Kangana Ranaut સહિત બૉલિવુડ સ્ટાર્સે કૃષિ કાયદા પરત ખેંચવા અંગે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યુ

|

Nov 19, 2021 | 2:58 PM

કંગના રનૌત કહ્યુ દુખદ અને અયોગ્ય સમાચાર, તો રિચા ચઢ્ઢાએ આ બિલ પરત ખેંચાતા તેને ખેડૂતોની જીત ગણાવી, જ્યારે સોનું સુદે આને અદભુદ સમાચાર ગણાવ્યા. ગુલ પનાગે પણ વડાપ્રધાનનો આભાર માન્યો.

Kangana Ranaut સહિત બૉલિવુડ સ્ટાર્સે કૃષિ કાયદા પરત ખેંચવા અંગે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યુ
Bollywood Stars

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ આજે દેશને સંબોધન કરતા કૃષિ કાયદાઓ(Agricultural law) પરત ખેંચવાની જાહેરાત કરી છે. વિવિધ બોલિવુડ સ્ટાર્સ(Bollywood stars)ની પણ કૃષિ કાયદો પરત ખેંચવા અંગે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કંગના રનૌત(Kangana Ranaut), રિચા ચઢ્ઢા, ગુલ પનાગ, સોનુ સુદે કૃષિ બીલ પરત ખેંચાવા અંગે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

કંગના રનૌત કહ્યુ દુખદ અને અયોગ્ય સમાચાર, તો રિચા ચઢ્ઢાએ આ બિલ પરત ખેંચાતા તેને ખેડૂતોની જીત ગણાવી, જ્યારે સોનું સુદે આને અદભુદ સમાચાર ગણાવ્યા. ગુલ પનાગે પણ વડાપ્રધાનનો આભાર માન્યો.

કંગના રનૌતની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યુ છે કે “દુઃખદ, શરમજનક, બિલકુલ અયોગ્ય, જો રસ્તા પરના લોકો કાયદા બનાવવા લાગશે અને સરકાર નહીં તો આ પણ જેહાદી રાષ્ટ્ર છે. જેમને આ જોઇતુ હતું તેમને અભિનંદન.”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રિચા ચઢ્ઢાનું ટ્વિટ
ભૂપિન્દર ચૌધરીના ટ્વીટને રીટ્વીટ કરતા રિચા ચઢ્ઢાએ તેને ખેડૂતોની જીત ગણાવી. તેણીએ લખ્યું, “જીત ગયે આપ! આપ કી જીત સબ કી જીત હૈ (તમે જીતી ગયા છો. તમારી જીત એ દરેકની જીત છે).”

સોનું સુદનું ટ્વિટ
સોનુ સૂદે તેને અદ્ભુત સમાચાર ગણાવ્યા અને પીએમ મોદીના નિર્ણયને વધાવ્યો. તેમણે ટ્વિટરમાં લખ્યુ “આ એક અદ્ભુત સમાચાર છે! @narendramodi જી, @PMOIndia, કૃષિ કાયદા પાછા લેવા બદલ તમારો આભાર. ખેડૂતો, શાંતિપૂર્ણ વિરોધ દ્વારા ન્યાયી માંગણીઓ ઉઠાવવા બદલ આભાર. આશા છે કે તમે શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ પર તમારા પરિવારો સાથે ખુશીથી પાછા ફરશો.”

ગુલ પનાગનું ટ્વિટ
ગુલ પનાગે પણ સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા ખેતીના કાયદાઓ પાછા ખેંચવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યુ “ખેત કાયદાને રદ્દ કરવા બદલ @narendramodiનો આભાર. હાથ જોડીને હું ઈચ્છું છું કે આપણે આ મડાગાંઠને આટલા લાંબા સમય સુધી ચાલવા ન દેવી પડે, જેના કારણે ઘણા લોકોના જીવ ગયા.”

 

આ પણ વાંચોઃ કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’

આ પણ વાંચોઃ Tim Paine ના રાજીનામા બાદ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટીમના આગામી કેપ્ટન કોણ હશે ? આ દિગ્ગજ ખેલાડીઓના સામે આવ્યા નામ

Published On - 2:55 pm, Fri, 19 November 21

Next Article