કંગના રનૌત કહ્યુ દુખદ અને અયોગ્ય સમાચાર, તો રિચા ચઢ્ઢાએ આ બિલ પરત ખેંચાતા તેને ખેડૂતોની જીત ગણાવી, જ્યારે સોનું સુદે આને અદભુદ સમાચાર ગણાવ્યા. ગુલ પનાગે પણ વડાપ્રધાનનો આભાર માન્યો.
કંગના રનૌતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ છે કે “દુઃખદ, શરમજનક, બિલકુલ અયોગ્ય, જો રસ્તા પરના લોકો કાયદા બનાવવા લાગશે અને સરકાર નહીં તો આ પણ જેહાદી રાષ્ટ્ર છે. જેમને આ જોઇતુ હતું તેમને અભિનંદન.”
રિચા ચઢ્ઢાનું ટ્વિટ
ભૂપિન્દર ચૌધરીના ટ્વીટને રીટ્વીટ કરતા રિચા ચઢ્ઢાએ તેને ખેડૂતોની જીત ગણાવી. તેણીએ લખ્યું, “જીત ગયે આપ! આપ કી જીત સબ કી જીત હૈ (તમે જીતી ગયા છો. તમારી જીત એ દરેકની જીત છે).”
સોનું સુદનું ટ્વિટ
સોનુ સૂદે તેને અદ્ભુત સમાચાર ગણાવ્યા અને પીએમ મોદીના નિર્ણયને વધાવ્યો. તેમણે ટ્વિટરમાં લખ્યુ “આ એક અદ્ભુત સમાચાર છે! @narendramodi જી, @PMOIndia, કૃષિ કાયદા પાછા લેવા બદલ તમારો આભાર. ખેડૂતો, શાંતિપૂર્ણ વિરોધ દ્વારા ન્યાયી માંગણીઓ ઉઠાવવા બદલ આભાર. આશા છે કે તમે શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ પર તમારા પરિવારો સાથે ખુશીથી પાછા ફરશો.”
ગુલ પનાગનું ટ્વિટ
ગુલ પનાગે પણ સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ખેતીના કાયદાઓ પાછા ખેંચવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યુ “ખેત કાયદાને રદ્દ કરવા બદલ @narendramodiનો આભાર. હાથ જોડીને હું ઈચ્છું છું કે આપણે આ મડાગાંઠને આટલા લાંબા સમય સુધી ચાલવા ન દેવી પડે, જેના કારણે ઘણા લોકોના જીવ ગયા.”
આ પણ વાંચોઃ કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’
આ પણ વાંચોઃ Tim Paine ના રાજીનામા બાદ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમના આગામી કેપ્ટન કોણ હશે ? આ દિગ્ગજ ખેલાડીઓના સામે આવ્યા નામ
Published On - 2:55 pm, Fri, 19 November 21