AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhi Jayanti 2021: ‘લગે રહો મુન્ના ભાઈ’થી ‘ગાંધી માય ફાધર’ સુધી, ગાંધીજી પર બનેલી આ ફિલ્મો દરેકને આપે છે પ્રેરણા

Gandhi Jayanti 2021: ગાંધીજીના જીવન વિશે ઘણી ન સાંભળેલી વાતો છે. ઘણા ફિલ્મ નિર્માતાઓએ ગાંધીજીના જીવનના કેટલાક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે.

Gandhi Jayanti 2021: 'લગે રહો મુન્ના ભાઈ'થી 'ગાંધી માય ફાધર' સુધી, ગાંધીજી પર બનેલી આ ફિલ્મો દરેકને આપે છે પ્રેરણા
Gandhi Jayanti 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 6:52 PM
Share

મહાત્મા ગાંધી (Mahatma Gandhi) એ ન ખાલી દેશને આઝાદી અપાવવામાં મદદ કરી, પરંતુ સમગ્ર વિશ્વને અહિંસાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું. આજે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મદિવસ, દરેક તેમને યાદ કરે છે. વિશ્વના લોકો મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલે છે. ગાંધીજીના જીવન વિશે ઘણી કથાઓ છે. લોકોએ તેમના વિશે ઘણી વાતો સાંભળી છે.

ગાંધીજીના જીવન વિશે ઘણી ન સાંભળેલી વાતો છે. જેના પર બોલિવૂડના ઘણા નિર્માતાઓએ ફિલ્મો બનાવી છે. દરેક ફિલ્મ નિર્માતાએ ગાંધીજીના જીવનના કેટલાક પાસાને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો છે. આજે ગાંધી જયંતિ નિમિત્તે અમે તમને તેમના પર બનેલી કેટલીક ફિલ્મો વિશે જણાવીએ.

ગાંધી માઈ ફાધર (Gandhi, My Father)

નિર્દેશક ફિરોઝ અબ્બાસ ખાને ગાંધીજીના જીવન પર ફિલ્મ બનાવી. તેમણે ગાંધીજી અને તેમના પુત્ર હરિલાલ ગાંધી વચ્ચેના સંબંધો પર એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મનું નામ ગાંધી માય ફાધર છે. ફિલ્મમાં દર્શન જરીવાલા મહાત્મા ગાંધીની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જ્યારે અક્ષય ખન્ના (Akshay Khanna)એ તેમના પુત્ર હીરાલાલની ભૂમિકા ભજવી હતી.

ગાંધી (Gandhi)

વર્ષ 1982માં ફિલ્મ નિર્માતા રિચર્ડ એટનબરોએ ગાંધીજીના જીવન પર ફિલ્મ ગાંધી બનાવી હતી. આ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મમાં હોલીવુડ અભિનેતા બેન કિન્સલી (Ben Kingsley) ગાંધીના રોલમાં જોવા મળ્યા હતા.

લગે રહો મુન્ના ભાઈ (Lage Raho Munna Bhai)

જો ગાંધીજીની વિચારધારા પર કોઈ ફિલ્મ બની હોય તો તે લગે રહો મુન્ના ભાઈ છે. આ ફિલ્મે ગાંધીજીના વિચારોને એક અલગ વળાંક આપ્યો. તેને ગાંધીગીરી કહેવામાં આવી હતી. જોકે આ ફિલ્મમાં મુન્નાભાઈને ગાંધીજી દેખાવાનો ભ્રમ થાય છે. પરંતુ તે એક ક્રિમિનલની માનસિકતા બદલવામાં કામયાબ થાય છે.

ધ મેકિંગ ઓફ મહાત્મા

ફિલ્મ નિર્માતા શ્યામ બેનીવાલે મહાત્મા ગાંધીના તે દિવસોને મોટા પડદા પર બતાવ્યા હતા, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. ફિલ્મમાં તે સમય દર્શાવવામાં આવ્યો છે. જ્યારે તે આઝાદી માટે ભારત ન હોતા આવ્યા.

હે રામ (Hey Ram)

નિર્દેશક કમલ હસને (Kamal Haasan) ગાંધીજીની હત્યા અને દેશના ભાગલા બાદ થયેલા રમખાણો પર ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહે મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) સાથે અતુલ કુલકર્ણી, રાની મુખર્જી (Rani Mukerji), ગિરીશ કર્નાડ અને શાહરૂખ ખાન (Shah Rukh Khan) મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :- Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

આ પણ વાંચો :- Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">