને કહ્યું અલવિદા

સત્યજિત રેને ભારતીય સિનેમાના શ્રેષ્ઠ દિગ્દર્શક કહેવામાં આવે છે. સિનેમા ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ તેમને ખાસ ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ તે વર્ષ હતું જ્યારે સિનેમાનો આ અમૂલ્ય સ્ટાર સમગ્ર સિનેમા જગતને છોડીને હંમેશ માટે ચાલ્યો ગયો હતો.

આ પણ વાંચો:  TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ……અમારી પાસે સિક્કો માગો, તમારા ખિસ્સામાંથી ન કાઢો!

આ પણ વાંચો:  Amazing Video: કપાળ પર મજેદાર મસાજ કરતા શિશુએ કંઈક આપ્યા આવા અદ્ભૂત રિએક્શન

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
g clip-path="url(#clip0_868_265)">