Breaking News : બોલિવૂડ પર કોની નજર? ધુરંધર 2 રિલીઝ પહેલા જ રણવીર સિંહને સીધી વોટ્સએપ પર મળી ધમકી
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહને તેમની આગામી ફિલ્મ 'ધુરંધર 2' પહેલાં WhatsApp પર કરોડોની ખંડણી માટે વોઇસ નોટ દ્વારા ધમકી મળી છે.

બોલિવૂડ અભિનેતા Ranveer Singh અંગે એક ગંભીર ઘટના સામે આવી છે. તેમની આગામી ફિલ્મ ધુરંધર 2 ની રિલીઝ પહેલા જ તેમને વોટ્સએપ મારફતે ધમકી મળ્યાનું જાણવા મળ્યું છે. આ ધમકી વોઇસ નોટ સ્વરૂપે મોકલવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના બાદ રણવીર સિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને Mumbai Police એ તરત કાર્યવાહી શરૂ કરી અને તેમના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.
પોલીસનું કહેવું છે કે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક Rohit Shetty ના જુહુ સ્થિત ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનાના થોડા સમય બાદ રણવીર સિંહને આ ધમકી મળી હતી. અજાણ્યા વ્યક્તિએ સીધી ધમકી આપતી વોટ્સએપ વોઇસ નોટ મોકલી હતી, જેના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા
ધમકીની જાણ થતાં જ પોલીસ દ્વારા રણવીર સિંહના નિવાસસ્થાનની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારાની સશસ્ત્ર પોલીસ તૈનાત કરવામાં આવી છે. વોઇસ નોટ મોકલનારની ઓળખ માટે સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોલ ડિટેલ્સ અને ડિજિટલ પુરાવાઓની તપાસ ચાલી રહી છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રહે છે તે સોસાયટીના રહેવાસીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વધેલી સુરક્ષા કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી હોવાની વાત સામે આવી છે. સોસાયટી વહીવટીતંત્રે આ મુદ્દે પોલીસને લેખિતમાં પોતાની વાત રજૂ કરી છે.
બોલિવૂડની સલામતી પર પ્રશ્નો
આ ઘટનાઓ બાદ મુંબઈના અગ્રણી કલાકારોની સલામતી મુદ્દે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે રણવીર સિંહને મળેલી ધમકી અને ગોળીબારની ઘટનામાં કોઈ સીધો કે પરોક્ષ સંબંધ છે કે નહીં.
પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રણવીર સિંહ અને તેમના પરિવારની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ધમકી આપનાર વ્યક્તિને ટૂંક સમયમાં પકડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.
14 વર્ષ પહેલાં રિલીઝ થયેલું વિદ્યા બાલનનું ‘ઓહ લા લા’ ગીત ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માંથી ભારે વિવાદનું કારણ બન્યું હતું

