રાજુ શ્રીવાસ્તવને ફરી તાવ આવ્યો, વેન્ટિલેટરનો સહારો નહીં હટાવવામાં આવે

|

Sep 02, 2022 | 9:30 AM

રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારાને જોતા ડોક્ટરોએ મંગળવારે રાજુનો વેન્ટિલેટર સપોર્ટ થોડા સમય માટે હટાવી દીધો હતો, પરંતુ થોડા સમય બાદ તેને ફરીથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

રાજુ શ્રીવાસ્તવને ફરી તાવ આવ્યો, વેન્ટિલેટરનો સહારો નહીં હટાવવામાં આવે
રાજુ શ્રીવાસ્તવને ફરી તાવ આવ્યો
Image Credit source: Twitter

Follow us on

Raju Srivastava : મશહુર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastava)ના સારા સ્વાસ્થ માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. કારણ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. તેના સ્વાસ્થને લઈ સમાચાર સામે આવી રહ્યા છે કે, રાજુ શ્રીવાસ્તવને તાવ આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોની ટીમ સતત તેના પર ધ્યાન રાખી રહી હતી. તેને ઈન્ફેક્શન (infection)થી બચાવવાનો દરેક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજુના રુમમાં માત્ર તેની પત્ની અને પુત્રીને જવાની પરવાનગી આપવામાં આવી છે.

ફરી રાજુ શ્રીવાસ્તવને તાવ આવ્યો

રાજુ શ્રીવાસ્તવનું ઓક્સિજન લેવલ, હાર્ટ બીટ અને બલ્ડ પ્રેશર હાલમાં કંટ્રોલમાં છે. એવા પર રિપોર્ટ સામે આવ્યા હતા કે, તેને વેન્ટિલેટર સપોર્ટ પરથી દુર કરવામાં આવશે. રાજુ શ્રીવાસ્તવના શરીરનું તાપમાન વધ્યા બાદ ડોક્ટરે તેને વેન્ટિલેટર પર જ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં તેનું સ્વાસ્થ સ્થિર છે. ડોક્ટર સતત તેની દેખભાર રાખી રહ્યા છે.

વેન્ટિલેટર પર જ છે રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવનો મિત્ર અનિલે એક ઓનલાઈન પોર્ટલને જાણકારી આપી છે કે, તે છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં હતો પરંતુ હવે તે પરત મુંબઈ ફર્યો છે.ડોક્ટર પણ રાજુના સારા સ્વાસ્થ માટે બનતી કોશિષ કરી રહ્યા છે. જ્યારે રાજુના ચાહકો પણ તેના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરી રહ્યા છે. જેનાથી તે જલ્દી સ્વસ્થ થઈ જાય. એવા પણ એહેવાલો છે કે, રાજુ શ્રીવાસ્તવને ફરી તાવ આવ્યો છે જેના માટે ટીમે હવે કોઈને પણ અંદર જવાની પરવાનગી આપી નથી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રાજુના મિત્ર અનિલે પણ થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે, રાજુ શ્રીવાસ્તવે તેની આંખો ખોલી છે, રાજુ શ્રીવાસ્તવના નજીકના પારિવારિક મિત્ર અને ડૉક્ટર અનિલ મોરારકાએ ખુલાસો કર્યો હતો કે, ‘રાજુ જીને થોડા દિવસો પહેલા ઈન્ફેક્શન થયું હતું, પરંતુ તેઓ પણ થોડા જ સમયમાં સાજા થઈ ગયા હતા. તેને તાવ આવ્યો હતો અને તેથી જ ટીમ હવે કોઈને અંદર જવા દેતી નથી.

10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ

રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલટર પર છે. રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટથી  હોસ્પિટલમાં દાખલ  છે

Next Article